ચોમાસાની શરૂઆત થતાં જ વધ્યા શાકભાજીના ભાવ, ટામેટા બાદ આ શાકભાજીના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:08:43

દિવસેને દિવસે મોંઘવારીનું સ્તર વધતું જઈ રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 100 રૂપિયાને પાર તેનો ભાવ પહોંચી ગયો છે. તો બીજા લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોથમિર, ભીંડા, કેપ્સિકમ જેવા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. કોઈ શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કોઈ શાકભાજીના ભાવ અઢીગણા થઈ ગયા છે.


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. બિપોરજોય વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર દેખાઈ હતી. ચોમાસાનું આગમન ગયા વર્ષ કરતા આ વર્ષે મોડું થયું છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે બાદ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. બજારમાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. તે સિવાય અનેક શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળાના સમય દરમિયાન લીંબુના ભાવમાં વધારો થયો હતો. આદુના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. ત્યારે શાકભાજીના ભાવ વધવાથી સામાન્ય પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.


આ શાકભાજીના ભાવમાં પણ થયો વધારો

એક સમયે ટામેટા એકદમ ઓછા ભાવમાં મળતા હતા. ખેડૂતોને પોષણસમા ભાવ પણ મળ્યા ન હતા. જેને લઈ અનેક ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ઉપરાંત મોડા આવી રહેલા વરસાદને પણ ભાવ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત નિકાસ ઘટવાને કારણે પણ ભાવમાં ભડકો થયો છે. ટામેટાની સાથે આદુ,દૂધી,તૂરિયા, ગાજર, લીલા મરચા, ગવારના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.