બાળક ચોરીના આંતરરાજ્ય રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ! જાણો ક્યાંથી અને કેવી રીતે પોલીસે કરી આ મામલાની તપાસ?


  • Published By :
  • Published Date : 2023-08-05 18:57:09

રસ્તા પર ભીખ માગતા ભીખારી...  આ સાંભળીને અનેક લોકોના આંખોની સામે અનેક દ્રશ્યો સામે આવી જતા હોય છે. નાના બાળકો આપણી નજરોની સામે આવી જતા હોય છે. આપણામાંથી અનેક લોકો એવા પણ હશે જેમને બાળકોને જોઈ દયા આવી જતી હશે. દયા ખઈને બાળકોને આપણે પૈસા પણ આપી દેતા હોઈશું પરંતુ અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો, એવા સમાચારો સામે આવતા હોય છે કે ભીખ માગવા માટે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. બાળકોને બીજા રાજ્યોમાંથી ચોરી કરીને લાવવામાં આવે છે તેવો એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે.


બાળકો ઉઠાવતી ગેંગ હોવાની માહિતી મળી દાહોદ પોલીસને 

આપણે જ્યારે રસ્તા પર જતાં હોઈએ ત્યારે સિગ્નલ પર કોઈ બાળક ભીખ માંગતુ દેખાય ત્યારે એ બાળકોને જોઈને અનેક સવાલો થાય કે બાળકો કેમ રસ્તા પર ભીખ માગે છે? અનેક વાર એવા સમાચારો પણ સામે આવ્યા છે કે બાળકોને ભીખ માગવા, ચોરી કરવા માટે ટ્રેઈનીગ આપવામાં આવે છે. બીજા રાજ્યોમાંથી ચોરી કરીને બાળકોને લાવવામાં આવે છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળી હતી આ વાતના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ શરૂ કરી. 


બાળ તસ્કરીનો મામલો આવ્યો સામે 

પોલીસે તપાસ કરવા માટે બાળકો પર વોચ રાખી હતી અને તે દરમિયાન ગઈકાલે સાંજે એક દંપતી સાથે ત્રણ બાળકો જોવા મળ્યા હતા જેમાં એક બાળક તદ્દન જુદું લાગતું હતું. તે નેપાળી હોય તે પ્રકારનું નાનું બાળક હતું. જે દંપત્તીથી બિલકુલ અલગ લાગતું હોવાને કારણે પોલીસને શંકા ગઈ. અને તેના આધારે પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. પકડાયેલ નરેન્દ્ર રાવત મૂળ રાજસ્થાન સીકર જિલ્લાના છે અને સાથે રહેલી મહિલાનું નામ ગીતા ઉર્ફે નસીમા જાણવા મળ્યું હતું.


નેપાળી લાગતી બાળકીને જોતા પોલીસને થઈ શંકા  

વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાના પતિના અવસાન બાદ તે નરેન્દ્ર સાથે લીવ ઈનમાં રહેતી હતી.. નેપાળી પ્રકારની લાગતી બાળકીનું અઢી વર્ષ પહેલા દિલ્હીથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજો એક બાળક છે જે રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે તેમજ પોલીસે તેના પિતાનું નામ જાણી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે અન્ય એક બાળકીને તાજેતરમાં જ 27 જુલાઈએ રાજસ્થાનના રેલ્વે સ્ટેશન ઉપર તેના પિતાને દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી લીધો હતો અને બાળકીને લઈને નીકળી ગયા હતા. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બાળકીને લઈને જતું દંપતી નજરે પડે છે, આ દંપતીએ અન્ય કેટલા બાળકોની ઉઠાંતરી કરી છે, વેચાણ કર્યું હોય તેમજ અન્ય કોણ કોણ છે સામેલ તે તમામ દિશા માં તપાસ હાથ ધરી છે.


અમદાવાદ આવે તે પહેલા પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ 

એટલું જ નહીં આ બંને મહિલા અને પુરુષ કોઈપણ એક જગ્યાએ સ્થાયી નહોતા થતાં દેશભરમાં અલગ અલગ શહેરોમાં જઈને બાળકોની વોચ રાખતા. એકલું બાળક મળી જાય અથવા કોઈ દારૂ પિનાર ઈસમ પાસે બાળક જોવાય તો તેને સારું પીવડાવી નશામાં રાખી બાળકને ઉપાડી લેતા અને અલગ શહેરોમાં ફરતા રહેતા. જ્યાં બાળકો પાસે ભીખ મંગાવતા દાહોદથી  અમદાવાદ જવાની તૈયારીમાં હતા તે દરમિયાન જ દાહોદ પોલીસે ઝડપી લીધા હતા.  


ક્યાં સુધી પોતોના ફાયદા માટે બાળકોનો કરાશે ઉપયોગ 

આવી ઘટનાઓ સામે આવ્યા પછી કેટલા બધા સવાલ ઊભા થાય કે સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? લોકો પાસે પૈસા નથી તો ચોરી કરાવડાવે  છે, ચોરી કરાવડાવે છે અને બાળકો સાથે ભીખ મંગાવે છે. આ તો હદ કે લોકો હ્યૂમન ટ્રાફિકિંગ કરીને બાળકોને ટાર્ગેટ કરી એમને આ ધંધામાં નાખે છે એટલે હવે ભીખ માંગવાનો એક મોટો ધંધો બની ગયો છે. આવા લોકોને પકડીને કાર્યવાહી કરવી હવે જરૂરી બની છે. આના પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો બાળકોની ચોરી કરતાં હોય છે ક્યારેક પોતાના ફાયદાના માટે તો ક્યારેક ધંધો કરાવવા માટે!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.