સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો થશે આજથી પ્રારંભ, અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-13 10:08:35

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થવાનો છે. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ ગયો હતો. જ્યારે બીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલવાનો છે. બજેટના પહેલા સત્રમાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા સત્રમાં પણ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત થાય તે પહેલા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સદનની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે સર્વદળિય બેઠક બોલાવી હતી.


બીજો તબક્કો પણ હંગામેદાર રહે તેવું અનુમાન  

બજેટ સત્રના પ્રથમ તબક્કામાં અદાણી હિંડનબર્ગ સહિત અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદમાં હંગામો કરવામાં આવ્યો હતો. હંગામાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિના સંબોધન બાદ થયો હતો. ત્યારે આજથી બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સત્રમાં અનેક બેઠકો થવાની છે. આ સત્ર પણ હંગામેદાર રહી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. 


મલ્લિકાર્જુન ખડગેએ સત્ર પહેલા બોલાવી બેઠક 

આ સત્રમાં પણ વિપક્ષ દ્વારા સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વધતી મોંઘવારી, અદાણીનો મુદ્દો તેમજ લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અને તેના પર આવેલી વિવિધ પ્રતિક્રિયા, કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓને લઈ  હોબાળો થઈ શકે છે. સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક મીટિંગ બોલાવી છે. કયા મુદ્દે અને કેવી રીતે સરકારને ઘેરવી તે અંગે રણનીતિ ઘડવામાં આવી શકે છે.         




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.