Dahodમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે! આવા શિક્ષકો હોય તો વિદ્યાર્થીને દરેક સિદ્ધિઓ હાંસલ થાય!


  • Published By :
  • Published Date : 2024-01-11 11:39:48

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ’. એક બાળકના વિકાસમાં, બાળકના ભણતર તેમજ ગણતરના પાયામાં એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. આપણે ત્યાં ગૂરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે એક એવા શિક્ષકની વાત કરીએ જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે. 

દીકરીએ શિક્ષકને કહ્યું કે મારે ભણવું છે... 

વાત છે દાહોદના પાયલ પારૂભાઈ બિલવાળની.. 8 ધોરણ સુધી ત્યાં દાહોદમાં જ દીકરી ભણી પણ આ બધા એવા વિસ્તારો જ્યાં મોટાભાગના લોકો મજૂરી કરે ખેતી કરે અને થોડા થોડા સમયમાં કામના અર્થે બીજા ગામમાં, શહેરમાં જતા રહે. બાળકોને એટલું ભણાવે પણ નહીં. આવી સ્થિતિમાં મમતા બેન જે પ્રાથમિક શાળાના શિક્ષક છે તે બાળકોને સમજાવી અને 8 ધોરણ પછી વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણમાં ભણવા માટે પ્રોત્સાહિત કરતા. એવી શાળામાં મોકલે. હોસ્ટલ હોય આશ્રમ શાળામાં મોકલે એટલે એ છોકરાઓનું ભણતર ના બગડે. અને એમના માં-બાપ જોડે મજૂરી કરવા ન જાય એવી જ છોકરી પાયલ જેણે શિક્ષકને કહી દીધું કે બેન મારે ભણવું છે.


જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે ત્યારે શિક્ષકને ગર્વ હોય છે.... 

એટલે ધોરણ 9 થી 12  ઉત્તર બુનિયાદી કન્યા શાળા, ગ્રામભારતી શાળામાં પાયલનું એડમિશન શિક્ષકે કરાવ્યું, શાળામાં લઈ ગયા અને પછી દરેક સિદ્ધિઓ પાયલના કદમોમાં હતી. પાયલને 12thમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. અત્યારે  M.S.યુવિવર્સિટીમાં  B.A. with Englishમાં પાયલનું એડમિશન મેડમે કરાઇ દીધું છે પાયલ સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી કેટેગરીમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એટલે 31000/- ઈનામ મળશે. જ્યારે એક વિદ્યાર્થી પ્રગતિના પંથે આગળ વધે ત્યારે શિક્ષકને ગર્વ થતો હોય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.