ફોટોગ્રાફરે ક્લીક કરી અજાણ પિતા-દીકરીની એટલી પ્યારી તસવીર કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર


  • Published By :
  • Published Date : 2023-04-10 10:12:50

આપણે દિવસમાં અનેક લોકોને મળતા હોઈએ છીએ જે જાણે-અજાણે આપણને ખુશ કરી દેતા હોય છે. વાત નાની ભલે લાગતી હોય તો પણ સામે વાળી વ્યક્તિ માટે એ વાત ઘણી વખત મોટી સાબિત થઈ શકતી હોય છે. ત્યારે એક ફોટોગ્રાફરે એક વ્યક્તિની તસવીર ક્લીક કરી હતી. પોતાની દીકરી સાથે મસ્તી કરતા પિતાની તસવીર એક ફોટોગ્રાફરે ક્લીક કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


પિતા અને નાનકડી દીકરીની તસવીર થઈ રહી છે વાયરલ 

સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો અને ફોટો વાયરલ થતા હોય છે જે આપણા દિલને ખુશ કરી દેતા હોય છે. આપણે અનેક અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોઈએ છીએ. આપણે બઘા લોકોને યાદ નથી રાખતા પરંતુ થોડાક એવા લોકો પણ હોય છે જે આપણને થોડા જ સમયમાં અનેક ખુશીઓ આપી જતા હોય છે. તેવા વ્યક્તિઓને આપણે જીવનભર નથી ભૂલી શક્તા. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફોટોગ્રાફર દ્વારા ક્લીક કરવામાં આવેલી તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક પિતા અને તેમની નાનકડી દીકરી સાથે મસ્તી કરતા દેખાય છે.  


કેમેરામાં કેદ થઈ પિતા-દીકરીની ક્યુટ મુમેન્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પિતા અને દીકરીની રીલ વાયરલ થઈ રહી છે જેમાં દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે. રિલમાં એક પિતા પોતાની નાની દીકરી સાથે જૂહુ બીચ પર ગણપતિ વિસર્જન ઉત્સવમાં ભાગ લેતા દેખાઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક ફોટોગ્રાફર તે બંનેની સુંદર તસવીર ક્લીક કરે છે. 


ફોટો જોઈ પિતાના ચહેરા પર જોવા મળી સ્માઈલ 

પિતાને ખબર ન હતી કે તેમનો ફોટો ક્લીક કરવામાં આવી રહ્યો છે. જે બાદ ફોટોગ્રાફરે તેમને તેમની તસવીર બતાવી. અને ફોટો જોઈને તે ખુબ ખુશ થઈ ગયા હતા. તેમની સ્માઈલે લોકોનું દિલ જીતી લીધું હતું. આ ફોટો સક્ષમ સોની નામના ફોટોગ્રાફર દ્વારા ક્લીક કરવામાં આવ્યો હતો. તે સિવાય પણ એક બીજો ફોટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.