રખડતા ઢોરનો પ્રશ્ન ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્ન બન્યો, પ્રશ્નપત્રમાં મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવાનું કહેવાયું


  • Published By :
  • Published Date : 2023-03-15 09:53:40

રખડતાં ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં રખડતાં ઢોરને લઈ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈંગ્લિશ મીડિયમના પેપરમાં લેટર રાઈટિંગમાં રખડતાં પશુ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કેવી રીતે પત્ર લખી રજૂઆત કરશો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


વિદ્યાર્થીઓ માટે પણ રખડતા ઢોરનો મુદ્દો એક પ્રશ્ન બન્યો    

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ભાષાના પેપરો હતા. ત્યારે ગુજરાતીના પેપરમાં મોબાઈલના લાભાલાભ, હિંદી ભાષામાં ગ્લોબલ વોર્મિગ સહિત અનેક મુદ્દાઓ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પત્ર લેખનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે આજની ગંભીર પરિસ્થિતિને દર્શાવતા હોય તેવો હતો.વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે શહેરમાં રખડતાં ઢોરને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી કેવી રજૂઆત કરશો તેવું પૂછવામાં આવ્યો હતો. 


રખડતા ઢોરને લઈ પત્ર લખવાનો આવ્યો પ્રશ્ન

દિવસેને દિવસે રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. અનેક વખત નિર્દોષ લોકો રખડતાં પશુના હુમલાનો ભોગ બનતા હોય છે. હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્તો હોય છે. ત્યારે વધતા રખડતા પશુઓના ત્રાસની અસર બોર્ડના પેપરમાં પણ દેખાઈ હતી. પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં રખડતાં પશુઓના ત્રાસને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવામાં કહેવામાં આવ્યું હતું, રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિવસેને દિવસે રખડતા પશુનો ત્રાસ પણ જોવા મળતો હોય છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આ રખડતા ઢોરનો મુદ્દો પ્રશ્ન બનીને આવ્યો હતો.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.