આવતી કાલે જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વોટ્સએપ નંબરથી પણ વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-30 11:57:42

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતી કાલે જાહેર થવાનું છે. આઠ વાગ્યાથી પરિણામ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નંબર પર પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે આવતી કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. 

  

4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

બોર્ડનું પરિણામ વિદ્યાર્થીના જીવનમાં મહત્વનું હોય છે. બોર્ડના પરિણામ પર વિદ્યાર્થીનું કેરિયર આધારીત રહેતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. જે બાદ સામાન્ય રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ તે આ વખતે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે  લાખો વિદ્યાર્થીની આતુરતાનો અંત આવતી કાલે આવવાનો છે. સવારે આઠ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને અનુકુળતા રહે તે માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.