Gujaratના લોકો સિઝનને લઈ થયા Confuse! સવારે ઠંડી અને બપોરે આકરો તાપ... અનેક શહેરોમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-06 09:01:57

ગુજરાતમાંથી વરસાદે વિરામ લઈ લીધો છે. વરસાદે ભલે વિદાય લીધી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો પરંતુ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનનો પારો ગગડે છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો પારો સતત વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે સવારે અને રાત્રે ઠંડીના ચમકારોના અહેસાસ થાય છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરના આંકડા જાહેર કર્યા છે જે નીચે મુજબ છે. 


સવારે ઠંડી અને બપોરે ગરમી!

છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થતા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે સિઝન કઈ ચાલે? ગુલાબી ઠંડીનો અહેસાસ થતા લોકો ખુશ થાય છે પરંતુ બપોરે સૂર્યમાંથી નીકળતા અગ્નિજ્વાળાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અમુક કલાકોમાં જ વરસાદ ગુજરાતમાંથી વિદાય લઈ લેશે. પરંતુ નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ આવી શકે છે. 

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો... - રાજકોટ મિરર

બેવડી ઋતુને કારણે વધ્યો રોગચાળો 

આગામી સપ્તાહમાં હવામાન હમણાં જેવું છે તેવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાત પણ કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર પાંચ-સાત દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર કોઈ નહીં જોવા મળે. હવામાન યથાવત રહેશે. મહત્વનું છે કે બેવડી ઋતુથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની સાથે લોકો મચ્છરજન્ય રોગના શિકાર બની રહ્યા છે. 

વરસાદની સિઝન શરૂ અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..