રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જંત્રી વધારો હાલ પૂરતો રખાયો મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-02-11 11:52:12

તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરો નારાજ થયા હતા. ત્યારે આ નિર્ણયને લઈ રાજ્ય સરકારે પીછેહઠ કરી છે. જે ભાવ વધારો 5મી ફેબ્રુઆરીથી અમલીમાં મૂકાવાનો હતો તેને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આ ભાવ વધારો એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો છે.        


જંત્રી દરનો વધારો થતાં બિલ્ડરોએ નોંધાવ્યો હતો વિરોધ  

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં એકાએક વધારો કરવામાં આવ્યો હતો. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર બહાર પાડી ભાવ વધારા અંગેની જાહેરાત કરી હતી. ભાવ વધારો 5 ફેબ્રુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નિર્ણયને અનેક બેઠકો પણ કરવામાં આવી હતી. ત્યારે આ નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.  


એપ્રિલ મહિનાથી આ નિર્ણય આવશે અમલમાં 

બિલ્ડર એસોશિએશને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. સીએમએ આ મુદ્દાને લઈ વિચાર કરવાની બાંહેધરી આપી હતી. જે બાદ શનિવાર સવારે મુખ્યમંત્રી કાર્યાલયથી એક ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં આનંદ જોવા મળ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.