સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો થશે આજથી પ્રારંભ, અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-13 10:08:35

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થવાનો છે. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ ગયો હતો. જ્યારે બીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલવાનો છે. બજેટના પહેલા સત્રમાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા સત્રમાં પણ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત થાય તે પહેલા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સદનની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે સર્વદળિય બેઠક બોલાવી હતી.


બીજો તબક્કો પણ હંગામેદાર રહે તેવું અનુમાન  

બજેટ સત્રના પ્રથમ તબક્કામાં અદાણી હિંડનબર્ગ સહિત અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદમાં હંગામો કરવામાં આવ્યો હતો. હંગામાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિના સંબોધન બાદ થયો હતો. ત્યારે આજથી બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સત્રમાં અનેક બેઠકો થવાની છે. આ સત્ર પણ હંગામેદાર રહી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. 


મલ્લિકાર્જુન ખડગેએ સત્ર પહેલા બોલાવી બેઠક 

આ સત્રમાં પણ વિપક્ષ દ્વારા સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વધતી મોંઘવારી, અદાણીનો મુદ્દો તેમજ લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અને તેના પર આવેલી વિવિધ પ્રતિક્રિયા, કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓને લઈ  હોબાળો થઈ શકે છે. સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક મીટિંગ બોલાવી છે. કયા મુદ્દે અને કેવી રીતે સરકારને ઘેરવી તે અંગે રણનીતિ ઘડવામાં આવી શકે છે.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.