હેં... થોડા દિવસો બાદ વરસાદ ગાયબ થઈ જશે! જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-30 16:42:16

અષાઢ મહિના માટે કહેવાય છે કે અષાઢમાં અનરાધાર. ગુજરાતમાં પણ ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન અનેક એવા નયનરમ્યો દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ હાલ વરસાદ વરસી રહ્યો છે. બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. પરંતુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવનાર બેથી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.  

મચ્છુ ડેમના ખોલાયા દરવાજા

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજાઓને ખોલવામાં આવ્યા છે. શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આજે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ આવનાર દિવસ માટે કરવામાં આવેલી આગાહી તમને ચોંકાવી દેશે. કારણ કે આવનાર દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાદર-2 ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.     

હવામાન સમાચાર

આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ તેમજ રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા અને આણંદમાં પણ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. જો વરસાદના આંકડાની વાત કરીએ તો જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, તાપીમાં 9.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ વરસવાને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. નીચે દર્શાવેલા આંકડા બપોર સુધીના છે. 


 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.