સુરતમાં ચાર છોકરાના રિક્ષાચાલક બાપે તરુણીને ફસાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 21:33:49

સુરતના સચીન વિસ્તારના લાજપોર ગામમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. ચાર છોકરાના બાપે તરૂણીને ફસાવીને ભગાડી ગયો હતો. સમગ્ર બાબતે સુરત પોલીસે સીસીટીવી વગેરે બાબતે તપાસ હાથ ધરી છે. 


કેવી રીતે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી?

ગરીબ ઘરની આદિવાસી તરૂણી પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સુરતના સચીન વિસ્તારના હોજીવાલા એસ્ટેટમાં કામ કરતી હતી. આ તરૂણીનો સંપર્ક ત્યાંના સ્થાનિક 48 વર્ષના રિક્ષાચાલક અબ્દુલ સાથે થયો હતો. ચાર છોકરાના બાપ અબ્દુલે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. 


કોણ છે આ અબ્દુલ હમીદ હાસિમ મધી?

અબ્દુલ સુરતનો રહેવાસી છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ ચાર સંતાનોનો બાપ છે જેમાં બે પુત્રીના તો લગ્ન પણ થઈ ગયા છે. તરુણી જ્યારે કામ પર જતી હતી તે સમયે અબ્દુલ તેનો પીછો કરતો હતો અને તેવી જ રીતે તરૂણીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. 


પરિવારે પોલીસ પાસે મદદ માગવા પહોંચ્યું

આદિવાસી તરૂણી એક દિવસે નોકરીમાંથી પરત ન ફરતા પરિવાર મદદ માગવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. સુરત પોલીસને તપાસમાં જાણ થઈ હતી કે અબ્દુલ નામનો રિક્ષા ચાલક પણ ગાયબ છે અને સમગ્ર વાતથી ભાંડો ફૂટ્યો હતો. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે