દેશના આ રાજ્યમાં તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી આસપાસ, માર્ચ મહિનામાં પડી રહી છે કાળઝાળ ગરમી!


  • Published By :
  • Published Date : 2023-03-10 13:23:28

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં પણ ફેબ્રુઆરી મહિનામાં અનેક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે ત્યારે કેરળમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. માર્ચ મહિનામાં જ જૂન વાળી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચમાં પણ કેરળના અનેક વિસ્તારોનું તાપમાન 54 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આવનાર મહિનામાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે જેને કારણે લોકો બીમાર પડી શકે છે.   


માર્ચ મહિનામાં જ તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી 

માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકરા તાપનો અનુભવ કેરળના લોકો કરી રહ્યા છે. દિવસેને દિવસે દેશનું વાતાવરણ વિચિત્ર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અનેક જગ્યાઓ પર ગરમી પોતાનો રેકોર્ડ તોડી રહી છે. માર્ચ મહિનામાં જ જૂનવાળી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કોટ્ટાયમ, અલપ્પુઝા અને કન્નુર જિલ્લાઓના અનેક વિસ્તારોમા 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય તિરૂવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝાના બીજા વિસ્તારોમાં તાપમાન 49-54 ડિગ્રી નોંધાયું હતું. 


આવનાર મહિનામાં હજી વધશે ગરમીનું પ્રમાણ!

ગરમીને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જે મુજબ કેરળના અનેક વિસ્તારોમાં તાપમાન 56 ડિગ્રી નોંધાયું છે. આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વધતી ગરમીને કારણે લોકો ગંભીર બિમારીનો શિકાર પણ બની શકે છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીએ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે હજી મે-જૂન મહિનો બાકી છે. ત્યારે તાપમાનનો પારો કેટલે પહોંચશે તે જોવાનું રહ્યું.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.