આવતી કાલથી વડાપ્રધાન આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:49:39

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.ત્યારે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની મુલાકાતને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરથી માદરે વતન આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ ગુજરાતને અનેક વિકાસની ભેટો આપવાના છે. પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણાના મોઢેરા ખાતે 3900 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે. સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો થશે. તે બાદ મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને મોઢેરા પાસે સભાને સંબોધવાના છે. 

Modhera Sun Temple Gujarat: History + Architecture + Travel Tips You'll Love

પ્રવાસના બીજા દિવસે ભરૂચ ખાતે બનનારુ જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમૂહુર્ત કરવાના છે. જે બાદ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે જનસભાને સંબોધવાના છે. જે બાદ જામનગર જઈ અનેક વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણામાં જનસભા સંબોધશે તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભાષણ આપશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.