રસ્તા પર પડતા ખાડા સત્તાધારી પક્ષને નથી દેખાતા? સાંભળો શું કહ્યું ભાજપના પ્રવક્તાએ જ્યારે દેવાંશી જોશીએ પૂછ્યો આ અંગે પ્રશ્ન?


  • Published By :
  • Published Date : 2023-07-11 16:12:15

અમદાવાદના રસ્તાઓ પોતાની ગુણવત્તાને કારણે એમ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ દર વખતની જેમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદમાં પણ અનેક રસ્તાઓ પર ભૂવાઓ તેમજ ખાડાઓ જોવા મળતા હોય છે. રસ્તા પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ રસ્તા પર પડેલા ખાડા જાણે સત્તાધારી પક્ષને દેખાતા નથી તેવું લાગે છે. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જ્યારે દેવાંશી જોષીએ ડિબેટમાં રસ્તાને લઈ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે નાના બાળકોના ગાલ જેવા રસ્તા છે.

રસ્તાઓ સ્માર્ટ સિટીના દાવાને ખોટા સાબિત કરે છે

ગુજરાતમાં મેહુલો વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતું હોય છે પરંતુ સામાન્ય વરસાદને કારણે પણ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. અમદાવાદને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો તો મળી ગયો પરંતુ અમદવાદના રસ્તાઓ તે દાવાને પોકળ સાબિત કરી દે છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ભૂવાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ વાહનચાલકોના શરીરને પણ નુકસાન પહોંચે છે.


ભાજપના પ્રવક્તાએ કહ્યું 'નાના બાળકોના ગાલ જેવા રોડ છે'

રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં પડેલા ખાડામાં ગાડીનો ગરકાવ થઈ જાય છે. નવા રસ્તાઓ પર પણ ભૂવા પડવાનો સિલસિયો જોવા મળે છે. સરકાર ખાડાનો કોઈ ઉકેલ લાવે તેવી માગ વાહનચાલકો કરી રહ્યા છે. લોકોને તો ખાડા દેખાય છે પરંતુ જ્યારે સરકારના પ્રતિનિધિને આ અંગે પૂછવામાં આવે છે ત્યારે તેમને જાણે ખાડા દેખાતા જ ન હોય તેવી વાતો કરે છે. ડિબેટમાં જ્યારે દેવાંશી જોશીએ આ મામલો ભાજપના પ્રતિનિધિને પૂછ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સરકારે આખા રાજ્યમાં નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. ત્યારે રસ્તા પર પડતા ખાડા અને શૈલેષ પરમારના જવાબ પર તમે શું પ્રતિક્રિયા આપશો?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.