સુરતમાં ચાર છોકરાના રિક્ષાચાલક બાપે તરુણીને ફસાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 21:33:49

સુરતના સચીન વિસ્તારના લાજપોર ગામમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. ચાર છોકરાના બાપે તરૂણીને ફસાવીને ભગાડી ગયો હતો. સમગ્ર બાબતે સુરત પોલીસે સીસીટીવી વગેરે બાબતે તપાસ હાથ ધરી છે. 


કેવી રીતે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી?

ગરીબ ઘરની આદિવાસી તરૂણી પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સુરતના સચીન વિસ્તારના હોજીવાલા એસ્ટેટમાં કામ કરતી હતી. આ તરૂણીનો સંપર્ક ત્યાંના સ્થાનિક 48 વર્ષના રિક્ષાચાલક અબ્દુલ સાથે થયો હતો. ચાર છોકરાના બાપ અબ્દુલે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. 


કોણ છે આ અબ્દુલ હમીદ હાસિમ મધી?

અબ્દુલ સુરતનો રહેવાસી છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ ચાર સંતાનોનો બાપ છે જેમાં બે પુત્રીના તો લગ્ન પણ થઈ ગયા છે. તરુણી જ્યારે કામ પર જતી હતી તે સમયે અબ્દુલ તેનો પીછો કરતો હતો અને તેવી જ રીતે તરૂણીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. 


પરિવારે પોલીસ પાસે મદદ માગવા પહોંચ્યું

આદિવાસી તરૂણી એક દિવસે નોકરીમાંથી પરત ન ફરતા પરિવાર મદદ માગવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. સુરત પોલીસને તપાસમાં જાણ થઈ હતી કે અબ્દુલ નામનો રિક્ષા ચાલક પણ ગાયબ છે અને સમગ્ર વાતથી ભાંડો ફૂટ્યો હતો. 




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..