પોલીસે કર્યું અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર


  • Published By :
  • Published Date : 2023-04-13 15:14:47

ઉત્તરપ્રદેશ પોલીસે અતીકના પુત્ર અસદ અહેમદનું અને શૂટર ગુલામ મોહમ્મદનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. ઉમેશપાલ હત્યાની ઘટના બન્યા બાદ તેઓ ફરાર હતા. ઝાંસી ખાતે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. આ બંને પર પાંચ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા.

  

ઝાંસી નજીક બંનેનું કરાયું એન્કાઉન્ટર   

એક તરફ અતીક અહેમદને અમદાવાદથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અતીકને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો.  આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા કે અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. તેની સાથે શૂટર ગુલામ મોહમ્મદનું પણ એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીએ જ્યારે ઉમેશ પાલની હત્યા થઈ હતી ત્યારથી બંને ફરાર હતા.બંનેની શોધખોળ કરવામાં આવી રહી હતી. એસટીએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમનું લોકેશન ઝાંસી ટ્રેસ થયું હતું.  


એસટીએફની ટીમ દ્વારા કરાયું એન્કાઉન્ટર

જે બાદ ઝાંસીમાં બંનેને ઘેરી લેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન અસદ અને ગુલામ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ એસટીએફની ટીમ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંનેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઉપરાંત બંને પાસેથી વિદેશમાં બનેલા હથિયારો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે આજે પ્રયાગરાજ કોર્ટમાં અતીકની સુનાવણી છે. અમદાવાદની સાબરમતી જેલથી અતીકને ઉત્તરપ્રદેશ લાવવામાં આવ્યો હતો.      



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.