પોલીસે કર્યું અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર


  • Published By :
  • Published Date : 2023-04-13 15:14:47

ઉત્તરપ્રદેશ પોલીસે અતીકના પુત્ર અસદ અહેમદનું અને શૂટર ગુલામ મોહમ્મદનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. ઉમેશપાલ હત્યાની ઘટના બન્યા બાદ તેઓ ફરાર હતા. ઝાંસી ખાતે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. આ બંને પર પાંચ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા.

  

ઝાંસી નજીક બંનેનું કરાયું એન્કાઉન્ટર   

એક તરફ અતીક અહેમદને અમદાવાદથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અતીકને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો.  આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા કે અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. તેની સાથે શૂટર ગુલામ મોહમ્મદનું પણ એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીએ જ્યારે ઉમેશ પાલની હત્યા થઈ હતી ત્યારથી બંને ફરાર હતા.બંનેની શોધખોળ કરવામાં આવી રહી હતી. એસટીએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમનું લોકેશન ઝાંસી ટ્રેસ થયું હતું.  


એસટીએફની ટીમ દ્વારા કરાયું એન્કાઉન્ટર

જે બાદ ઝાંસીમાં બંનેને ઘેરી લેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન અસદ અને ગુલામ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ એસટીએફની ટીમ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંનેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઉપરાંત બંને પાસેથી વિદેશમાં બનેલા હથિયારો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે આજે પ્રયાગરાજ કોર્ટમાં અતીકની સુનાવણી છે. અમદાવાદની સાબરમતી જેલથી અતીકને ઉત્તરપ્રદેશ લાવવામાં આવ્યો હતો.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.