વિનાશકારી સાબિત થશે વાવાઝોડું! વાવાઝોડા પહેલા જ આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો ક્યાં બની ઘટનાઓ?


  • Published By :
  • Published Date : 2023-06-13 09:50:23

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત પર સંકટ વધી રહ્યું છે. ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું વિનાશક સાબિત થાય તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તે પહેલા જ નુકસાનીના દ્રશ્યો આવવાના શરૂ થઈ ગયા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અથવા તો છત ઉડી ગઈ હોય. કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. ત્યાં વાવાઝોડું વધારે વિનાશકારી સાબિત થઈ શકે છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે કચ્છમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થઈ ગયા હતા ત્યારે આજે સમાચાર મળી રહ્યા છે કે પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં યુવક કાટમાળમાં દટાઈ ગયો અને તેનું મોત થઈ ગયું.

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના થયા મોત!

વાવાઝોડાને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. મુખ્યત્વે અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત કચ્છ, દ્વારકા તેમજ જામનગર જિલ્લો થઈ શકે છે તેવું અનુમાન છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું અનેક મુસીબતો તેમજ વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. ત્યારે આવી જ ઘટના રાજકોટથી પણ સામે આવી હતી. તેમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત થયું છે. 



જર્જરિત મકાન તૂટી પડતાં યુવકનું થયું મોત!   

ત્યારે ફરી એક વ્યક્તિનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બજારમાં આવેલું જર્જરિત મકાન તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સવારે જ્યારે આ ઘટના અંગે આસપાસના લોકોને જાણ થઈ ત્યારે તપાસ કરાતા ખબર પડી કે યુવકનું મોત થઈ ગયું છે. મહત્વનું છે કે અનેક વખત સૂચના પણ આપવામાં આવતી હોય છે કે આવા સમયે જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.