Gujaratના લોકો સિઝનને લઈ થયા Confuse! સવારે ઠંડી અને બપોરે આકરો તાપ... અનેક શહેરોમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-10-06 09:01:57

ગુજરાતમાંથી વરસાદે વિરામ લઈ લીધો છે. વરસાદે ભલે વિદાય લીધી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો પરંતુ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનનો પારો ગગડે છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો પારો સતત વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે સવારે અને રાત્રે ઠંડીના ચમકારોના અહેસાસ થાય છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરના આંકડા જાહેર કર્યા છે જે નીચે મુજબ છે. 


સવારે ઠંડી અને બપોરે ગરમી!

છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થતા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે સિઝન કઈ ચાલે? ગુલાબી ઠંડીનો અહેસાસ થતા લોકો ખુશ થાય છે પરંતુ બપોરે સૂર્યમાંથી નીકળતા અગ્નિજ્વાળાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અમુક કલાકોમાં જ વરસાદ ગુજરાતમાંથી વિદાય લઈ લેશે. પરંતુ નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ આવી શકે છે. 

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો... - રાજકોટ મિરર

બેવડી ઋતુને કારણે વધ્યો રોગચાળો 

આગામી સપ્તાહમાં હવામાન હમણાં જેવું છે તેવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાત પણ કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર પાંચ-સાત દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર કોઈ નહીં જોવા મળે. હવામાન યથાવત રહેશે. મહત્વનું છે કે બેવડી ઋતુથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની સાથે લોકો મચ્છરજન્ય રોગના શિકાર બની રહ્યા છે. 

વરસાદની સિઝન શરૂ અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી