‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રથમ ગીત ‘નૈયો લગદા’નું ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-11 18:33:46

પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈ સલમાન ખાન ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોયા બાદ સલમાન ખાનને મોટા પડદા પર જોવા માટે દર્શકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. વેલેન્ટાઈન વીકમાં ભાઈજાને દર્શકોને ભેટ આપી છે. ફિલ્મના પહેલા ગીત નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

  

નૈયો લગદા સોન્ગનું ટીઝર થયું રિલીઝ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાન કેમિયો કરતા જોવા મળ્યા હતા. પઠાણ ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે જ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ મોટા પડદા પર સલમાન ખાનને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રથમ સોન્ગ નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાન એકદમ રોમેન્ટિક અવતારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગીતમાં સલમાન ખાન પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યા છે. 


ઈદ સમયે રિલીઝ થશે ફિલ્મ 

હિમેશ રેશમીયાએ આ ગીતને કમ્પોઝ કર્યું છે. તે ઉપરાંત આના શબ્દો કમાલ અને શબ્બીર અહેમદે લખ્યા છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ જોવા મળવાની છે. ફિલ્મનું પ્રથમ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે. અનેક વર્ષો બાદ ઈદ પર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે.             




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.