મોરબીની હોસ્પિટલ રંગવાનો આદેશ આપનાર ડોક્ટર પાસેથી જવાબદારી પરત લેવાઈ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:25:17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી ત્યારે મોરબીને અને પુલ તૂટ્યા બાદ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા હતા તેના કારણે મોરબીની હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સમાચાર આવી રહ્યા છે કે રંગરોગાનના આદેશ આપનાર ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 



રંગરોગાનનો આદેશ આપનાર ડોક્ટરનો ચાર્જ છીનવાયો

મોરબીની હોસ્પિટલમાં કલર કરીને શણગારવામાં આવી હતી જેના કારણે લોકો અને વિપક્ષે તમામ કામગીરીને વખોડી પાડી હતી. આ રંગરોગાન કરવાનો આદેશ મોરબી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે અને મંગળવારની સવાર સુધી હોસ્પિટલ શણગારવામાં આવી હતી. આટલા દિવસો બાદ આદેશ કરવામાં આવ્યો છે કે ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 


30 ઓક્ટોબર રવિવારના રોજ મોરબી શહેરની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના 130થી વધુ લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટના મોરબી નગરપાલિકા, બ્રિજનું સંચાલન કરતી કંપની, સરકાર સહિત ગુજરાત પર કાળા દાગ સમાન છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.