સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો થશે આજથી પ્રારંભ, અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-13 10:08:35

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થવાનો છે. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ ગયો હતો. જ્યારે બીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલવાનો છે. બજેટના પહેલા સત્રમાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા સત્રમાં પણ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત થાય તે પહેલા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સદનની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે સર્વદળિય બેઠક બોલાવી હતી.


બીજો તબક્કો પણ હંગામેદાર રહે તેવું અનુમાન  

બજેટ સત્રના પ્રથમ તબક્કામાં અદાણી હિંડનબર્ગ સહિત અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદમાં હંગામો કરવામાં આવ્યો હતો. હંગામાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિના સંબોધન બાદ થયો હતો. ત્યારે આજથી બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સત્રમાં અનેક બેઠકો થવાની છે. આ સત્ર પણ હંગામેદાર રહી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. 


મલ્લિકાર્જુન ખડગેએ સત્ર પહેલા બોલાવી બેઠક 

આ સત્રમાં પણ વિપક્ષ દ્વારા સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વધતી મોંઘવારી, અદાણીનો મુદ્દો તેમજ લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અને તેના પર આવેલી વિવિધ પ્રતિક્રિયા, કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓને લઈ  હોબાળો થઈ શકે છે. સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક મીટિંગ બોલાવી છે. કયા મુદ્દે અને કેવી રીતે સરકારને ઘેરવી તે અંગે રણનીતિ ઘડવામાં આવી શકે છે.         




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.