ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે! રાહુલને દોષિત જાહેર કરનાર જજનું અટક્યું પ્રમોશન!


  • Published By :
  • Published Date : 2023-05-12 12:46:32

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરનાર જજ સહિત 68 જજોની બઢતીનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સ્ટે મૂકી દીધો છે. ગુજરાતના 68 ન્યાયિક અધિકારીઓને જિલ્લા જજ કેડરમાં પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. અને પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. સુપ્રીમ કોર્ટે 68 જજોની બઢતી પર સ્ટે મૂકી દીધો છે અને હવે આ મામલે 8 ઓગષ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે.        


પ્રમોશન પામનારા જજોમાં સામેલ હતા રાહુલ ગાંધીને સજા આપનાર જજ!

થોડા સમય પહેલા સુરતની કાર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે થોડા સમય બાદ રાહુલ ગાંધીને સજા ફટકારનાર જજ સહિત 68 જજોની બઢતી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.    



પ્રમોશન રદ કરવાની કરાઈ હતી અરજી 

ગુજરાતના 68 ન્યાયાધીશોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા પડકારવામાં આવ્યું હતું. તેમની અરજીમાં તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચે બહાર પાડવામાં આવેલી બઢતીની યાદીને રદ કરવા અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નિમણૂકની સૂચનાને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ગુજરાત હાઈકોર્ટ મેરિટ અને સિનિયોરિટીના આધારે ન્યાયિક અધિકારીઓની નવી યાદી તૈયાર કરે. ત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે અને 8 ઓગષ્ટે આ મામલે વધુ સુનાવણી થશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે