ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-03-08 11:08:11

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચ રમાતી હશે તે દરમિયાન બંને દેશોના વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હશે અને કદાચ બંને વડાપ્રધાન કોમેન્ટરી કરતા પણ દેખાઈ શકે છે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવવાના છે.  


આજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત 

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી માર્ચે રાત્રીના સમય ગુજરાત આવી શકે છે. પીએમ મોદી 10 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશે. રાત્રી રોકાણ પીએમ ગવર્નર હાઉસ ખાતે કરવાના છે. ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આઠમી તારીખે અમદાવાદ પહોંચી શકે છે. 9 માર્ચે ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને મેચ નિહાળશે. લગભગ બે કલાક સુધી બંને દેશના વડાપ્રધાન મેચ જોઈ શકે છે. 


અનેક સ્થળોની ઓસ્ટ્રેલિયાના પીએમ લેશે મુલાકાત 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ચાર દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જે બાદ રાજભવનની મુલાકાત લેવાના છે. પ્રવાસના બીજા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને નિહાળી શકે છે. જે બાદ મુંબઈ જવા રવાના થશે અને રાત્રે દિલ્હી ખાતે પહોંચી જશે. પ્રવાસના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે જ્યાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હાજર રહેશે. 


મેટ્રોના સમયમાં કરાયો છે ફેરફાર 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને લઈ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. મેટ્રોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. 9 થી 13 માર્ચ સુધી ચાલનાર આ મેચને પગલે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ઉપરાંત વધારે સુવિધા મળી રહે તે માટે 12 મિનીટના અંતરે મેટ્રો ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.        







રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.