ફોટોગ્રાફરે ક્લીક કરી અજાણ પિતા-દીકરીની એટલી પ્યારી તસવીર કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર


  • Published By :
  • Published Date : 2023-04-10 10:12:50

આપણે દિવસમાં અનેક લોકોને મળતા હોઈએ છીએ જે જાણે-અજાણે આપણને ખુશ કરી દેતા હોય છે. વાત નાની ભલે લાગતી હોય તો પણ સામે વાળી વ્યક્તિ માટે એ વાત ઘણી વખત મોટી સાબિત થઈ શકતી હોય છે. ત્યારે એક ફોટોગ્રાફરે એક વ્યક્તિની તસવીર ક્લીક કરી હતી. પોતાની દીકરી સાથે મસ્તી કરતા પિતાની તસવીર એક ફોટોગ્રાફરે ક્લીક કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


પિતા અને નાનકડી દીકરીની તસવીર થઈ રહી છે વાયરલ 

સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો અને ફોટો વાયરલ થતા હોય છે જે આપણા દિલને ખુશ કરી દેતા હોય છે. આપણે અનેક અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોઈએ છીએ. આપણે બઘા લોકોને યાદ નથી રાખતા પરંતુ થોડાક એવા લોકો પણ હોય છે જે આપણને થોડા જ સમયમાં અનેક ખુશીઓ આપી જતા હોય છે. તેવા વ્યક્તિઓને આપણે જીવનભર નથી ભૂલી શક્તા. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફોટોગ્રાફર દ્વારા ક્લીક કરવામાં આવેલી તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક પિતા અને તેમની નાનકડી દીકરી સાથે મસ્તી કરતા દેખાય છે.  


કેમેરામાં કેદ થઈ પિતા-દીકરીની ક્યુટ મુમેન્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પિતા અને દીકરીની રીલ વાયરલ થઈ રહી છે જેમાં દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે. રિલમાં એક પિતા પોતાની નાની દીકરી સાથે જૂહુ બીચ પર ગણપતિ વિસર્જન ઉત્સવમાં ભાગ લેતા દેખાઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક ફોટોગ્રાફર તે બંનેની સુંદર તસવીર ક્લીક કરે છે. 


ફોટો જોઈ પિતાના ચહેરા પર જોવા મળી સ્માઈલ 

પિતાને ખબર ન હતી કે તેમનો ફોટો ક્લીક કરવામાં આવી રહ્યો છે. જે બાદ ફોટોગ્રાફરે તેમને તેમની તસવીર બતાવી. અને ફોટો જોઈને તે ખુબ ખુશ થઈ ગયા હતા. તેમની સ્માઈલે લોકોનું દિલ જીતી લીધું હતું. આ ફોટો સક્ષમ સોની નામના ફોટોગ્રાફર દ્વારા ક્લીક કરવામાં આવ્યો હતો. તે સિવાય પણ એક બીજો ફોટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.