રસ્તા પર પડતા ખાડા સત્તાધારી પક્ષને નથી દેખાતા? સાંભળો શું કહ્યું ભાજપના પ્રવક્તાએ જ્યારે દેવાંશી જોશીએ પૂછ્યો આ અંગે પ્રશ્ન?


  • Published By :
  • Published Date : 2023-07-11 16:12:15

અમદાવાદના રસ્તાઓ પોતાની ગુણવત્તાને કારણે એમ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ દર વખતની જેમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદમાં પણ અનેક રસ્તાઓ પર ભૂવાઓ તેમજ ખાડાઓ જોવા મળતા હોય છે. રસ્તા પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ રસ્તા પર પડેલા ખાડા જાણે સત્તાધારી પક્ષને દેખાતા નથી તેવું લાગે છે. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જ્યારે દેવાંશી જોષીએ ડિબેટમાં રસ્તાને લઈ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે નાના બાળકોના ગાલ જેવા રસ્તા છે.

રસ્તાઓ સ્માર્ટ સિટીના દાવાને ખોટા સાબિત કરે છે

ગુજરાતમાં મેહુલો વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતું હોય છે પરંતુ સામાન્ય વરસાદને કારણે પણ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. અમદાવાદને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો તો મળી ગયો પરંતુ અમદવાદના રસ્તાઓ તે દાવાને પોકળ સાબિત કરી દે છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ભૂવાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ વાહનચાલકોના શરીરને પણ નુકસાન પહોંચે છે.


ભાજપના પ્રવક્તાએ કહ્યું 'નાના બાળકોના ગાલ જેવા રોડ છે'

રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં પડેલા ખાડામાં ગાડીનો ગરકાવ થઈ જાય છે. નવા રસ્તાઓ પર પણ ભૂવા પડવાનો સિલસિયો જોવા મળે છે. સરકાર ખાડાનો કોઈ ઉકેલ લાવે તેવી માગ વાહનચાલકો કરી રહ્યા છે. લોકોને તો ખાડા દેખાય છે પરંતુ જ્યારે સરકારના પ્રતિનિધિને આ અંગે પૂછવામાં આવે છે ત્યારે તેમને જાણે ખાડા દેખાતા જ ન હોય તેવી વાતો કરે છે. ડિબેટમાં જ્યારે દેવાંશી જોશીએ આ મામલો ભાજપના પ્રતિનિધિને પૂછ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સરકારે આખા રાજ્યમાં નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. ત્યારે રસ્તા પર પડતા ખાડા અને શૈલેષ પરમારના જવાબ પર તમે શું પ્રતિક્રિયા આપશો?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.