મોરબીની હોસ્પિટલ રંગવાનો આદેશ આપનાર ડોક્ટર પાસેથી જવાબદારી પરત લેવાઈ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:25:17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી ત્યારે મોરબીને અને પુલ તૂટ્યા બાદ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા હતા તેના કારણે મોરબીની હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સમાચાર આવી રહ્યા છે કે રંગરોગાનના આદેશ આપનાર ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 



રંગરોગાનનો આદેશ આપનાર ડોક્ટરનો ચાર્જ છીનવાયો

મોરબીની હોસ્પિટલમાં કલર કરીને શણગારવામાં આવી હતી જેના કારણે લોકો અને વિપક્ષે તમામ કામગીરીને વખોડી પાડી હતી. આ રંગરોગાન કરવાનો આદેશ મોરબી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે અને મંગળવારની સવાર સુધી હોસ્પિટલ શણગારવામાં આવી હતી. આટલા દિવસો બાદ આદેશ કરવામાં આવ્યો છે કે ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 


30 ઓક્ટોબર રવિવારના રોજ મોરબી શહેરની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના 130થી વધુ લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટના મોરબી નગરપાલિકા, બ્રિજનું સંચાલન કરતી કંપની, સરકાર સહિત ગુજરાત પર કાળા દાગ સમાન છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"