ઢોર પકડવા માટે આવેલી Jamnagar Municipal Corporationની ટીમે ગૌ વંશ સાથે કરી ક્રૂરતા? વીડિયો જોયા બાદ જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-06 11:25:53

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત એવા વીડિયો સામે  આવતા હોય છે જે જોઈ લોકોમાં તેમજ માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળતી હોય છે. એક વીડિયો જામનગરથી સામે આવ્યો છે જેમાં ગાયને પકડવા માટે આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાઈ રહી છે... ગાયના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું છે અને પૂંછડી પકડીને ઢસડીને વાહનમાં ચડાવામાં આવી રહી છે.. 

અનેક વખત રખડતા ઢોરને પકડવા આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાય છે!  

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહીએ છીએ. પરંતુ અનેક વખત રખડતા ઢોર, રસ્તા પર રખડતી ગાયોને કારણે અકસ્માત સર્જાય છે. રખડતા પશુ રસ્તા પર ચાલી રહેલા અથવા વાહન પર આવી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે અને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે. રખડતા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત રખડતા ઢોરને પકડવા માટે આવેલી ટીમ રખડતા ઢોર પર ક્રૂરતા આચરતી દેખાય છે. રખડતા ઢોરને પકડવા માટે લાવવામાં આવેલી જે ગાડી હોય છે તેમાં ગાયને ચઢાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે જોઈને જીવદયા પ્રેમીમાં આક્રોશ જોવા મળે છે...



ગાયના ગળામાં દોરડૂં અને પૂંછડા પકડીને  વાહનમાં ચડાવાતા રોષ! 

જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ જીવદયા પ્રેમીઓમાં તેમજ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગાયને વાહનમાં ચઢાવવા માટે ગળામાં દોરડૂ બાંધવામાં આવ્યું છે અને પૂંછડા પકડીને ઢસેડવામાં આવી રહી છે... જે વીડિયો સામે આવ્યો છે તે બાદ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે... મળતી માહિતી અનુસાર એવી માગ ઉઠી છે કે આ મામલે તપાસ કરવામાં આવે... મહત્વનું છે કે ઢોર પકડવાની જે ઝુંબેશની વાત કરવામાં આવતી હોય છે તે અનેક વખત પોકળ સાબિત થતી હોય છે... અનેક વખત રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ઢોર પકડવાની જવાબદારી તંત્રની છે પરંતુ જ્યારે આવી રીતે ગો માતાને પકડવામાં આવે ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠવી સ્વભાવિક છે તેમ કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.