રખડતા ઢોરનો પ્રશ્ન ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્ન બન્યો, પ્રશ્નપત્રમાં મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવાનું કહેવાયું


  • Published By :
  • Published Date : 2023-03-15 09:53:40

રખડતાં ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં રખડતાં ઢોરને લઈ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈંગ્લિશ મીડિયમના પેપરમાં લેટર રાઈટિંગમાં રખડતાં પશુ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કેવી રીતે પત્ર લખી રજૂઆત કરશો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


વિદ્યાર્થીઓ માટે પણ રખડતા ઢોરનો મુદ્દો એક પ્રશ્ન બન્યો    

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ભાષાના પેપરો હતા. ત્યારે ગુજરાતીના પેપરમાં મોબાઈલના લાભાલાભ, હિંદી ભાષામાં ગ્લોબલ વોર્મિગ સહિત અનેક મુદ્દાઓ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પત્ર લેખનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે આજની ગંભીર પરિસ્થિતિને દર્શાવતા હોય તેવો હતો.વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે શહેરમાં રખડતાં ઢોરને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી કેવી રજૂઆત કરશો તેવું પૂછવામાં આવ્યો હતો. 


રખડતા ઢોરને લઈ પત્ર લખવાનો આવ્યો પ્રશ્ન

દિવસેને દિવસે રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. અનેક વખત નિર્દોષ લોકો રખડતાં પશુના હુમલાનો ભોગ બનતા હોય છે. હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્તો હોય છે. ત્યારે વધતા રખડતા પશુઓના ત્રાસની અસર બોર્ડના પેપરમાં પણ દેખાઈ હતી. પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં રખડતાં પશુઓના ત્રાસને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવામાં કહેવામાં આવ્યું હતું, રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિવસેને દિવસે રખડતા પશુનો ત્રાસ પણ જોવા મળતો હોય છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આ રખડતા ઢોરનો મુદ્દો પ્રશ્ન બનીને આવ્યો હતો.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.