રાજ્યમાં એકસાથે થઈ રહ્યો છે ત્રણેય ઋતુનો અહેસાસ, કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-02-11 11:49:17

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી તેમજ ગરમીનો અનુભવ તો થઈ રહ્યો છે પરંતુ હાલ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એ છે કે સવારે અને રાત્રે સ્વેટર પહેરવું પડે છે તો બપોરના સમયે પંખા ચાલુ કરવા પડે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. 


અનેક શહેરોમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ 

થોડા દિવસોથી ઠંડીથી છૂટકારો મળ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઠંડીથી રાહત મળી હતી. ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હાલ લોકો બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. તો ઘણા વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યા છે. 


આકરા તાપ માટે રહેવું પડશે તૈયાર 

વાતાવરણમાં પલટો આવતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે આગામી એક બે દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જેમ શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો તેવી જ રીતે આકરો તડકો પણ પડવાનો છે. બપોરના સમયમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળામાં તાપમાનનો પારો 35 ડિગ્રી  ઉપર પહોંચી ગયો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.