વિનાશકારી સાબિત થશે વાવાઝોડું! વાવાઝોડા પહેલા જ આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો ક્યાં બની ઘટનાઓ?


  • Published By :
  • Published Date : 2023-06-13 09:50:23

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત પર સંકટ વધી રહ્યું છે. ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું વિનાશક સાબિત થાય તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તે પહેલા જ નુકસાનીના દ્રશ્યો આવવાના શરૂ થઈ ગયા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અથવા તો છત ઉડી ગઈ હોય. કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. ત્યાં વાવાઝોડું વધારે વિનાશકારી સાબિત થઈ શકે છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે કચ્છમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થઈ ગયા હતા ત્યારે આજે સમાચાર મળી રહ્યા છે કે પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં યુવક કાટમાળમાં દટાઈ ગયો અને તેનું મોત થઈ ગયું.

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના થયા મોત!

વાવાઝોડાને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. મુખ્યત્વે અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત કચ્છ, દ્વારકા તેમજ જામનગર જિલ્લો થઈ શકે છે તેવું અનુમાન છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું અનેક મુસીબતો તેમજ વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. ત્યારે આવી જ ઘટના રાજકોટથી પણ સામે આવી હતી. તેમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત થયું છે. 



જર્જરિત મકાન તૂટી પડતાં યુવકનું થયું મોત!   

ત્યારે ફરી એક વ્યક્તિનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બજારમાં આવેલું જર્જરિત મકાન તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સવારે જ્યારે આ ઘટના અંગે આસપાસના લોકોને જાણ થઈ ત્યારે તપાસ કરાતા ખબર પડી કે યુવકનું મોત થઈ ગયું છે. મહત્વનું છે કે અનેક વખત સૂચના પણ આપવામાં આવતી હોય છે કે આવા સમયે જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?