જેતપુરમાં જોવા મળ્યો રખડતા પશુઓનો આતંક, સ્કૂલ રિક્ષા બની આખલાઓનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-05 15:14:11

રખડતા ઢોરનો મુદ્દો દિન- પ્રતિદિન વધી રહ્યો છે. દરરોજ અનેક લોકો રખડતા ઢોરની હડફેટે આવતા હોય છે અને મૃત્યુને અથવા તો ઈજાઓ પામતા હોય છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોને રખડતા ઢોરનો ભોગ મુખ્યત્વે બનતા હોય છે. ત્યારે રાજકોટના જેતપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકોથી ભરેલી રીક્ષા રખડતા ઢોરની હડફેટે આવી ગયા છે. 


નિર્દોષ લોકો બનતા હોય રખડતા ઢોરનો શિકાર 

રાજ્યમાં રખડતા ઢોર દ્વારા અનેક વખત રાહદારીઓ પર તેમજ વાહનચાલકો પર હુમલો કરવામાં  આવતો હોય છે. હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રખડતા ઢોરનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. હાલત એવી થઈ છે કે જ્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓ રસ્તા પરથી પસાર થતા હોય તે દરમિયાન તેઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે. 


ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું થયું મોત 

છેલ્લા ઘણાં સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં રખડતા પશુઓનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાવનગરમાં એક કિસ્સો બન્યો હતો જેમાં મજૂરી કામ કરીને પરત ફરતા દરમિયાન એક મજૂરને પોતાની અડફેટે લઈ લીધા હતા. મુખ્યત્વે ઢોર ગઘડતા હોય તે વખતે આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં ઈજાપામેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટનામાં બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 


વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને લીધી અડફેટે

બીજી એક ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. બાળકોથી ભરેલી રિક્ષાને રખડતા ઢોરે ટક્કર મારી હતી. જેને કારણે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનાને કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ઉઠી છે. અનેક વખત ઢોર દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વધતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે માટે કાર્યવાહી  કરવા લોકો માગ કરી રહ્યા છે.  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .