ઢોર પકડવા માટે આવેલી Jamnagar Municipal Corporationની ટીમે ગૌ વંશ સાથે કરી ક્રૂરતા? વીડિયો જોયા બાદ જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-06 11:25:53

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત એવા વીડિયો સામે  આવતા હોય છે જે જોઈ લોકોમાં તેમજ માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળતી હોય છે. એક વીડિયો જામનગરથી સામે આવ્યો છે જેમાં ગાયને પકડવા માટે આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાઈ રહી છે... ગાયના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું છે અને પૂંછડી પકડીને ઢસડીને વાહનમાં ચડાવામાં આવી રહી છે.. 

અનેક વખત રખડતા ઢોરને પકડવા આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાય છે!  

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહીએ છીએ. પરંતુ અનેક વખત રખડતા ઢોર, રસ્તા પર રખડતી ગાયોને કારણે અકસ્માત સર્જાય છે. રખડતા પશુ રસ્તા પર ચાલી રહેલા અથવા વાહન પર આવી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે અને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે. રખડતા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત રખડતા ઢોરને પકડવા માટે આવેલી ટીમ રખડતા ઢોર પર ક્રૂરતા આચરતી દેખાય છે. રખડતા ઢોરને પકડવા માટે લાવવામાં આવેલી જે ગાડી હોય છે તેમાં ગાયને ચઢાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે જોઈને જીવદયા પ્રેમીમાં આક્રોશ જોવા મળે છે...



ગાયના ગળામાં દોરડૂં અને પૂંછડા પકડીને  વાહનમાં ચડાવાતા રોષ! 

જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ જીવદયા પ્રેમીઓમાં તેમજ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગાયને વાહનમાં ચઢાવવા માટે ગળામાં દોરડૂ બાંધવામાં આવ્યું છે અને પૂંછડા પકડીને ઢસેડવામાં આવી રહી છે... જે વીડિયો સામે આવ્યો છે તે બાદ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે... મળતી માહિતી અનુસાર એવી માગ ઉઠી છે કે આ મામલે તપાસ કરવામાં આવે... મહત્વનું છે કે ઢોર પકડવાની જે ઝુંબેશની વાત કરવામાં આવતી હોય છે તે અનેક વખત પોકળ સાબિત થતી હોય છે... અનેક વખત રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ઢોર પકડવાની જવાબદારી તંત્રની છે પરંતુ જ્યારે આવી રીતે ગો માતાને પકડવામાં આવે ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠવી સ્વભાવિક છે તેમ કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.