Dahodમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે! આવા શિક્ષકો હોય તો વિદ્યાર્થીને દરેક સિદ્ધિઓ હાંસલ થાય!


  • Published By :
  • Published Date : 2024-01-11 11:39:48

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ’. એક બાળકના વિકાસમાં, બાળકના ભણતર તેમજ ગણતરના પાયામાં એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. આપણે ત્યાં ગૂરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે એક એવા શિક્ષકની વાત કરીએ જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે. 

દીકરીએ શિક્ષકને કહ્યું કે મારે ભણવું છે... 

વાત છે દાહોદના પાયલ પારૂભાઈ બિલવાળની.. 8 ધોરણ સુધી ત્યાં દાહોદમાં જ દીકરી ભણી પણ આ બધા એવા વિસ્તારો જ્યાં મોટાભાગના લોકો મજૂરી કરે ખેતી કરે અને થોડા થોડા સમયમાં કામના અર્થે બીજા ગામમાં, શહેરમાં જતા રહે. બાળકોને એટલું ભણાવે પણ નહીં. આવી સ્થિતિમાં મમતા બેન જે પ્રાથમિક શાળાના શિક્ષક છે તે બાળકોને સમજાવી અને 8 ધોરણ પછી વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણમાં ભણવા માટે પ્રોત્સાહિત કરતા. એવી શાળામાં મોકલે. હોસ્ટલ હોય આશ્રમ શાળામાં મોકલે એટલે એ છોકરાઓનું ભણતર ના બગડે. અને એમના માં-બાપ જોડે મજૂરી કરવા ન જાય એવી જ છોકરી પાયલ જેણે શિક્ષકને કહી દીધું કે બેન મારે ભણવું છે.


જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે ત્યારે શિક્ષકને ગર્વ હોય છે.... 

એટલે ધોરણ 9 થી 12  ઉત્તર બુનિયાદી કન્યા શાળા, ગ્રામભારતી શાળામાં પાયલનું એડમિશન શિક્ષકે કરાવ્યું, શાળામાં લઈ ગયા અને પછી દરેક સિદ્ધિઓ પાયલના કદમોમાં હતી. પાયલને 12thમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. અત્યારે  M.S.યુવિવર્સિટીમાં  B.A. with Englishમાં પાયલનું એડમિશન મેડમે કરાઇ દીધું છે પાયલ સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી કેટેગરીમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એટલે 31000/- ઈનામ મળશે. જ્યારે એક વિદ્યાર્થી પ્રગતિના પંથે આગળ વધે ત્યારે શિક્ષકને ગર્વ થતો હોય છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.