રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જંત્રી વધારો હાલ પૂરતો રખાયો મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-02-11 11:52:12

તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરો નારાજ થયા હતા. ત્યારે આ નિર્ણયને લઈ રાજ્ય સરકારે પીછેહઠ કરી છે. જે ભાવ વધારો 5મી ફેબ્રુઆરીથી અમલીમાં મૂકાવાનો હતો તેને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આ ભાવ વધારો એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો છે.        


જંત્રી દરનો વધારો થતાં બિલ્ડરોએ નોંધાવ્યો હતો વિરોધ  

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં એકાએક વધારો કરવામાં આવ્યો હતો. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર બહાર પાડી ભાવ વધારા અંગેની જાહેરાત કરી હતી. ભાવ વધારો 5 ફેબ્રુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નિર્ણયને અનેક બેઠકો પણ કરવામાં આવી હતી. ત્યારે આ નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.  


એપ્રિલ મહિનાથી આ નિર્ણય આવશે અમલમાં 

બિલ્ડર એસોશિએશને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. સીએમએ આ મુદ્દાને લઈ વિચાર કરવાની બાંહેધરી આપી હતી. જે બાદ શનિવાર સવારે મુખ્યમંત્રી કાર્યાલયથી એક ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં આનંદ જોવા મળ્યો છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .