રાજ્યમાં એકસાથે થઈ રહ્યો છે ત્રણેય ઋતુનો અહેસાસ, કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-02-11 11:49:17

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી તેમજ ગરમીનો અનુભવ તો થઈ રહ્યો છે પરંતુ હાલ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એ છે કે સવારે અને રાત્રે સ્વેટર પહેરવું પડે છે તો બપોરના સમયે પંખા ચાલુ કરવા પડે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. 


અનેક શહેરોમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ 

થોડા દિવસોથી ઠંડીથી છૂટકારો મળ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઠંડીથી રાહત મળી હતી. ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હાલ લોકો બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. તો ઘણા વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યા છે. 


આકરા તાપ માટે રહેવું પડશે તૈયાર 

વાતાવરણમાં પલટો આવતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે આગામી એક બે દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જેમ શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો તેવી જ રીતે આકરો તડકો પણ પડવાનો છે. બપોરના સમયમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળામાં તાપમાનનો પારો 35 ડિગ્રી  ઉપર પહોંચી ગયો છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.