ચોમાસાની શરૂઆત થતાં જ વધ્યા શાકભાજીના ભાવ, ટામેટા બાદ આ શાકભાજીના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:08:43

દિવસેને દિવસે મોંઘવારીનું સ્તર વધતું જઈ રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 100 રૂપિયાને પાર તેનો ભાવ પહોંચી ગયો છે. તો બીજા લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોથમિર, ભીંડા, કેપ્સિકમ જેવા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. કોઈ શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કોઈ શાકભાજીના ભાવ અઢીગણા થઈ ગયા છે.


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. બિપોરજોય વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર દેખાઈ હતી. ચોમાસાનું આગમન ગયા વર્ષ કરતા આ વર્ષે મોડું થયું છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે બાદ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. બજારમાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. તે સિવાય અનેક શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળાના સમય દરમિયાન લીંબુના ભાવમાં વધારો થયો હતો. આદુના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. ત્યારે શાકભાજીના ભાવ વધવાથી સામાન્ય પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.


આ શાકભાજીના ભાવમાં પણ થયો વધારો

એક સમયે ટામેટા એકદમ ઓછા ભાવમાં મળતા હતા. ખેડૂતોને પોષણસમા ભાવ પણ મળ્યા ન હતા. જેને લઈ અનેક ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ઉપરાંત મોડા આવી રહેલા વરસાદને પણ ભાવ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત નિકાસ ઘટવાને કારણે પણ ભાવમાં ભડકો થયો છે. ટામેટાની સાથે આદુ,દૂધી,તૂરિયા, ગાજર, લીલા મરચા, ગવારના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.