વહેલી સવારે સિક્કિમમાં અનુભવાયો ભૂકંપ, લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-13 09:49:38

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થયા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે સિક્કિમમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે આશરે 4.15 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો તેવી જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.


સિક્કિમમાં આવ્યો ધરતીકંપનો આંચકો

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે મોટુ નુકસાન થયું છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે સિક્કિમમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી. તે પહેલા રવિવારે આસામની ધરા ધ્રૂજી હતી. આસામના નાગાંવમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 


ગુજરાતના અનેક શહેરોમાં પણ ધ્રુજી હતી ધરા 

તે સિવાય ગુજરાતના પણ અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સુરત, અમરેલી જેવા જિલ્લાઓમાં ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. આખા સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તે પહેલા અમરેલીના અનેક ગામોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. તુર્કી અને સીરિયામાં ખરાબ થતી પરિસ્થિતિને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.