રાજ્યમાં રખડતાં શ્વાનનો ફરી જોવા મળ્યો આતંક! અમરેલીમાં બાળક પર શ્વાનના ટોળાએ કર્યો હુમલો, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:00:35

રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. પહેલા રખડતાં ઢોર રાહદારીઓ માટે મુસીબત બનતા હતા ત્યારે હવે રખડતા શ્વાન મુસીબત બની રહ્યા છે. આપણી સામે એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં શ્વાનને કારણે લોકોના જીવ ગયા છે. ત્યારે આવી જ ઘટના અમરેલીના દામનગરના સીમ વિસ્તારથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન અચાનક પાંચ છ કૂતરાઓનું ટોળું આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. ગંભીર રીતે બાળક ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો. વહાલસોટા બાળકને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


શ્વાનના ટોળાએ કર્યો બાળક પર હુમલો!

રાજ્યમાં રખડતાં શ્વાનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોના જીવ શ્વાનના હુમલાને કારણે જતાં હોય છે. અમરેલીમાં તો સિંહ અને દીપડા દ્વારા થતાં હુમલાઓને કારણે માસુમ લોકોના જીવ જાય છે. ત્યારે માનવ ભક્ષી બની ગયેલા કૂતરાઓએ 3 વર્ષના બાળકનો જીવ લીધો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળક પર એક-બે નહીં પરંતુ પાંચ-છ કૂતરાઓએ હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કરી બાળકને ફાડી ખાધું હતું. કૂતરાઓના ટોળાએ બાળકને ફંગોળી, અનેક જગ્યાઓ પર બચકા ભર્યા હતા. બાળકના માથાના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. નાની ઉંમરે બાળકને ગુમાવી દેતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 



અનેક વખત આવી ઘટનાઓ આવી છે સામે! 

મહત્વનું છે સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં બાળકી પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. તે સિવાય સુરતથી જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં વરરાજાને કૂતરૂ કરડ્યું હતું. વરરાજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે પહેલા ઈડરથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા. બાળકને 85 ટાંકા આવ્યા હતા. વધતા કૂતરાઓના હુમલાને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.