રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જંત્રી વધારો હાલ પૂરતો રખાયો મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-02-11 11:52:12

તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરો નારાજ થયા હતા. ત્યારે આ નિર્ણયને લઈ રાજ્ય સરકારે પીછેહઠ કરી છે. જે ભાવ વધારો 5મી ફેબ્રુઆરીથી અમલીમાં મૂકાવાનો હતો તેને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આ ભાવ વધારો એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો છે.        


જંત્રી દરનો વધારો થતાં બિલ્ડરોએ નોંધાવ્યો હતો વિરોધ  

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં એકાએક વધારો કરવામાં આવ્યો હતો. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર બહાર પાડી ભાવ વધારા અંગેની જાહેરાત કરી હતી. ભાવ વધારો 5 ફેબ્રુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નિર્ણયને અનેક બેઠકો પણ કરવામાં આવી હતી. ત્યારે આ નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.  


એપ્રિલ મહિનાથી આ નિર્ણય આવશે અમલમાં 

બિલ્ડર એસોશિએશને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. સીએમએ આ મુદ્દાને લઈ વિચાર કરવાની બાંહેધરી આપી હતી. જે બાદ શનિવાર સવારે મુખ્યમંત્રી કાર્યાલયથી એક ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં આનંદ જોવા મળ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.