વિનાશકારી સાબિત થશે વાવાઝોડું! વાવાઝોડા પહેલા જ આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો ક્યાં બની ઘટનાઓ?


  • Published By :
  • Published Date : 2023-06-13 09:50:23

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત પર સંકટ વધી રહ્યું છે. ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું વિનાશક સાબિત થાય તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તે પહેલા જ નુકસાનીના દ્રશ્યો આવવાના શરૂ થઈ ગયા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અથવા તો છત ઉડી ગઈ હોય. કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. ત્યાં વાવાઝોડું વધારે વિનાશકારી સાબિત થઈ શકે છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે કચ્છમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થઈ ગયા હતા ત્યારે આજે સમાચાર મળી રહ્યા છે કે પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં યુવક કાટમાળમાં દટાઈ ગયો અને તેનું મોત થઈ ગયું.

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના થયા મોત!

વાવાઝોડાને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. મુખ્યત્વે અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત કચ્છ, દ્વારકા તેમજ જામનગર જિલ્લો થઈ શકે છે તેવું અનુમાન છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું અનેક મુસીબતો તેમજ વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. ત્યારે આવી જ ઘટના રાજકોટથી પણ સામે આવી હતી. તેમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત થયું છે. 



જર્જરિત મકાન તૂટી પડતાં યુવકનું થયું મોત!   

ત્યારે ફરી એક વ્યક્તિનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બજારમાં આવેલું જર્જરિત મકાન તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સવારે જ્યારે આ ઘટના અંગે આસપાસના લોકોને જાણ થઈ ત્યારે તપાસ કરાતા ખબર પડી કે યુવકનું મોત થઈ ગયું છે. મહત્વનું છે કે અનેક વખત સૂચના પણ આપવામાં આવતી હોય છે કે આવા સમયે જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.