ચોમાસાની શરૂઆત થતાં જ વધ્યા શાકભાજીના ભાવ, ટામેટા બાદ આ શાકભાજીના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:08:43

દિવસેને દિવસે મોંઘવારીનું સ્તર વધતું જઈ રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 100 રૂપિયાને પાર તેનો ભાવ પહોંચી ગયો છે. તો બીજા લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોથમિર, ભીંડા, કેપ્સિકમ જેવા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. કોઈ શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કોઈ શાકભાજીના ભાવ અઢીગણા થઈ ગયા છે.


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. બિપોરજોય વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર દેખાઈ હતી. ચોમાસાનું આગમન ગયા વર્ષ કરતા આ વર્ષે મોડું થયું છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે બાદ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. બજારમાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. તે સિવાય અનેક શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળાના સમય દરમિયાન લીંબુના ભાવમાં વધારો થયો હતો. આદુના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. ત્યારે શાકભાજીના ભાવ વધવાથી સામાન્ય પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.


આ શાકભાજીના ભાવમાં પણ થયો વધારો

એક સમયે ટામેટા એકદમ ઓછા ભાવમાં મળતા હતા. ખેડૂતોને પોષણસમા ભાવ પણ મળ્યા ન હતા. જેને લઈ અનેક ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ઉપરાંત મોડા આવી રહેલા વરસાદને પણ ભાવ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત નિકાસ ઘટવાને કારણે પણ ભાવમાં ભડકો થયો છે. ટામેટાની સાથે આદુ,દૂધી,તૂરિયા, ગાજર, લીલા મરચા, ગવારના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.