ઢોર પકડવા માટે આવેલી Jamnagar Municipal Corporationની ટીમે ગૌ વંશ સાથે કરી ક્રૂરતા? વીડિયો જોયા બાદ જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-06 11:25:53

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત એવા વીડિયો સામે  આવતા હોય છે જે જોઈ લોકોમાં તેમજ માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળતી હોય છે. એક વીડિયો જામનગરથી સામે આવ્યો છે જેમાં ગાયને પકડવા માટે આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાઈ રહી છે... ગાયના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું છે અને પૂંછડી પકડીને ઢસડીને વાહનમાં ચડાવામાં આવી રહી છે.. 

અનેક વખત રખડતા ઢોરને પકડવા આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાય છે!  

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહીએ છીએ. પરંતુ અનેક વખત રખડતા ઢોર, રસ્તા પર રખડતી ગાયોને કારણે અકસ્માત સર્જાય છે. રખડતા પશુ રસ્તા પર ચાલી રહેલા અથવા વાહન પર આવી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે અને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે. રખડતા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત રખડતા ઢોરને પકડવા માટે આવેલી ટીમ રખડતા ઢોર પર ક્રૂરતા આચરતી દેખાય છે. રખડતા ઢોરને પકડવા માટે લાવવામાં આવેલી જે ગાડી હોય છે તેમાં ગાયને ચઢાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે જોઈને જીવદયા પ્રેમીમાં આક્રોશ જોવા મળે છે...



ગાયના ગળામાં દોરડૂં અને પૂંછડા પકડીને  વાહનમાં ચડાવાતા રોષ! 

જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ જીવદયા પ્રેમીઓમાં તેમજ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગાયને વાહનમાં ચઢાવવા માટે ગળામાં દોરડૂ બાંધવામાં આવ્યું છે અને પૂંછડા પકડીને ઢસેડવામાં આવી રહી છે... જે વીડિયો સામે આવ્યો છે તે બાદ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે... મળતી માહિતી અનુસાર એવી માગ ઉઠી છે કે આ મામલે તપાસ કરવામાં આવે... મહત્વનું છે કે ઢોર પકડવાની જે ઝુંબેશની વાત કરવામાં આવતી હોય છે તે અનેક વખત પોકળ સાબિત થતી હોય છે... અનેક વખત રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ઢોર પકડવાની જવાબદારી તંત્રની છે પરંતુ જ્યારે આવી રીતે ગો માતાને પકડવામાં આવે ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠવી સ્વભાવિક છે તેમ કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય... 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.