Gujaratના યુવાનોમાં વધ્યો Heart Attackનો ખતરો, આટલા લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 13:59:51

હાર્ટ એટેકને કારણે મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે.   કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને લઈ ચર્ચા થવાનું કારણ એક એ પણ છે કે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે મોતને ભેટે છે તે જાણી નથી શકાતું. ત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા કલાકોની અંદર અનેક યુવાનોએ પોતાના પ્રાણ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. આશાસ્પદ યુવાનોના મોત થયા છે.     

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati


રાજકોટમાં ડોક્ટરનું થયું હાર્ટ એટેકને કારણે થયું મોત 

હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલા પણ સામે આવતા હશે પરંતુ કોરોના બાદ આવી ઘટનાઓ અવાર-નવાર સામે આવવા લાગી છે! કોરોના બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાના કિસ્સાઓમાં વધારો થયો છે. પ્રતિદિન સરેરાશ 8થી 9 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. જીવ બચી શકે તેટલો સમય પણ નથી મળતો લોકોને! સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. છેલ્લા થોડા કલાકોમાં પાંચથી છ લોકોના મોત થયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષના ડોક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. 



હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત 

બીજો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. બજારમાં ખરીદી કરવા ગયેલા 44 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાંજે તેઓ બજારમાં ગયા હતા, અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દાહોદમાં ટીઆરબી જવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં દોડી રહેલા ટીઆરબી જવાન અચાનક ઢળી પડ્યો. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. એવી પણ માહિતી સામે આવી છે કે તેમનો જીવ બચે તે માટે લોકોએ તેમને સીપીઆર પણ આપ્યું પરંતુ હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે તેમનો જીવ બચી ન શક્યો. 


વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે થયું મોત!

એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. હાર્ટ એટેકને કારણે 37 વર્ષીય કાજલબેન ડોબરીયાનું મોત થઈ ગયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત સુરતના ગોડાદરા વિસ્તારમાં રેહતા 43 વર્ષીય શ્રીનિવાસ રામલુંનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તો ત્રીજો બનાવ સુરતના લિંબાયતથી સામે આવ્યો છે. તો એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.             



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.