આવતી કાલે ટેટ-2ની પરીક્ષાનું કરાયું છે આયોજન, રાજ્યમાં બે લાખ જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા!


  • Published By :
  • Published Date : 2023-04-22 16:13:04

ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ યોજાઈ હતી. ત્યારે આવતી કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોપી કેસ તેમજ ગેરરીતી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં અંદાજીત 2 લાખ 76 હજાર ઉમેદવારો બેસવાના છે. પરીક્ષા માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જો કોઈ ઉમેદાવાર ગેરરીતિ કરતા પકડાશે તો કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.  


2 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા!

રાજ્યમાં આવતી કાલે મહત્વપૂર્ણ પરીક્ષા લેવાવાની છે. ટેટ-1ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ત્યારે આવતી કાલે ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. પહેલી વખત જ્યારે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું ત્યારે પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ ફરી એક વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિર્વિધ્ન પૂર્ણ થઈ હતી. ત્યારે કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા લેવવાની છે. અંદાજીત 2 લાખ કરતા વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું છે.


પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા

કાલે યોજાનારી પરીક્ષામાં કોઈ અવ્યવસ્થા ન થાય તેમજ ગેરરીતિ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જો એસઓપીની વાત કરીએ તો પરીક્ષાખંડમાં ઉમેદવાર પોતાની સાથે આઈડી પ્રૂફ તેમજ હોલ ટિકિટ સિવાય કોઈ પ્રકારનું સાહિત્ય લઈ શકશે નહીં. તે સિવાય કોઈ પણ ઉમેદવાર જો મોબાઈલ સાથે પકડાશે તો ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.             



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.