જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈ તંત્ર સજ્જ! પરીક્ષાના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હસમુખ પટેલે આપી માહિતી, આવી રીતે રખાશે નજર


  • Published By :
  • Published Date : 2023-04-08 16:26:29

આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા પેપર ફૂટવાને કારણે પરીક્ષાને રદ્દ કરવામાં  આવી હતી. ત્યારે આવતી કાલે યોજાનારી પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષા પહેલા આઈપીએસ અને GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પરીક્ષા પહેલા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. ડમી ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ઉમેદવારોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે.


હસમુખ પટેલે પરીક્ષા પૂર્વે કરી પ્રેસ કોન્ફરન્સ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક પેપરો ફૂટી રહ્યા છે. થોડા સમય પહેલા યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા કેન્સલ થતાં લાખો ઉમેદવારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આવતી કાલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોઈ પણ ચૂક ન થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા લેવાય તે પહેલા પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું,  


પરીક્ષા કેન્દ્રો પર લગાવાયા છે સીસીટીવી કેમેરા  

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હસમુખ પટેલે કહ્યું કે પુરતા ઓબ્ઝવર્સ, ફ્લાઈંગ સ્કવોડની તૈયારી થઈ ગઈ છે. દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ડમી ઉમેદવાર ન બેસે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ બોડી વોમ કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તૈનાત રહેશે. પોલીસ અને એસટી વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષાખંડમાં ઉમેદવાર બેસે તે પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવશે. બુટ ચપ્પલ બહાર કઢાવવામાં આવશે. મહત્વનું છે કે ઉમેદવારોને લાવવા-લઈ જવા માટે એસટી બસ તેમજ રેલવેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 


તલાટીની પરીક્ષાને લઈ આપ્યું નિવેદન 

તો બીજી તરફ તલાટીની પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં હસમુખ પટેલે કહ્યું કે પુરતા પરીક્ષા કેન્દ્રો મળશે તો જ પરીક્ષા લેવામાં આવશે. જો કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા નહીં લઈ શકાય. અનેક કોલેજોએ હજુ બિલ્ડીંગ નથી આપી. ત્યારે આશા એવી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ વિધ્નવગર લેવાઈ જાય. કારણ કે આપણા માટે આ માત્ર એક પરીક્ષા હોઈ શકે છે પરંતુ ઉમેદવાર માટે આ પરીક્ષા તેનું ભવિષ્ય છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.