બાળક ચોરીના આંતરરાજ્ય રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ! જાણો ક્યાંથી અને કેવી રીતે પોલીસે કરી આ મામલાની તપાસ?


  • Published By :
  • Published Date : 2023-08-05 18:57:09

રસ્તા પર ભીખ માગતા ભીખારી...  આ સાંભળીને અનેક લોકોના આંખોની સામે અનેક દ્રશ્યો સામે આવી જતા હોય છે. નાના બાળકો આપણી નજરોની સામે આવી જતા હોય છે. આપણામાંથી અનેક લોકો એવા પણ હશે જેમને બાળકોને જોઈ દયા આવી જતી હશે. દયા ખઈને બાળકોને આપણે પૈસા પણ આપી દેતા હોઈશું પરંતુ અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો, એવા સમાચારો સામે આવતા હોય છે કે ભીખ માગવા માટે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. બાળકોને બીજા રાજ્યોમાંથી ચોરી કરીને લાવવામાં આવે છે તેવો એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે.


બાળકો ઉઠાવતી ગેંગ હોવાની માહિતી મળી દાહોદ પોલીસને 

આપણે જ્યારે રસ્તા પર જતાં હોઈએ ત્યારે સિગ્નલ પર કોઈ બાળક ભીખ માંગતુ દેખાય ત્યારે એ બાળકોને જોઈને અનેક સવાલો થાય કે બાળકો કેમ રસ્તા પર ભીખ માગે છે? અનેક વાર એવા સમાચારો પણ સામે આવ્યા છે કે બાળકોને ભીખ માગવા, ચોરી કરવા માટે ટ્રેઈનીગ આપવામાં આવે છે. બીજા રાજ્યોમાંથી ચોરી કરીને બાળકોને લાવવામાં આવે છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળી હતી આ વાતના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ શરૂ કરી. 


બાળ તસ્કરીનો મામલો આવ્યો સામે 

પોલીસે તપાસ કરવા માટે બાળકો પર વોચ રાખી હતી અને તે દરમિયાન ગઈકાલે સાંજે એક દંપતી સાથે ત્રણ બાળકો જોવા મળ્યા હતા જેમાં એક બાળક તદ્દન જુદું લાગતું હતું. તે નેપાળી હોય તે પ્રકારનું નાનું બાળક હતું. જે દંપત્તીથી બિલકુલ અલગ લાગતું હોવાને કારણે પોલીસને શંકા ગઈ. અને તેના આધારે પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. પકડાયેલ નરેન્દ્ર રાવત મૂળ રાજસ્થાન સીકર જિલ્લાના છે અને સાથે રહેલી મહિલાનું નામ ગીતા ઉર્ફે નસીમા જાણવા મળ્યું હતું.


નેપાળી લાગતી બાળકીને જોતા પોલીસને થઈ શંકા  

વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાના પતિના અવસાન બાદ તે નરેન્દ્ર સાથે લીવ ઈનમાં રહેતી હતી.. નેપાળી પ્રકારની લાગતી બાળકીનું અઢી વર્ષ પહેલા દિલ્હીથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજો એક બાળક છે જે રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે તેમજ પોલીસે તેના પિતાનું નામ જાણી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે અન્ય એક બાળકીને તાજેતરમાં જ 27 જુલાઈએ રાજસ્થાનના રેલ્વે સ્ટેશન ઉપર તેના પિતાને દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી લીધો હતો અને બાળકીને લઈને નીકળી ગયા હતા. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બાળકીને લઈને જતું દંપતી નજરે પડે છે, આ દંપતીએ અન્ય કેટલા બાળકોની ઉઠાંતરી કરી છે, વેચાણ કર્યું હોય તેમજ અન્ય કોણ કોણ છે સામેલ તે તમામ દિશા માં તપાસ હાથ ધરી છે.


અમદાવાદ આવે તે પહેલા પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ 

એટલું જ નહીં આ બંને મહિલા અને પુરુષ કોઈપણ એક જગ્યાએ સ્થાયી નહોતા થતાં દેશભરમાં અલગ અલગ શહેરોમાં જઈને બાળકોની વોચ રાખતા. એકલું બાળક મળી જાય અથવા કોઈ દારૂ પિનાર ઈસમ પાસે બાળક જોવાય તો તેને સારું પીવડાવી નશામાં રાખી બાળકને ઉપાડી લેતા અને અલગ શહેરોમાં ફરતા રહેતા. જ્યાં બાળકો પાસે ભીખ મંગાવતા દાહોદથી  અમદાવાદ જવાની તૈયારીમાં હતા તે દરમિયાન જ દાહોદ પોલીસે ઝડપી લીધા હતા.  


ક્યાં સુધી પોતોના ફાયદા માટે બાળકોનો કરાશે ઉપયોગ 

આવી ઘટનાઓ સામે આવ્યા પછી કેટલા બધા સવાલ ઊભા થાય કે સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? લોકો પાસે પૈસા નથી તો ચોરી કરાવડાવે  છે, ચોરી કરાવડાવે છે અને બાળકો સાથે ભીખ મંગાવે છે. આ તો હદ કે લોકો હ્યૂમન ટ્રાફિકિંગ કરીને બાળકોને ટાર્ગેટ કરી એમને આ ધંધામાં નાખે છે એટલે હવે ભીખ માંગવાનો એક મોટો ધંધો બની ગયો છે. આવા લોકોને પકડીને કાર્યવાહી કરવી હવે જરૂરી બની છે. આના પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો બાળકોની ચોરી કરતાં હોય છે ક્યારેક પોતાના ફાયદાના માટે તો ક્યારેક ધંધો કરાવવા માટે!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.