વહેલી સવારે સિક્કિમમાં અનુભવાયો ભૂકંપ, લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-13 09:49:38

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થયા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે સિક્કિમમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે આશરે 4.15 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો તેવી જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.


સિક્કિમમાં આવ્યો ધરતીકંપનો આંચકો

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે મોટુ નુકસાન થયું છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે સિક્કિમમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી. તે પહેલા રવિવારે આસામની ધરા ધ્રૂજી હતી. આસામના નાગાંવમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 


ગુજરાતના અનેક શહેરોમાં પણ ધ્રુજી હતી ધરા 

તે સિવાય ગુજરાતના પણ અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સુરત, અમરેલી જેવા જિલ્લાઓમાં ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. આખા સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તે પહેલા અમરેલીના અનેક ગામોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. તુર્કી અને સીરિયામાં ખરાબ થતી પરિસ્થિતિને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.