આવતી કાલથી વડાપ્રધાન આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:49:39

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.ત્યારે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની મુલાકાતને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરથી માદરે વતન આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ ગુજરાતને અનેક વિકાસની ભેટો આપવાના છે. પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણાના મોઢેરા ખાતે 3900 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે. સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો થશે. તે બાદ મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને મોઢેરા પાસે સભાને સંબોધવાના છે. 

Modhera Sun Temple Gujarat: History + Architecture + Travel Tips You'll Love

પ્રવાસના બીજા દિવસે ભરૂચ ખાતે બનનારુ જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમૂહુર્ત કરવાના છે. જે બાદ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે જનસભાને સંબોધવાના છે. જે બાદ જામનગર જઈ અનેક વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણામાં જનસભા સંબોધશે તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભાષણ આપશે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે