ગુજરાતથી આટલા કિલોમીટર જ દૂર છે વાવાઝોડું! જાણો વાવાઝોડાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-10 16:14:53

બિપરજોયને લઈ હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી રહી છે. ધીમે ધીમે ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ગુજરાતના દરિયાકાંઠાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પરબંદરથી અંદાજીત 640 કિલોમીટર દૂર છે. પરંતુ ધીમે ધીમે વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ઝડપ પણ વધી રહી છે. જેને કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે.


ગુજરાતથી આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું!  

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ આગામી દિવસોમાં વલસાડ, સુરત અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક બીચને બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર પણ વાવાઝોડાને લઈ એલર્ટ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 



અંબાલાલ પટેલે કરી વાવાઝોડાને લઈ આગાહી!

વાવાઝોડાને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 10,11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે. પવનની ગતિ 120 કિમી સુધી પણ જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાની અસર ભારે થઈ શકે છે. વાવાઝોડું ઓમાન તરફ નહીં જાય પરંતુ સંભાવના પ્રમાણે ગુજરાત કાંઠા નજીક આવી શકે  છે. કાંઠા વિસ્તાર પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદને લઈ આગાહી કરતા કહ્યું કે પોરબંદર, સોમનાથ, વેરાવળ, ગીર, ભાવનગર, દક્ષિણ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.