વહેલી સવારે સિક્કિમમાં અનુભવાયો ભૂકંપ, લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-13 09:49:38

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થયા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે સિક્કિમમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે આશરે 4.15 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો તેવી જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.


સિક્કિમમાં આવ્યો ધરતીકંપનો આંચકો

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે મોટુ નુકસાન થયું છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે સિક્કિમમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી. તે પહેલા રવિવારે આસામની ધરા ધ્રૂજી હતી. આસામના નાગાંવમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 


ગુજરાતના અનેક શહેરોમાં પણ ધ્રુજી હતી ધરા 

તે સિવાય ગુજરાતના પણ અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સુરત, અમરેલી જેવા જિલ્લાઓમાં ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. આખા સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તે પહેલા અમરેલીના અનેક ગામોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. તુર્કી અને સીરિયામાં ખરાબ થતી પરિસ્થિતિને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.