અરે... બાપ રે! રાજ્ય સરકારે એકી ઝાટકે 6400 TRB જવાનોની કરી હકાલપટ્ટી, હવે તેમનું કોણ રણીધણી?


  • Published By :
  • Published Date : 2023-11-19 12:20:34

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટા નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેમાં પણ ફરજમુક્ત થયેલા જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ કરાયો પણ હુકમ કરતા 6400 TRB જવાનો પર તો જાણે આસમાન તુટી પડ્યું છે. રાજ્યમાં બેકારીથી ટળવળતા યુવાનોમાં હવે નવા 6400 TRBનો ઉમેરો થયો છે. હવે ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાનો પણ સરકારે આદેશ કર્યો છે. 


ચકચાર મચી ગઈ


રાજ્ય પોલીસ વડાએ રાજ્યના 9000 પૈકી 6400 TRB જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આપતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવ્યો છે. રાજ્યના 9 હજાર પૈકી 6400 જેટલા TRB જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર TRB જવાનોને 31મી ડિસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે. આ ઉપરાંત 3 વર્ષથી વધુ સમય પુર્ણ થયેલ હોઇ તેવા TRB જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો છે.



સરકારનું આ પગલું કેટલું યોગ્ય?


રાજ્યમાં સરકારની કોન્ટ્રાટ સિસ્ટમની નિતીના કારણે હજારો લાયક યુવાનોને પણ સરકારી નોકરી મળવી એ જાણે સપનું બની ગયું છે. બીજી તરફ પ્રાઈવેટ નોકરીઓમાં કોઈ સુરક્ષા હોતી નથી. તેમને પીએફ અને ગ્રેજ્યુટી જેવા કોઈ લાભ પણ મળતા નથી તેથી જે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે આકર્ષાયા છે. હવે આ પરિસ્થતીમાં રાજ્ય સરકાર હાયર અને ફાયરની નીતિ અપનાવે તે કેટલું યોગ્ય છે, એક  TRB જવાનને મહિને માત્ર 8400 પગાર મળે છે. આટલો પગાર તો લઘુત્તમ વેતનથી પણ ઓછો છે. રાજ્ય સરકારે એકી ઝાટકે 6400 TRB જવાનોને ઘર ભેગા કરતા તેમના માટે પરિવારજનોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.