Heart Attackનો ખતરો યથાવત! Suratમાં યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 11:37:54

એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે અને સિલસિલો યથાવત હજી પણ જોવો મળી રહ્યો છે. એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી અનુસાર જેમનું નિધન થયું છે તેમનું નામ રામ બુજારક છે અને તે નોકરી પર જઈ રહ્યા હતા. ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે રસ્તા પર તે અચાનક ઢળી પડ્યા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું.



સુરતથી સામે આવ્યો હાર્ટ એટેકનો કિસ્સો 

હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય બની ગયા છે. હસતો રમતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. કોઈ જમતા જમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બની જાય છે. કોઈ પરીક્ષા આપતી વખતે અચાનક ઢળી પડે છે તો કોઈ વાતો કરતા કરતા મોતને વ્હાલો થઈ જાય છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. નાની ઉંમરના લોકોને હૃદયહુમલો આવી રહ્યો છે અને મોત થઈ રહ્યું છે. 



વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં 40 વર્ષીય વ્યક્તિ ચાલતા ચાલતા મોતને ભેટ્યો છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે પ્રતિદિન 7થી 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે અને મોતને ભેટે છે. ન માત્ર યુવાનોમાં પરંતુ વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે.  મહત્વનું છે કે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારનું ટેન્શન પણ વધાર્યું છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ સરકારે અપાવી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.