હેં... થોડા દિવસો બાદ વરસાદ ગાયબ થઈ જશે! જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-30 16:42:16

અષાઢ મહિના માટે કહેવાય છે કે અષાઢમાં અનરાધાર. ગુજરાતમાં પણ ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન અનેક એવા નયનરમ્યો દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ હાલ વરસાદ વરસી રહ્યો છે. બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. પરંતુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવનાર બેથી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.  

મચ્છુ ડેમના ખોલાયા દરવાજા

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજાઓને ખોલવામાં આવ્યા છે. શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આજે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ આવનાર દિવસ માટે કરવામાં આવેલી આગાહી તમને ચોંકાવી દેશે. કારણ કે આવનાર દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાદર-2 ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.     

હવામાન સમાચાર

આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ તેમજ રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા અને આણંદમાં પણ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. જો વરસાદના આંકડાની વાત કરીએ તો જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, તાપીમાં 9.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ વરસવાને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. નીચે દર્શાવેલા આંકડા બપોર સુધીના છે. 


 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.