Ahmedabadની આ સોસાયટીના રહીશો છે ડ્રેનેજ અને ગંદું પીવાનું પાણી મળવાથી પરેશાન! ગંદુુ પાણી પીવાને કારણે અનેક થઈ રહ્યા છે બિમાર


  • Published By :
  • Published Date : 2024-02-21 15:30:22

આપણા ઘરે પીવાના પાણીની બદલીમાં ગંદુ પાણી આવે તો? ચોખ્ખા પાણીની બદલીમાં પીવા માટે ગંદુ પાણી આપવામાં આવે તો કેવી હાલત થાય? ઘરની બહાર ડ્રેનેજનું ગંદુ પાણી હોય તો કેવી હાલત થાય? પીવાનું પાણી દુષિત આવે તો કેવું થાય? આ વિચારીને જ આપણને કંઈક થવા લાગે છે તો એવા લોકોની હાલત શું થતી હશે જે 10 દિવસથી આવી પરેશાનીથી પીડાઈ રહ્યા છે. બોડકદેવમાં આવેલી દેવ સિટી બંગ્લોઝમાં આવી જ પરિસ્થિતિ છે અને તે પણ 10 દિવસથી.. ગંદુ પાણી પીને સોસાયટીના રહીશો બિમાર પડી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલ્ટીનો શિકાર થઈ રહ્યા છે. 


પીવા માટે આવતું હતું ગંદુ પાણી 

ડ્રેનેજ તથા ગંદા પાણીના ત્રાસથી ત્યાંના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે રમેશ કન્સ્ટ્રક્શન દ્વારા ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તંત્રને ફરિયાદ કરી છે કે રમેશ કન્સ્ટ્રક્શન તરફથી નવ નિર્માણ માટેના ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નિયમોનું. ત્યારે જવાબદાર પરિબળ વિરૂદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 


ચોખ્ખું પાણી આપવાની જવાબદારી છે કોર્પોરેશનની!

મહત્વનું છે કે ત્યાંના રહીશોએ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નરને અનેક માગણીઓ કરી છે કે રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળી રહે તે માટે 12 પાણીની ટેન્કરો ફાળવવામાં આવે, ઉભરાયેલા ગટરોને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે ઉપરાંત પીવા માટે  ચોખ્ખુ પાણી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્થાનિકોને ચોખ્ખુ પાણી પીવા માટે મળે તેની જવાબદારી કોર્પોરેશનની છે. તો સોસાયટીને પાણી પુરવઠો સોસાયટીને આપવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે. મહત્વનું છે કે ખરાબ પાણી પીવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકો બિમાર થઈ રહ્યા છે.   




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?