Ahmedabadની આ સોસાયટીના રહીશો છે ડ્રેનેજ અને ગંદું પીવાનું પાણી મળવાથી પરેશાન! ગંદુુ પાણી પીવાને કારણે અનેક થઈ રહ્યા છે બિમાર


  • Published By :
  • Published Date : 2024-02-21 15:30:22

આપણા ઘરે પીવાના પાણીની બદલીમાં ગંદુ પાણી આવે તો? ચોખ્ખા પાણીની બદલીમાં પીવા માટે ગંદુ પાણી આપવામાં આવે તો કેવી હાલત થાય? ઘરની બહાર ડ્રેનેજનું ગંદુ પાણી હોય તો કેવી હાલત થાય? પીવાનું પાણી દુષિત આવે તો કેવું થાય? આ વિચારીને જ આપણને કંઈક થવા લાગે છે તો એવા લોકોની હાલત શું થતી હશે જે 10 દિવસથી આવી પરેશાનીથી પીડાઈ રહ્યા છે. બોડકદેવમાં આવેલી દેવ સિટી બંગ્લોઝમાં આવી જ પરિસ્થિતિ છે અને તે પણ 10 દિવસથી.. ગંદુ પાણી પીને સોસાયટીના રહીશો બિમાર પડી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલ્ટીનો શિકાર થઈ રહ્યા છે. 


પીવા માટે આવતું હતું ગંદુ પાણી 

ડ્રેનેજ તથા ગંદા પાણીના ત્રાસથી ત્યાંના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે રમેશ કન્સ્ટ્રક્શન દ્વારા ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તંત્રને ફરિયાદ કરી છે કે રમેશ કન્સ્ટ્રક્શન તરફથી નવ નિર્માણ માટેના ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નિયમોનું. ત્યારે જવાબદાર પરિબળ વિરૂદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 


ચોખ્ખું પાણી આપવાની જવાબદારી છે કોર્પોરેશનની!

મહત્વનું છે કે ત્યાંના રહીશોએ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નરને અનેક માગણીઓ કરી છે કે રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળી રહે તે માટે 12 પાણીની ટેન્કરો ફાળવવામાં આવે, ઉભરાયેલા ગટરોને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે ઉપરાંત પીવા માટે  ચોખ્ખુ પાણી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્થાનિકોને ચોખ્ખુ પાણી પીવા માટે મળે તેની જવાબદારી કોર્પોરેશનની છે. તો સોસાયટીને પાણી પુરવઠો સોસાયટીને આપવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે. મહત્વનું છે કે ખરાબ પાણી પીવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકો બિમાર થઈ રહ્યા છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.