ચોમાસાની શરૂઆત થતાં જ વધ્યા શાકભાજીના ભાવ, ટામેટા બાદ આ શાકભાજીના ભાવમાં થયો ભડકો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:08:43

દિવસેને દિવસે મોંઘવારીનું સ્તર વધતું જઈ રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 100 રૂપિયાને પાર તેનો ભાવ પહોંચી ગયો છે. તો બીજા લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોથમિર, ભીંડા, કેપ્સિકમ જેવા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. કોઈ શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કોઈ શાકભાજીના ભાવ અઢીગણા થઈ ગયા છે.


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. બિપોરજોય વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર દેખાઈ હતી. ચોમાસાનું આગમન ગયા વર્ષ કરતા આ વર્ષે મોડું થયું છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે બાદ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. બજારમાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. તે સિવાય અનેક શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળાના સમય દરમિયાન લીંબુના ભાવમાં વધારો થયો હતો. આદુના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. ત્યારે શાકભાજીના ભાવ વધવાથી સામાન્ય પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.


આ શાકભાજીના ભાવમાં પણ થયો વધારો

એક સમયે ટામેટા એકદમ ઓછા ભાવમાં મળતા હતા. ખેડૂતોને પોષણસમા ભાવ પણ મળ્યા ન હતા. જેને લઈ અનેક ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ઉપરાંત મોડા આવી રહેલા વરસાદને પણ ભાવ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત નિકાસ ઘટવાને કારણે પણ ભાવમાં ભડકો થયો છે. ટામેટાની સાથે આદુ,દૂધી,તૂરિયા, ગાજર, લીલા મરચા, ગવારના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.