રાજ્યમાં એકસાથે થઈ રહ્યો છે ત્રણેય ઋતુનો અહેસાસ, કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-02-11 11:49:17

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી તેમજ ગરમીનો અનુભવ તો થઈ રહ્યો છે પરંતુ હાલ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એ છે કે સવારે અને રાત્રે સ્વેટર પહેરવું પડે છે તો બપોરના સમયે પંખા ચાલુ કરવા પડે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. 


અનેક શહેરોમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ 

થોડા દિવસોથી ઠંડીથી છૂટકારો મળ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઠંડીથી રાહત મળી હતી. ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હાલ લોકો બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. તો ઘણા વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યા છે. 


આકરા તાપ માટે રહેવું પડશે તૈયાર 

વાતાવરણમાં પલટો આવતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે આગામી એક બે દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જેમ શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો તેવી જ રીતે આકરો તડકો પણ પડવાનો છે. બપોરના સમયમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળામાં તાપમાનનો પારો 35 ડિગ્રી  ઉપર પહોંચી ગયો છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.