જેતપુરમાં જોવા મળ્યો રખડતા પશુઓનો આતંક, સ્કૂલ રિક્ષા બની આખલાઓનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-05 15:14:11

રખડતા ઢોરનો મુદ્દો દિન- પ્રતિદિન વધી રહ્યો છે. દરરોજ અનેક લોકો રખડતા ઢોરની હડફેટે આવતા હોય છે અને મૃત્યુને અથવા તો ઈજાઓ પામતા હોય છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોને રખડતા ઢોરનો ભોગ મુખ્યત્વે બનતા હોય છે. ત્યારે રાજકોટના જેતપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકોથી ભરેલી રીક્ષા રખડતા ઢોરની હડફેટે આવી ગયા છે. 


નિર્દોષ લોકો બનતા હોય રખડતા ઢોરનો શિકાર 

રાજ્યમાં રખડતા ઢોર દ્વારા અનેક વખત રાહદારીઓ પર તેમજ વાહનચાલકો પર હુમલો કરવામાં  આવતો હોય છે. હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રખડતા ઢોરનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. હાલત એવી થઈ છે કે જ્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓ રસ્તા પરથી પસાર થતા હોય તે દરમિયાન તેઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે. 


ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું થયું મોત 

છેલ્લા ઘણાં સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં રખડતા પશુઓનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાવનગરમાં એક કિસ્સો બન્યો હતો જેમાં મજૂરી કામ કરીને પરત ફરતા દરમિયાન એક મજૂરને પોતાની અડફેટે લઈ લીધા હતા. મુખ્યત્વે ઢોર ગઘડતા હોય તે વખતે આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં ઈજાપામેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટનામાં બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 


વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને લીધી અડફેટે

બીજી એક ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. બાળકોથી ભરેલી રિક્ષાને રખડતા ઢોરે ટક્કર મારી હતી. જેને કારણે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનાને કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ઉઠી છે. અનેક વખત ઢોર દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વધતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે માટે કાર્યવાહી  કરવા લોકો માગ કરી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.