સુરતમાં ચાર છોકરાના રિક્ષાચાલક બાપે તરુણીને ફસાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 21:33:49

સુરતના સચીન વિસ્તારના લાજપોર ગામમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. ચાર છોકરાના બાપે તરૂણીને ફસાવીને ભગાડી ગયો હતો. સમગ્ર બાબતે સુરત પોલીસે સીસીટીવી વગેરે બાબતે તપાસ હાથ ધરી છે. 


કેવી રીતે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી?

ગરીબ ઘરની આદિવાસી તરૂણી પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સુરતના સચીન વિસ્તારના હોજીવાલા એસ્ટેટમાં કામ કરતી હતી. આ તરૂણીનો સંપર્ક ત્યાંના સ્થાનિક 48 વર્ષના રિક્ષાચાલક અબ્દુલ સાથે થયો હતો. ચાર છોકરાના બાપ અબ્દુલે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. 


કોણ છે આ અબ્દુલ હમીદ હાસિમ મધી?

અબ્દુલ સુરતનો રહેવાસી છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ ચાર સંતાનોનો બાપ છે જેમાં બે પુત્રીના તો લગ્ન પણ થઈ ગયા છે. તરુણી જ્યારે કામ પર જતી હતી તે સમયે અબ્દુલ તેનો પીછો કરતો હતો અને તેવી જ રીતે તરૂણીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. 


પરિવારે પોલીસ પાસે મદદ માગવા પહોંચ્યું

આદિવાસી તરૂણી એક દિવસે નોકરીમાંથી પરત ન ફરતા પરિવાર મદદ માગવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. સુરત પોલીસને તપાસમાં જાણ થઈ હતી કે અબ્દુલ નામનો રિક્ષા ચાલક પણ ગાયબ છે અને સમગ્ર વાતથી ભાંડો ફૂટ્યો હતો. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .