રખડતા ઢોરનો પ્રશ્ન ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્ન બન્યો, પ્રશ્નપત્રમાં મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવાનું કહેવાયું


  • Published By :
  • Published Date : 2023-03-15 09:53:40

રખડતાં ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં રખડતાં ઢોરને લઈ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈંગ્લિશ મીડિયમના પેપરમાં લેટર રાઈટિંગમાં રખડતાં પશુ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કેવી રીતે પત્ર લખી રજૂઆત કરશો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


વિદ્યાર્થીઓ માટે પણ રખડતા ઢોરનો મુદ્દો એક પ્રશ્ન બન્યો    

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ભાષાના પેપરો હતા. ત્યારે ગુજરાતીના પેપરમાં મોબાઈલના લાભાલાભ, હિંદી ભાષામાં ગ્લોબલ વોર્મિગ સહિત અનેક મુદ્દાઓ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પત્ર લેખનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે આજની ગંભીર પરિસ્થિતિને દર્શાવતા હોય તેવો હતો.વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે શહેરમાં રખડતાં ઢોરને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી કેવી રજૂઆત કરશો તેવું પૂછવામાં આવ્યો હતો. 


રખડતા ઢોરને લઈ પત્ર લખવાનો આવ્યો પ્રશ્ન

દિવસેને દિવસે રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. અનેક વખત નિર્દોષ લોકો રખડતાં પશુના હુમલાનો ભોગ બનતા હોય છે. હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્તો હોય છે. ત્યારે વધતા રખડતા પશુઓના ત્રાસની અસર બોર્ડના પેપરમાં પણ દેખાઈ હતી. પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં રખડતાં પશુઓના ત્રાસને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવામાં કહેવામાં આવ્યું હતું, રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિવસેને દિવસે રખડતા પશુનો ત્રાસ પણ જોવા મળતો હોય છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આ રખડતા ઢોરનો મુદ્દો પ્રશ્ન બનીને આવ્યો હતો.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.