આવતી કાલે ટેટ-2ની પરીક્ષાનું કરાયું છે આયોજન, રાજ્યમાં બે લાખ જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા!


  • Published By :
  • Published Date : 2023-04-22 16:13:04

ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ યોજાઈ હતી. ત્યારે આવતી કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોપી કેસ તેમજ ગેરરીતી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં અંદાજીત 2 લાખ 76 હજાર ઉમેદવારો બેસવાના છે. પરીક્ષા માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જો કોઈ ઉમેદાવાર ગેરરીતિ કરતા પકડાશે તો કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.  


2 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા!

રાજ્યમાં આવતી કાલે મહત્વપૂર્ણ પરીક્ષા લેવાવાની છે. ટેટ-1ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ત્યારે આવતી કાલે ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. પહેલી વખત જ્યારે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું ત્યારે પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ ફરી એક વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિર્વિધ્ન પૂર્ણ થઈ હતી. ત્યારે કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા લેવવાની છે. અંદાજીત 2 લાખ કરતા વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું છે.


પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા

કાલે યોજાનારી પરીક્ષામાં કોઈ અવ્યવસ્થા ન થાય તેમજ ગેરરીતિ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જો એસઓપીની વાત કરીએ તો પરીક્ષાખંડમાં ઉમેદવાર પોતાની સાથે આઈડી પ્રૂફ તેમજ હોલ ટિકિટ સિવાય કોઈ પ્રકારનું સાહિત્ય લઈ શકશે નહીં. તે સિવાય કોઈ પણ ઉમેદવાર જો મોબાઈલ સાથે પકડાશે તો ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.             



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે