દેશના આ રાજ્યમાં તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી આસપાસ, માર્ચ મહિનામાં પડી રહી છે કાળઝાળ ગરમી!


  • Published By :
  • Published Date : 2023-03-10 13:23:28

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં પણ ફેબ્રુઆરી મહિનામાં અનેક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે ત્યારે કેરળમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. માર્ચ મહિનામાં જ જૂન વાળી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચમાં પણ કેરળના અનેક વિસ્તારોનું તાપમાન 54 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આવનાર મહિનામાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે જેને કારણે લોકો બીમાર પડી શકે છે.   


માર્ચ મહિનામાં જ તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી 

માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકરા તાપનો અનુભવ કેરળના લોકો કરી રહ્યા છે. દિવસેને દિવસે દેશનું વાતાવરણ વિચિત્ર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અનેક જગ્યાઓ પર ગરમી પોતાનો રેકોર્ડ તોડી રહી છે. માર્ચ મહિનામાં જ જૂનવાળી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કોટ્ટાયમ, અલપ્પુઝા અને કન્નુર જિલ્લાઓના અનેક વિસ્તારોમા 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય તિરૂવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝાના બીજા વિસ્તારોમાં તાપમાન 49-54 ડિગ્રી નોંધાયું હતું. 


આવનાર મહિનામાં હજી વધશે ગરમીનું પ્રમાણ!

ગરમીને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જે મુજબ કેરળના અનેક વિસ્તારોમાં તાપમાન 56 ડિગ્રી નોંધાયું છે. આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વધતી ગરમીને કારણે લોકો ગંભીર બિમારીનો શિકાર પણ બની શકે છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીએ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે હજી મે-જૂન મહિનો બાકી છે. ત્યારે તાપમાનનો પારો કેટલે પહોંચશે તે જોવાનું રહ્યું.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.