ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે,કેજરીવાલનું ટ્વીટ


  • Published By :
  • Published Date : 2022-11-03 14:17:25

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.


કેજરીવાલનું ટ્વીટ

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતની જનતા આ વખતે મોટા બદલાવ માટે તૈયાર છે. અમે જરૂર જીતીશુ. મહત્વપૂર્ણ છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવતા ઘણીં વાર આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ વાત કેજરીવાલે ઘણી સભાઓમાં કરી છે કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.

  

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે