ભાઈ બહેનનો સંબંધ થયો કલંકિત! Mahisagarથી સામે આવ્યો એવો કિસ્સો જેમાં ભાઈએ જ બહેનને કરી ગર્ભવતી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-31 17:18:21

રક્ષાબંધન તહેવારની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભાઈ પોતાના બહેનની રક્ષાનું વચન લેતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન. ભાઈ બહેનના સંબંધો માટે કહેવાય છે કે ભાઈ બહેન ભલે ગમે તેટલું ઝઘડે પરંતુ એક બીજાને ક્યારે નીચે નથી પડવા દેતા. પિતા પછી જો કોઈ છોકરીની રક્ષા કરે તો તે તેનો ભાઈ હોય છે. ભાઈની છત્રછાયામાં બહેન પોતાને સુરક્ષિત માનતી હોય છે. પરંતુ જ્યારે ભાઈ જ હેવાન બને ત્યારે? ભાઈ જ પોતાની બહેનને ગર્ભવતી કરે તો?  



દીકરીને હોસ્પિટલ ખસેડાઈ જ્યાં થયો બાળકનો જન્મ 

ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. સગા ભાઈએ બહેને સગર્ભા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર દીકરી મામાના ઘરે ગઈ હતી ત્યારે તેને પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી. એવી માહિતી પણ સામે આવી રહી છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી અને જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે બહેનને પ્રેગ્નેટ કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ જ હતો. વીરપુર પોલીસે આ મામલે તપાસ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે તેની અટકાયત પણ કરી લીધી છે.    



પારિવારીક મામલો હોવાને કારણે નથી મળી વધુ વિગત 

પારિવારીક મામલો હોવાને કારણે આ અંગે વધારે જાણકારી મળી નથી. જ્યારે પરિવારને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. દીકરી કેટલા વર્ષની છે, ભાઈ કેટલા વર્ષનો છે, દીકરી પ્રેગ્નેટ છે તેની જાણકારી પરિવારને ક્યારે થઈ તે અંગે જાણકારી મળી નથી. એકઆશા છે કે પોલીસ આ મામલે વધારે માહિતી આપે.  



દીકરીઓ હવે ઘરમાં પણ સુરક્ષિત નથી!

આ કિસ્સો સાંભળીને એક પ્રશ્ન થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. કોઈ વખત પિતા જ પુત્રી પર દુષ્કર્મ આચરે છે તેવા સમાચાર સામે આવે છે તો ક્યારેક ભાઈ પોતાની સગી બહેનને ગર્ભવતી કરે છે. સૌથી પવિત્ર ગણાતા સંબંધો પણ હવે કલંકિત થઈ રહ્યા છે. જેની છત્રછાયામાં દીકરીઓ પોતાને સેફ માનતી હોય છે તેનાથી પણ હવે દીકરીઓ સેફ નથી. આ કિસ્સો વાંચીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ ગયા હશે, તમારા દિમાગમાં એવો વિચાર આવ્યો હશે કે કેવી રીતે કોઈ ભાઈ પોતાની બહેન સાથે આવું કરી શકે?    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.