રાજ્યમાં રખડતાં શ્વાનનો ફરી જોવા મળ્યો આતંક! અમરેલીમાં બાળક પર શ્વાનના ટોળાએ કર્યો હુમલો, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:00:35

રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. પહેલા રખડતાં ઢોર રાહદારીઓ માટે મુસીબત બનતા હતા ત્યારે હવે રખડતા શ્વાન મુસીબત બની રહ્યા છે. આપણી સામે એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં શ્વાનને કારણે લોકોના જીવ ગયા છે. ત્યારે આવી જ ઘટના અમરેલીના દામનગરના સીમ વિસ્તારથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન અચાનક પાંચ છ કૂતરાઓનું ટોળું આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. ગંભીર રીતે બાળક ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો. વહાલસોટા બાળકને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


શ્વાનના ટોળાએ કર્યો બાળક પર હુમલો!

રાજ્યમાં રખડતાં શ્વાનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોના જીવ શ્વાનના હુમલાને કારણે જતાં હોય છે. અમરેલીમાં તો સિંહ અને દીપડા દ્વારા થતાં હુમલાઓને કારણે માસુમ લોકોના જીવ જાય છે. ત્યારે માનવ ભક્ષી બની ગયેલા કૂતરાઓએ 3 વર્ષના બાળકનો જીવ લીધો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળક પર એક-બે નહીં પરંતુ પાંચ-છ કૂતરાઓએ હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કરી બાળકને ફાડી ખાધું હતું. કૂતરાઓના ટોળાએ બાળકને ફંગોળી, અનેક જગ્યાઓ પર બચકા ભર્યા હતા. બાળકના માથાના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. નાની ઉંમરે બાળકને ગુમાવી દેતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 



અનેક વખત આવી ઘટનાઓ આવી છે સામે! 

મહત્વનું છે સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં બાળકી પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. તે સિવાય સુરતથી જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં વરરાજાને કૂતરૂ કરડ્યું હતું. વરરાજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે પહેલા ઈડરથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા. બાળકને 85 ટાંકા આવ્યા હતા. વધતા કૂતરાઓના હુમલાને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.