રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, અડફેટે આવતા લોકોએ ગુમાવ્યો પડે છે જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-09 15:47:19

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકોના મોત રખડતા ઢોરની અડફેટે આવી જાય છે અને મોતને ભેટે છે. કોઈ એટલી વાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે કે જીંદગીભર તેમના શરીરમાં ખામી રહી જતી હોય છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકોમાં તેમજ રાહદારીઓને ભોગવવાનો વારો આવે છે. રખડતા ઢોર વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ રાહદારીઓ તેમજ વાહનચાલકો કરી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે આવ્યું છે. રખડતા ઢોરને લઈ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈ હાઈકોર્ટે જવાબ આપ્યો છે. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals


અનેક લોકો પર રખડતા ઢોરે કર્યો હુમલો 

એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી દે તેવો ભય રાહદારીઓને સતાવતો હોય છે. શાંત દેખાતા પશુઓ ગમે ત્યારે ઝઘડી પડે તેનો ડર રહેતો હોય છે. આપણી સામે અનેક એવા વીડિયો આવતા હોય છે જેમાં નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ બનતા હોય છે. ત્યારે આજે જ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છે. આ હુમલાને કારણે દાહોદમાં રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધા છે. તો બીજી જગ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત થયું છે. તે સિવાય રાજકોટથી પણ આવા દશ્યો સામે આવ્યા છે. રસ્તામાં રખડતા પશુની અડફેટે આવતા મહિલાનું મોત થઈ ગયું છે. 

આધેડના મોત બાદ રખડતા ઢોર મામલે મેયરનું મહત્વનું નિવેદન AMC Mayor Important  statement on animals

  માલધારી સમાજ ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતીની


નિર્દોષ લોકોને સહન કરવો પડે છે રખડતા ઢોરનો આતંક 

અમદાવાદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સમસ્યા તો ત્યાં પણ સરખી છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી જતા હોય છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને ભેટતા હોય છ. અમદાવાદના રાણીપના બલોલનગર સુંદરવન ફ્લેટ પાસે આ બનાવ બન્યો છે. રખડતા ઢોરે બાળકને અડફેટે લીધું હતું. બાળકને બચાવવા માટે દાદી વચ્ચે પડ્યા. બાળકીની દાદીને સામાન્ય ઈજા પહોંચી છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા ઢોર દ્વારા કરવામાં આવતો હુમલો નિર્દોષ લોકો માટે પ્રાણઘાતક સાબિત થતો હોય છે. એક જ દિવસમાં રખડતા ઢોરના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે?  

ગુજરાતમાં માલધારીઓ જેના વિરોધમાં રસ્તા પર ઊતર્યા એ 'ઢોર નિયંત્રણ બિલ' શું?  - BBC News ગુજરાતી

કોઠારીયા રોડ, આજી ચોકડી, માર્કેટીંગ યાર્ડ, રૈયાગામ, યુનિ.રોડ પરથી 304 પશુ  પકડાયા - Sanj Samachar



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.