સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો થશે આજથી પ્રારંભ, અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-13 10:08:35

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થવાનો છે. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ ગયો હતો. જ્યારે બીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલવાનો છે. બજેટના પહેલા સત્રમાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા સત્રમાં પણ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત થાય તે પહેલા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સદનની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે સર્વદળિય બેઠક બોલાવી હતી.


બીજો તબક્કો પણ હંગામેદાર રહે તેવું અનુમાન  

બજેટ સત્રના પ્રથમ તબક્કામાં અદાણી હિંડનબર્ગ સહિત અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદમાં હંગામો કરવામાં આવ્યો હતો. હંગામાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિના સંબોધન બાદ થયો હતો. ત્યારે આજથી બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સત્રમાં અનેક બેઠકો થવાની છે. આ સત્ર પણ હંગામેદાર રહી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. 


મલ્લિકાર્જુન ખડગેએ સત્ર પહેલા બોલાવી બેઠક 

આ સત્રમાં પણ વિપક્ષ દ્વારા સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વધતી મોંઘવારી, અદાણીનો મુદ્દો તેમજ લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અને તેના પર આવેલી વિવિધ પ્રતિક્રિયા, કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓને લઈ  હોબાળો થઈ શકે છે. સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક મીટિંગ બોલાવી છે. કયા મુદ્દે અને કેવી રીતે સરકારને ઘેરવી તે અંગે રણનીતિ ઘડવામાં આવી શકે છે.         




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.