જેતપુરમાં જોવા મળ્યો રખડતા પશુઓનો આતંક, સ્કૂલ રિક્ષા બની આખલાઓનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-05 15:14:11

રખડતા ઢોરનો મુદ્દો દિન- પ્રતિદિન વધી રહ્યો છે. દરરોજ અનેક લોકો રખડતા ઢોરની હડફેટે આવતા હોય છે અને મૃત્યુને અથવા તો ઈજાઓ પામતા હોય છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોને રખડતા ઢોરનો ભોગ મુખ્યત્વે બનતા હોય છે. ત્યારે રાજકોટના જેતપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકોથી ભરેલી રીક્ષા રખડતા ઢોરની હડફેટે આવી ગયા છે. 


નિર્દોષ લોકો બનતા હોય રખડતા ઢોરનો શિકાર 

રાજ્યમાં રખડતા ઢોર દ્વારા અનેક વખત રાહદારીઓ પર તેમજ વાહનચાલકો પર હુમલો કરવામાં  આવતો હોય છે. હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રખડતા ઢોરનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. હાલત એવી થઈ છે કે જ્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓ રસ્તા પરથી પસાર થતા હોય તે દરમિયાન તેઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે. 


ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું થયું મોત 

છેલ્લા ઘણાં સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં રખડતા પશુઓનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાવનગરમાં એક કિસ્સો બન્યો હતો જેમાં મજૂરી કામ કરીને પરત ફરતા દરમિયાન એક મજૂરને પોતાની અડફેટે લઈ લીધા હતા. મુખ્યત્વે ઢોર ગઘડતા હોય તે વખતે આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં ઈજાપામેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટનામાં બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 


વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને લીધી અડફેટે

બીજી એક ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. બાળકોથી ભરેલી રિક્ષાને રખડતા ઢોરે ટક્કર મારી હતી. જેને કારણે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનાને કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ઉઠી છે. અનેક વખત ઢોર દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વધતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે માટે કાર્યવાહી  કરવા લોકો માગ કરી રહ્યા છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.