રસ્તા પર પડતા ખાડા સત્તાધારી પક્ષને નથી દેખાતા? સાંભળો શું કહ્યું ભાજપના પ્રવક્તાએ જ્યારે દેવાંશી જોશીએ પૂછ્યો આ અંગે પ્રશ્ન?


  • Published By :
  • Published Date : 2023-07-11 16:12:15

અમદાવાદના રસ્તાઓ પોતાની ગુણવત્તાને કારણે એમ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ દર વખતની જેમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદમાં પણ અનેક રસ્તાઓ પર ભૂવાઓ તેમજ ખાડાઓ જોવા મળતા હોય છે. રસ્તા પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ રસ્તા પર પડેલા ખાડા જાણે સત્તાધારી પક્ષને દેખાતા નથી તેવું લાગે છે. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જ્યારે દેવાંશી જોષીએ ડિબેટમાં રસ્તાને લઈ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે નાના બાળકોના ગાલ જેવા રસ્તા છે.

રસ્તાઓ સ્માર્ટ સિટીના દાવાને ખોટા સાબિત કરે છે

ગુજરાતમાં મેહુલો વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતું હોય છે પરંતુ સામાન્ય વરસાદને કારણે પણ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. અમદાવાદને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો તો મળી ગયો પરંતુ અમદવાદના રસ્તાઓ તે દાવાને પોકળ સાબિત કરી દે છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ભૂવાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ વાહનચાલકોના શરીરને પણ નુકસાન પહોંચે છે.


ભાજપના પ્રવક્તાએ કહ્યું 'નાના બાળકોના ગાલ જેવા રોડ છે'

રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં પડેલા ખાડામાં ગાડીનો ગરકાવ થઈ જાય છે. નવા રસ્તાઓ પર પણ ભૂવા પડવાનો સિલસિયો જોવા મળે છે. સરકાર ખાડાનો કોઈ ઉકેલ લાવે તેવી માગ વાહનચાલકો કરી રહ્યા છે. લોકોને તો ખાડા દેખાય છે પરંતુ જ્યારે સરકારના પ્રતિનિધિને આ અંગે પૂછવામાં આવે છે ત્યારે તેમને જાણે ખાડા દેખાતા જ ન હોય તેવી વાતો કરે છે. ડિબેટમાં જ્યારે દેવાંશી જોશીએ આ મામલો ભાજપના પ્રતિનિધિને પૂછ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સરકારે આખા રાજ્યમાં નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. ત્યારે રસ્તા પર પડતા ખાડા અને શૈલેષ પરમારના જવાબ પર તમે શું પ્રતિક્રિયા આપશો?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.