ગુજરાતથી આટલા કિલોમીટર જ દૂર છે વાવાઝોડું! જાણો વાવાઝોડાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-10 16:14:53

બિપરજોયને લઈ હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી રહી છે. ધીમે ધીમે ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ગુજરાતના દરિયાકાંઠાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પરબંદરથી અંદાજીત 640 કિલોમીટર દૂર છે. પરંતુ ધીમે ધીમે વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ઝડપ પણ વધી રહી છે. જેને કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે.


ગુજરાતથી આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું!  

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ આગામી દિવસોમાં વલસાડ, સુરત અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક બીચને બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર પણ વાવાઝોડાને લઈ એલર્ટ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 



અંબાલાલ પટેલે કરી વાવાઝોડાને લઈ આગાહી!

વાવાઝોડાને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 10,11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે. પવનની ગતિ 120 કિમી સુધી પણ જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાની અસર ભારે થઈ શકે છે. વાવાઝોડું ઓમાન તરફ નહીં જાય પરંતુ સંભાવના પ્રમાણે ગુજરાત કાંઠા નજીક આવી શકે  છે. કાંઠા વિસ્તાર પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદને લઈ આગાહી કરતા કહ્યું કે પોરબંદર, સોમનાથ, વેરાવળ, ગીર, ભાવનગર, દક્ષિણ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે.




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?