ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ? જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-15 17:01:10

છેલ્લા થોડા દિવસોથી વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે. અનેક જિલ્લાઓ છે જ્યાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે પરંતુ સાર્વિત્રક વરસાદ નથી પડ્યો. પરંતુ આવનાર દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ 18 જુલાઈથી 21 જુલાઈની વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટને પણ વરસાદ ધમરોળી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ 

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે મન મૂકીને ધબધબાટી બોલાવી હતી. અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ ફરીથી એક વખત વરસાદ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 18 જુલાઈની આસપાસ ફરી એક વખત સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતાઓ છે. ધીરે ધીરે વરસાદનું જોર વધશે અને રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી મેઘમહેર જોવા મળશે.   


આ જગ્યાઓ પર આ તારીખે વરસાદની સંભાવના  

આગાહી પ્રમાણે 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ 18થી 21 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા તેમજ પાટણ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, ગીર સોમનાથ, ભાવનગર,રાજકોટમાં પણ મેઘરાજા જોરદાર પધરામણી કરી શકે છે.  


વરસાદી આંકડા કરાયા જાહેર  

વરસાદની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી જુનથી 14 જુલાઈ સુધી ગુજરાતમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે અનુક્રમે 278.8 મિમી, 552.8 મિમી, 270.2 મિમી અને 501.5 મિમી નોંધાયો છે. તે સિવાય અમરેલીમાં 420.4 મિમી, ભાવનગરમાં 302.5 મિમી, ગીર સોમનાથમાં 681.2 મિમી, જામનગરમાં 521.5 મિમી, જૂનાગઢમાં 828 મિમી, બોટાદમાં 415.8 મિમી, દેવભૂમિ દ્વારકામાં 462.7 મિમી, મોરબીમાં 292.6 મિમી, પોરબંદરમાં 477.5 મિમી, રાજકોટમાં 501.5 મિમી, સુરેન્દ્રનગરમાં 274.1 મિમી અને કચ્છમાં 504.9 મિમી વરસાદ વરસ્યો છે. ભરૂચમાં 262.9 મિમી, છોટા ઉદેપુરમાં 294.5 મિમી, દાહોદમાં 187.3 મિમી, ડાંગમાં 681.4 મિમી, ખેડામાં 341.1 મિમી, મહિસાગરમાં 318.8 મિમી, નર્મદામાં 304.2 મિમી, નવસારીમાં 910.1 મિમી, પંચમહાલમાં 278.7 મિમી, તાપીમાં 569 મિમી અને વલસાડમાં 951.7 મિમી વરસાદ નોંધાયો છે. 



અનેક જળાશયો થયા પાણીથી છલોછલ 

મહત્વનું છે સિઝનનો સારો એવો વરસાદ થવાને કારણે જળાશયોની જળસપાટીમાં વધારો થયો છે. અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.  ૧૪ જુલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો એવા છે જેમાં 50 ટકા સુધી પાણી ભરાયા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.