ઢોર પકડવા માટે આવેલી Jamnagar Municipal Corporationની ટીમે ગૌ વંશ સાથે કરી ક્રૂરતા? વીડિયો જોયા બાદ જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-06 11:25:53

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત એવા વીડિયો સામે  આવતા હોય છે જે જોઈ લોકોમાં તેમજ માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળતી હોય છે. એક વીડિયો જામનગરથી સામે આવ્યો છે જેમાં ગાયને પકડવા માટે આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાઈ રહી છે... ગાયના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું છે અને પૂંછડી પકડીને ઢસડીને વાહનમાં ચડાવામાં આવી રહી છે.. 

અનેક વખત રખડતા ઢોરને પકડવા આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાય છે!  

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહીએ છીએ. પરંતુ અનેક વખત રખડતા ઢોર, રસ્તા પર રખડતી ગાયોને કારણે અકસ્માત સર્જાય છે. રખડતા પશુ રસ્તા પર ચાલી રહેલા અથવા વાહન પર આવી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે અને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે. રખડતા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત રખડતા ઢોરને પકડવા માટે આવેલી ટીમ રખડતા ઢોર પર ક્રૂરતા આચરતી દેખાય છે. રખડતા ઢોરને પકડવા માટે લાવવામાં આવેલી જે ગાડી હોય છે તેમાં ગાયને ચઢાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે જોઈને જીવદયા પ્રેમીમાં આક્રોશ જોવા મળે છે...



ગાયના ગળામાં દોરડૂં અને પૂંછડા પકડીને  વાહનમાં ચડાવાતા રોષ! 

જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ જીવદયા પ્રેમીઓમાં તેમજ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગાયને વાહનમાં ચઢાવવા માટે ગળામાં દોરડૂ બાંધવામાં આવ્યું છે અને પૂંછડા પકડીને ઢસેડવામાં આવી રહી છે... જે વીડિયો સામે આવ્યો છે તે બાદ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે... મળતી માહિતી અનુસાર એવી માગ ઉઠી છે કે આ મામલે તપાસ કરવામાં આવે... મહત્વનું છે કે ઢોર પકડવાની જે ઝુંબેશની વાત કરવામાં આવતી હોય છે તે અનેક વખત પોકળ સાબિત થતી હોય છે... અનેક વખત રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ઢોર પકડવાની જવાબદારી તંત્રની છે પરંતુ જ્યારે આવી રીતે ગો માતાને પકડવામાં આવે ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠવી સ્વભાવિક છે તેમ કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે