હેં... થોડા દિવસો બાદ વરસાદ ગાયબ થઈ જશે! જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-30 16:42:16

અષાઢ મહિના માટે કહેવાય છે કે અષાઢમાં અનરાધાર. ગુજરાતમાં પણ ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન અનેક એવા નયનરમ્યો દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ હાલ વરસાદ વરસી રહ્યો છે. બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. પરંતુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવનાર બેથી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.  

મચ્છુ ડેમના ખોલાયા દરવાજા

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજાઓને ખોલવામાં આવ્યા છે. શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આજે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ આવનાર દિવસ માટે કરવામાં આવેલી આગાહી તમને ચોંકાવી દેશે. કારણ કે આવનાર દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાદર-2 ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.     

હવામાન સમાચાર

આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ તેમજ રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા અને આણંદમાં પણ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. જો વરસાદના આંકડાની વાત કરીએ તો જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, તાપીમાં 9.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ વરસવાને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. નીચે દર્શાવેલા આંકડા બપોર સુધીના છે. 


 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.