આવતી કાલે ટેટ-2ની પરીક્ષાનું કરાયું છે આયોજન, રાજ્યમાં બે લાખ જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા!


  • Published By :
  • Published Date : 2023-04-22 16:13:04

ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ યોજાઈ હતી. ત્યારે આવતી કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોપી કેસ તેમજ ગેરરીતી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં અંદાજીત 2 લાખ 76 હજાર ઉમેદવારો બેસવાના છે. પરીક્ષા માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જો કોઈ ઉમેદાવાર ગેરરીતિ કરતા પકડાશે તો કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.  


2 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા!

રાજ્યમાં આવતી કાલે મહત્વપૂર્ણ પરીક્ષા લેવાવાની છે. ટેટ-1ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ત્યારે આવતી કાલે ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. પહેલી વખત જ્યારે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું ત્યારે પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ ફરી એક વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિર્વિધ્ન પૂર્ણ થઈ હતી. ત્યારે કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા લેવવાની છે. અંદાજીત 2 લાખ કરતા વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું છે.


પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા

કાલે યોજાનારી પરીક્ષામાં કોઈ અવ્યવસ્થા ન થાય તેમજ ગેરરીતિ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જો એસઓપીની વાત કરીએ તો પરીક્ષાખંડમાં ઉમેદવાર પોતાની સાથે આઈડી પ્રૂફ તેમજ હોલ ટિકિટ સિવાય કોઈ પ્રકારનું સાહિત્ય લઈ શકશે નહીં. તે સિવાય કોઈ પણ ઉમેદવાર જો મોબાઈલ સાથે પકડાશે તો ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.             



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.