Ahmedabadની આ સોસાયટીના રહીશો છે ડ્રેનેજ અને ગંદું પીવાનું પાણી મળવાથી પરેશાન! ગંદુુ પાણી પીવાને કારણે અનેક થઈ રહ્યા છે બિમાર


  • Published By :
  • Published Date : 2024-02-21 15:30:22

આપણા ઘરે પીવાના પાણીની બદલીમાં ગંદુ પાણી આવે તો? ચોખ્ખા પાણીની બદલીમાં પીવા માટે ગંદુ પાણી આપવામાં આવે તો કેવી હાલત થાય? ઘરની બહાર ડ્રેનેજનું ગંદુ પાણી હોય તો કેવી હાલત થાય? પીવાનું પાણી દુષિત આવે તો કેવું થાય? આ વિચારીને જ આપણને કંઈક થવા લાગે છે તો એવા લોકોની હાલત શું થતી હશે જે 10 દિવસથી આવી પરેશાનીથી પીડાઈ રહ્યા છે. બોડકદેવમાં આવેલી દેવ સિટી બંગ્લોઝમાં આવી જ પરિસ્થિતિ છે અને તે પણ 10 દિવસથી.. ગંદુ પાણી પીને સોસાયટીના રહીશો બિમાર પડી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલ્ટીનો શિકાર થઈ રહ્યા છે. 


પીવા માટે આવતું હતું ગંદુ પાણી 

ડ્રેનેજ તથા ગંદા પાણીના ત્રાસથી ત્યાંના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે રમેશ કન્સ્ટ્રક્શન દ્વારા ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તંત્રને ફરિયાદ કરી છે કે રમેશ કન્સ્ટ્રક્શન તરફથી નવ નિર્માણ માટેના ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નિયમોનું. ત્યારે જવાબદાર પરિબળ વિરૂદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 


ચોખ્ખું પાણી આપવાની જવાબદારી છે કોર્પોરેશનની!

મહત્વનું છે કે ત્યાંના રહીશોએ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નરને અનેક માગણીઓ કરી છે કે રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળી રહે તે માટે 12 પાણીની ટેન્કરો ફાળવવામાં આવે, ઉભરાયેલા ગટરોને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે ઉપરાંત પીવા માટે  ચોખ્ખુ પાણી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્થાનિકોને ચોખ્ખુ પાણી પીવા માટે મળે તેની જવાબદારી કોર્પોરેશનની છે. તો સોસાયટીને પાણી પુરવઠો સોસાયટીને આપવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે. મહત્વનું છે કે ખરાબ પાણી પીવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકો બિમાર થઈ રહ્યા છે.   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે