અરે... બાપ રે! રાજ્ય સરકારે એકી ઝાટકે 6400 TRB જવાનોની કરી હકાલપટ્ટી, હવે તેમનું કોણ રણીધણી?


  • Published By :
  • Published Date : 2023-11-19 12:20:34

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટા નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેમાં પણ ફરજમુક્ત થયેલા જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ કરાયો પણ હુકમ કરતા 6400 TRB જવાનો પર તો જાણે આસમાન તુટી પડ્યું છે. રાજ્યમાં બેકારીથી ટળવળતા યુવાનોમાં હવે નવા 6400 TRBનો ઉમેરો થયો છે. હવે ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાનો પણ સરકારે આદેશ કર્યો છે. 


ચકચાર મચી ગઈ


રાજ્ય પોલીસ વડાએ રાજ્યના 9000 પૈકી 6400 TRB જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આપતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવ્યો છે. રાજ્યના 9 હજાર પૈકી 6400 જેટલા TRB જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર TRB જવાનોને 31મી ડિસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે. આ ઉપરાંત 3 વર્ષથી વધુ સમય પુર્ણ થયેલ હોઇ તેવા TRB જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો છે.



સરકારનું આ પગલું કેટલું યોગ્ય?


રાજ્યમાં સરકારની કોન્ટ્રાટ સિસ્ટમની નિતીના કારણે હજારો લાયક યુવાનોને પણ સરકારી નોકરી મળવી એ જાણે સપનું બની ગયું છે. બીજી તરફ પ્રાઈવેટ નોકરીઓમાં કોઈ સુરક્ષા હોતી નથી. તેમને પીએફ અને ગ્રેજ્યુટી જેવા કોઈ લાભ પણ મળતા નથી તેથી જે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે આકર્ષાયા છે. હવે આ પરિસ્થતીમાં રાજ્ય સરકાર હાયર અને ફાયરની નીતિ અપનાવે તે કેટલું યોગ્ય છે, એક  TRB જવાનને મહિને માત્ર 8400 પગાર મળે છે. આટલો પગાર તો લઘુત્તમ વેતનથી પણ ઓછો છે. રાજ્ય સરકારે એકી ઝાટકે 6400 TRB જવાનોને ઘર ભેગા કરતા તેમના માટે પરિવારજનોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.