‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રથમ ગીત ‘નૈયો લગદા’નું ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-11 18:33:46

પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈ સલમાન ખાન ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોયા બાદ સલમાન ખાનને મોટા પડદા પર જોવા માટે દર્શકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. વેલેન્ટાઈન વીકમાં ભાઈજાને દર્શકોને ભેટ આપી છે. ફિલ્મના પહેલા ગીત નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

  

નૈયો લગદા સોન્ગનું ટીઝર થયું રિલીઝ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાન કેમિયો કરતા જોવા મળ્યા હતા. પઠાણ ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે જ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ મોટા પડદા પર સલમાન ખાનને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રથમ સોન્ગ નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાન એકદમ રોમેન્ટિક અવતારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગીતમાં સલમાન ખાન પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યા છે. 


ઈદ સમયે રિલીઝ થશે ફિલ્મ 

હિમેશ રેશમીયાએ આ ગીતને કમ્પોઝ કર્યું છે. તે ઉપરાંત આના શબ્દો કમાલ અને શબ્બીર અહેમદે લખ્યા છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ જોવા મળવાની છે. ફિલ્મનું પ્રથમ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે. અનેક વર્ષો બાદ ઈદ પર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે.             




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.