સુરતમાં ચાર છોકરાના રિક્ષાચાલક બાપે તરુણીને ફસાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 21:33:49

સુરતના સચીન વિસ્તારના લાજપોર ગામમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. ચાર છોકરાના બાપે તરૂણીને ફસાવીને ભગાડી ગયો હતો. સમગ્ર બાબતે સુરત પોલીસે સીસીટીવી વગેરે બાબતે તપાસ હાથ ધરી છે. 


કેવી રીતે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી?

ગરીબ ઘરની આદિવાસી તરૂણી પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સુરતના સચીન વિસ્તારના હોજીવાલા એસ્ટેટમાં કામ કરતી હતી. આ તરૂણીનો સંપર્ક ત્યાંના સ્થાનિક 48 વર્ષના રિક્ષાચાલક અબ્દુલ સાથે થયો હતો. ચાર છોકરાના બાપ અબ્દુલે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. 


કોણ છે આ અબ્દુલ હમીદ હાસિમ મધી?

અબ્દુલ સુરતનો રહેવાસી છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ ચાર સંતાનોનો બાપ છે જેમાં બે પુત્રીના તો લગ્ન પણ થઈ ગયા છે. તરુણી જ્યારે કામ પર જતી હતી તે સમયે અબ્દુલ તેનો પીછો કરતો હતો અને તેવી જ રીતે તરૂણીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. 


પરિવારે પોલીસ પાસે મદદ માગવા પહોંચ્યું

આદિવાસી તરૂણી એક દિવસે નોકરીમાંથી પરત ન ફરતા પરિવાર મદદ માગવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. સુરત પોલીસને તપાસમાં જાણ થઈ હતી કે અબ્દુલ નામનો રિક્ષા ચાલક પણ ગાયબ છે અને સમગ્ર વાતથી ભાંડો ફૂટ્યો હતો. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.