દેશના આ રાજ્યમાં તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી આસપાસ, માર્ચ મહિનામાં પડી રહી છે કાળઝાળ ગરમી!


  • Published By :
  • Published Date : 2023-03-10 13:23:28

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં પણ ફેબ્રુઆરી મહિનામાં અનેક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે ત્યારે કેરળમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. માર્ચ મહિનામાં જ જૂન વાળી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચમાં પણ કેરળના અનેક વિસ્તારોનું તાપમાન 54 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આવનાર મહિનામાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે જેને કારણે લોકો બીમાર પડી શકે છે.   


માર્ચ મહિનામાં જ તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી 

માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકરા તાપનો અનુભવ કેરળના લોકો કરી રહ્યા છે. દિવસેને દિવસે દેશનું વાતાવરણ વિચિત્ર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અનેક જગ્યાઓ પર ગરમી પોતાનો રેકોર્ડ તોડી રહી છે. માર્ચ મહિનામાં જ જૂનવાળી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કોટ્ટાયમ, અલપ્પુઝા અને કન્નુર જિલ્લાઓના અનેક વિસ્તારોમા 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય તિરૂવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝાના બીજા વિસ્તારોમાં તાપમાન 49-54 ડિગ્રી નોંધાયું હતું. 


આવનાર મહિનામાં હજી વધશે ગરમીનું પ્રમાણ!

ગરમીને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જે મુજબ કેરળના અનેક વિસ્તારોમાં તાપમાન 56 ડિગ્રી નોંધાયું છે. આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વધતી ગરમીને કારણે લોકો ગંભીર બિમારીનો શિકાર પણ બની શકે છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીએ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે હજી મે-જૂન મહિનો બાકી છે. ત્યારે તાપમાનનો પારો કેટલે પહોંચશે તે જોવાનું રહ્યું.  




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.