મોરબીની હોસ્પિટલ રંગવાનો આદેશ આપનાર ડોક્ટર પાસેથી જવાબદારી પરત લેવાઈ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:25:17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી ત્યારે મોરબીને અને પુલ તૂટ્યા બાદ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા હતા તેના કારણે મોરબીની હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સમાચાર આવી રહ્યા છે કે રંગરોગાનના આદેશ આપનાર ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 



રંગરોગાનનો આદેશ આપનાર ડોક્ટરનો ચાર્જ છીનવાયો

મોરબીની હોસ્પિટલમાં કલર કરીને શણગારવામાં આવી હતી જેના કારણે લોકો અને વિપક્ષે તમામ કામગીરીને વખોડી પાડી હતી. આ રંગરોગાન કરવાનો આદેશ મોરબી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે અને મંગળવારની સવાર સુધી હોસ્પિટલ શણગારવામાં આવી હતી. આટલા દિવસો બાદ આદેશ કરવામાં આવ્યો છે કે ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 


30 ઓક્ટોબર રવિવારના રોજ મોરબી શહેરની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના 130થી વધુ લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટના મોરબી નગરપાલિકા, બ્રિજનું સંચાલન કરતી કંપની, સરકાર સહિત ગુજરાત પર કાળા દાગ સમાન છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.