ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-03-08 11:08:11

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચ રમાતી હશે તે દરમિયાન બંને દેશોના વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હશે અને કદાચ બંને વડાપ્રધાન કોમેન્ટરી કરતા પણ દેખાઈ શકે છે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવવાના છે.  


આજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત 

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી માર્ચે રાત્રીના સમય ગુજરાત આવી શકે છે. પીએમ મોદી 10 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશે. રાત્રી રોકાણ પીએમ ગવર્નર હાઉસ ખાતે કરવાના છે. ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આઠમી તારીખે અમદાવાદ પહોંચી શકે છે. 9 માર્ચે ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને મેચ નિહાળશે. લગભગ બે કલાક સુધી બંને દેશના વડાપ્રધાન મેચ જોઈ શકે છે. 


અનેક સ્થળોની ઓસ્ટ્રેલિયાના પીએમ લેશે મુલાકાત 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ચાર દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જે બાદ રાજભવનની મુલાકાત લેવાના છે. પ્રવાસના બીજા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને નિહાળી શકે છે. જે બાદ મુંબઈ જવા રવાના થશે અને રાત્રે દિલ્હી ખાતે પહોંચી જશે. પ્રવાસના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે જ્યાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હાજર રહેશે. 


મેટ્રોના સમયમાં કરાયો છે ફેરફાર 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને લઈ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. મેટ્રોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. 9 થી 13 માર્ચ સુધી ચાલનાર આ મેચને પગલે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ઉપરાંત વધારે સુવિધા મળી રહે તે માટે 12 મિનીટના અંતરે મેટ્રો ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.        







અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.