Gujaratના લોકો સિઝનને લઈ થયા Confuse! સવારે ઠંડી અને બપોરે આકરો તાપ... અનેક શહેરોમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-10-06 09:01:57

ગુજરાતમાંથી વરસાદે વિરામ લઈ લીધો છે. વરસાદે ભલે વિદાય લીધી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો પરંતુ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનનો પારો ગગડે છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો પારો સતત વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે સવારે અને રાત્રે ઠંડીના ચમકારોના અહેસાસ થાય છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરના આંકડા જાહેર કર્યા છે જે નીચે મુજબ છે. 


સવારે ઠંડી અને બપોરે ગરમી!

છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થતા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે સિઝન કઈ ચાલે? ગુલાબી ઠંડીનો અહેસાસ થતા લોકો ખુશ થાય છે પરંતુ બપોરે સૂર્યમાંથી નીકળતા અગ્નિજ્વાળાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અમુક કલાકોમાં જ વરસાદ ગુજરાતમાંથી વિદાય લઈ લેશે. પરંતુ નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ આવી શકે છે. 

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો... - રાજકોટ મિરર

બેવડી ઋતુને કારણે વધ્યો રોગચાળો 

આગામી સપ્તાહમાં હવામાન હમણાં જેવું છે તેવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાત પણ કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર પાંચ-સાત દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર કોઈ નહીં જોવા મળે. હવામાન યથાવત રહેશે. મહત્વનું છે કે બેવડી ઋતુથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની સાથે લોકો મચ્છરજન્ય રોગના શિકાર બની રહ્યા છે. 

વરસાદની સિઝન શરૂ અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.