આવતી કાલથી વડાપ્રધાન આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:49:39

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.ત્યારે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની મુલાકાતને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરથી માદરે વતન આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ ગુજરાતને અનેક વિકાસની ભેટો આપવાના છે. પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણાના મોઢેરા ખાતે 3900 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે. સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો થશે. તે બાદ મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને મોઢેરા પાસે સભાને સંબોધવાના છે. 

Modhera Sun Temple Gujarat: History + Architecture + Travel Tips You'll Love

પ્રવાસના બીજા દિવસે ભરૂચ ખાતે બનનારુ જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમૂહુર્ત કરવાના છે. જે બાદ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે જનસભાને સંબોધવાના છે. જે બાદ જામનગર જઈ અનેક વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણામાં જનસભા સંબોધશે તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભાષણ આપશે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .