રાજ્યમાં એકસાથે થઈ રહ્યો છે ત્રણેય ઋતુનો અહેસાસ, કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-02-11 11:49:17

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી તેમજ ગરમીનો અનુભવ તો થઈ રહ્યો છે પરંતુ હાલ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એ છે કે સવારે અને રાત્રે સ્વેટર પહેરવું પડે છે તો બપોરના સમયે પંખા ચાલુ કરવા પડે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. 


અનેક શહેરોમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ 

થોડા દિવસોથી ઠંડીથી છૂટકારો મળ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઠંડીથી રાહત મળી હતી. ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હાલ લોકો બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. તો ઘણા વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યા છે. 


આકરા તાપ માટે રહેવું પડશે તૈયાર 

વાતાવરણમાં પલટો આવતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે આગામી એક બે દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જેમ શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો તેવી જ રીતે આકરો તડકો પણ પડવાનો છે. બપોરના સમયમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળામાં તાપમાનનો પારો 35 ડિગ્રી  ઉપર પહોંચી ગયો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.