જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈ તંત્ર સજ્જ! પરીક્ષાના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હસમુખ પટેલે આપી માહિતી, આવી રીતે રખાશે નજર


  • Published By :
  • Published Date : 2023-04-08 16:26:29

આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા પેપર ફૂટવાને કારણે પરીક્ષાને રદ્દ કરવામાં  આવી હતી. ત્યારે આવતી કાલે યોજાનારી પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષા પહેલા આઈપીએસ અને GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પરીક્ષા પહેલા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. ડમી ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ઉમેદવારોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે.


હસમુખ પટેલે પરીક્ષા પૂર્વે કરી પ્રેસ કોન્ફરન્સ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક પેપરો ફૂટી રહ્યા છે. થોડા સમય પહેલા યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા કેન્સલ થતાં લાખો ઉમેદવારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આવતી કાલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોઈ પણ ચૂક ન થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા લેવાય તે પહેલા પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું,  


પરીક્ષા કેન્દ્રો પર લગાવાયા છે સીસીટીવી કેમેરા  

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હસમુખ પટેલે કહ્યું કે પુરતા ઓબ્ઝવર્સ, ફ્લાઈંગ સ્કવોડની તૈયારી થઈ ગઈ છે. દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ડમી ઉમેદવાર ન બેસે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ બોડી વોમ કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તૈનાત રહેશે. પોલીસ અને એસટી વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષાખંડમાં ઉમેદવાર બેસે તે પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવશે. બુટ ચપ્પલ બહાર કઢાવવામાં આવશે. મહત્વનું છે કે ઉમેદવારોને લાવવા-લઈ જવા માટે એસટી બસ તેમજ રેલવેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 


તલાટીની પરીક્ષાને લઈ આપ્યું નિવેદન 

તો બીજી તરફ તલાટીની પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં હસમુખ પટેલે કહ્યું કે પુરતા પરીક્ષા કેન્દ્રો મળશે તો જ પરીક્ષા લેવામાં આવશે. જો કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા નહીં લઈ શકાય. અનેક કોલેજોએ હજુ બિલ્ડીંગ નથી આપી. ત્યારે આશા એવી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ વિધ્નવગર લેવાઈ જાય. કારણ કે આપણા માટે આ માત્ર એક પરીક્ષા હોઈ શકે છે પરંતુ ઉમેદવાર માટે આ પરીક્ષા તેનું ભવિષ્ય છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.