આવતી કાલે જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વોટ્સએપ નંબરથી પણ વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-30 11:57:42

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતી કાલે જાહેર થવાનું છે. આઠ વાગ્યાથી પરિણામ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નંબર પર પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે આવતી કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. 

  

4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

બોર્ડનું પરિણામ વિદ્યાર્થીના જીવનમાં મહત્વનું હોય છે. બોર્ડના પરિણામ પર વિદ્યાર્થીનું કેરિયર આધારીત રહેતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. જે બાદ સામાન્ય રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ તે આ વખતે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે  લાખો વિદ્યાર્થીની આતુરતાનો અંત આવતી કાલે આવવાનો છે. સવારે આઠ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને અનુકુળતા રહે તે માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.