ભાઈ બહેનનો સંબંધ થયો કલંકિત! Mahisagarથી સામે આવ્યો એવો કિસ્સો જેમાં ભાઈએ જ બહેનને કરી ગર્ભવતી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-31 17:18:21

રક્ષાબંધન તહેવારની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભાઈ પોતાના બહેનની રક્ષાનું વચન લેતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન. ભાઈ બહેનના સંબંધો માટે કહેવાય છે કે ભાઈ બહેન ભલે ગમે તેટલું ઝઘડે પરંતુ એક બીજાને ક્યારે નીચે નથી પડવા દેતા. પિતા પછી જો કોઈ છોકરીની રક્ષા કરે તો તે તેનો ભાઈ હોય છે. ભાઈની છત્રછાયામાં બહેન પોતાને સુરક્ષિત માનતી હોય છે. પરંતુ જ્યારે ભાઈ જ હેવાન બને ત્યારે? ભાઈ જ પોતાની બહેનને ગર્ભવતી કરે તો?  



દીકરીને હોસ્પિટલ ખસેડાઈ જ્યાં થયો બાળકનો જન્મ 

ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. સગા ભાઈએ બહેને સગર્ભા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર દીકરી મામાના ઘરે ગઈ હતી ત્યારે તેને પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી. એવી માહિતી પણ સામે આવી રહી છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી અને જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે બહેનને પ્રેગ્નેટ કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ જ હતો. વીરપુર પોલીસે આ મામલે તપાસ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે તેની અટકાયત પણ કરી લીધી છે.    



પારિવારીક મામલો હોવાને કારણે નથી મળી વધુ વિગત 

પારિવારીક મામલો હોવાને કારણે આ અંગે વધારે જાણકારી મળી નથી. જ્યારે પરિવારને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. દીકરી કેટલા વર્ષની છે, ભાઈ કેટલા વર્ષનો છે, દીકરી પ્રેગ્નેટ છે તેની જાણકારી પરિવારને ક્યારે થઈ તે અંગે જાણકારી મળી નથી. એકઆશા છે કે પોલીસ આ મામલે વધારે માહિતી આપે.  



દીકરીઓ હવે ઘરમાં પણ સુરક્ષિત નથી!

આ કિસ્સો સાંભળીને એક પ્રશ્ન થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. કોઈ વખત પિતા જ પુત્રી પર દુષ્કર્મ આચરે છે તેવા સમાચાર સામે આવે છે તો ક્યારેક ભાઈ પોતાની સગી બહેનને ગર્ભવતી કરે છે. સૌથી પવિત્ર ગણાતા સંબંધો પણ હવે કલંકિત થઈ રહ્યા છે. જેની છત્રછાયામાં દીકરીઓ પોતાને સેફ માનતી હોય છે તેનાથી પણ હવે દીકરીઓ સેફ નથી. આ કિસ્સો વાંચીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ ગયા હશે, તમારા દિમાગમાં એવો વિચાર આવ્યો હશે કે કેવી રીતે કોઈ ભાઈ પોતાની બહેન સાથે આવું કરી શકે?    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.