‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રથમ ગીત ‘નૈયો લગદા’નું ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-11 18:33:46

પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈ સલમાન ખાન ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોયા બાદ સલમાન ખાનને મોટા પડદા પર જોવા માટે દર્શકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. વેલેન્ટાઈન વીકમાં ભાઈજાને દર્શકોને ભેટ આપી છે. ફિલ્મના પહેલા ગીત નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

  

નૈયો લગદા સોન્ગનું ટીઝર થયું રિલીઝ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાન કેમિયો કરતા જોવા મળ્યા હતા. પઠાણ ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે જ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ મોટા પડદા પર સલમાન ખાનને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રથમ સોન્ગ નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાન એકદમ રોમેન્ટિક અવતારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગીતમાં સલમાન ખાન પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યા છે. 


ઈદ સમયે રિલીઝ થશે ફિલ્મ 

હિમેશ રેશમીયાએ આ ગીતને કમ્પોઝ કર્યું છે. તે ઉપરાંત આના શબ્દો કમાલ અને શબ્બીર અહેમદે લખ્યા છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ જોવા મળવાની છે. ફિલ્મનું પ્રથમ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે. અનેક વર્ષો બાદ ઈદ પર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે.             




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.