ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-03-08 11:08:11

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચ રમાતી હશે તે દરમિયાન બંને દેશોના વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હશે અને કદાચ બંને વડાપ્રધાન કોમેન્ટરી કરતા પણ દેખાઈ શકે છે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવવાના છે.  


આજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત 

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી માર્ચે રાત્રીના સમય ગુજરાત આવી શકે છે. પીએમ મોદી 10 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશે. રાત્રી રોકાણ પીએમ ગવર્નર હાઉસ ખાતે કરવાના છે. ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આઠમી તારીખે અમદાવાદ પહોંચી શકે છે. 9 માર્ચે ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને મેચ નિહાળશે. લગભગ બે કલાક સુધી બંને દેશના વડાપ્રધાન મેચ જોઈ શકે છે. 


અનેક સ્થળોની ઓસ્ટ્રેલિયાના પીએમ લેશે મુલાકાત 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ચાર દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જે બાદ રાજભવનની મુલાકાત લેવાના છે. પ્રવાસના બીજા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને નિહાળી શકે છે. જે બાદ મુંબઈ જવા રવાના થશે અને રાત્રે દિલ્હી ખાતે પહોંચી જશે. પ્રવાસના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે જ્યાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હાજર રહેશે. 


મેટ્રોના સમયમાં કરાયો છે ફેરફાર 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને લઈ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. મેટ્રોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. 9 થી 13 માર્ચ સુધી ચાલનાર આ મેચને પગલે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ઉપરાંત વધારે સુવિધા મળી રહે તે માટે 12 મિનીટના અંતરે મેટ્રો ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.        







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.