રખડતા ઢોરનો ત્રાસ યથાવત! રખડતી ગાયો અને આખલા લોકોને કચડી નાખે એમાં માત્ર તંત્ર કે માલધારીઓ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-03-20 16:11:43

અનેક વખત રખડતા ઢોરને લઈ અમે સમાચાર લખીએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિ વધી રહ્યો છે. રોજે રખડતા ઢોર કોઈ વ્યક્તિને અડફેટે લે છે અને તે મોતને ભેટે છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આ વાત તમને સામાન્ય લાગતી હશે કે આમાં શું? પરંતુ જે પરિવારજનોએ પોતાના સભ્યને આવી રીતે ગુમાવ્યા હોય તે જ પીડાને સમજી શકશે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી ગયો છે. ધોળકાથી સમાચાર આવ્યા કે આખલાએ એક માણસને ગંભીર રીતે અડફેટે લઈ લીધા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું નિધન થઈ ગયું. 

આખલાની અડફેટે આવતા ગયો એક વ્યક્તિનો જીવ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર એકબીજા સાથે ઝઘડતા હોય પરંતુ અચાનક તે કોઈ વ્યક્તિ પર હુમલો કરી દે છે અને તે ઈજાગ્રસ્ત થઈ જાય છે. ત્યારે આવી જ એક ઘટના ધોળકાથી સામે આવી. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે વ્યક્તિ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે ડાહ્માભાઈ છે અને તેમના દીકરા જીવણભાઈ અમારી ઓફિસમાં કામ કરે છે. આ ઘટના કેવી રીતે બની તેની જાણ થઈ ત્યારે તે એકદમ ભયાનક હતી અને ચોંકાવનારી હતી. જ્યારે આખલાએ ડાહ્યાભાઈને અડફેટે લીધા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


કોઈએ આ ઘટનાની જવાબદારી સ્વીકારવી પડશે!

ફૂટેજમાં દેખાતું હતું કે ડાહ્યાભાઈ રસ્તા પર જઈ રહ્યા હતા અને અચાનક ત્યાં આખલા આવી ગયા. બે આંખલા ઝઘડતા ઝઘડતા ત્યાં આવ્યા એ તો આખલાથી ઘણા દૂર હતા પણ આંખલા આવ્યા અને એમને કચડી નાખ્યા. દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે આવી જ ઘટના ફરી એ જ જગ્યા પર, એ જ ગામના બીજા વ્યક્તિ સાથે બની! આંખલાએ બીજા વ્યક્તિને પણ કચડી નાખ્યા અને એ જ રીતે તેમનું પણ મોત થયું. આ ઘટના છે હેદલપુરની છે. બીજી ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું તે એકદમ યુવાન હતો. આવી ઘટના જો એક બે વખત થાય તો સમજ્યા પરંતુ અવાર-નવાર આવી ઘટનાઓ બને તો સવાલ થાય. સતત આવી ઘટનાઓ સામે આવે છતાં એક પણ પક્ષ જવાબદારી ન સ્વીકારે કોઈનું પેટનું પાણી પણ ન હલે, ના માલધારીમાને, ના તંત્ર. 


મૃતકના પરિવારનું કોણ સાંભળશે?

જ્યારે કડક કાર્યવાહીની વાત આવે ત્યારે મલધારીઓ દાદાગીરી કરે અને બીજી બાજુ એ લોકો જ્યારે પ્રશ્ન પૂછે કે અમને ઓપ્શનમાં શું આપો છો? અમારે આ પશુ ક્યાં રાખવા ત્યારે પણ કોઈ પાસે જવાબ ના હોય તો એક વાત યાદ રાખવાની કે આ બહું ભયાનક પરિસ્થિતી છે. આ ખાલી વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોનો પ્રશ્ન નથી. સરકાર જ્યારે એક પશુ નિયંત્રણ ધારો લાવે છે ત્યારે જે મલધારીઓ એકતા સાથે રસ્તા પર ઉતરે છે એ લોકો જવાબ આપો કે આ બધા જ લોકો જે મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારનું કોણ સાંભળશે? 

આ ઘટનાઓ બની તેની જવાબદારી કોણ લેશે? 

અને એના માટે ખાલી સરકાર કઈ રીતે જવાબદાર હોય? શું નૈતિક રીતે બધાની જવાબદારી નથી? ગૌચરો નથી તો એના માટે સત્તા પક્ષના નેતાઓ કે વિપક્ષના નેતાઓ ક્યા એગ્રેસિવ થઈને બોલ્યા? એટલે જ અમારે તમને અત્યારની પરિસ્થિતિ બતાવી છે. જ્યાં વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં બે દિલસ પહેલા ઢોર પકડવા ગયેલ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં પશુપાલકો ઢોર છોડાવવાનો પ્રયાસ કરે છે. અને પછી દાદાગીરી પર ઉતરે છે. આટલા લોકોના જીવ જાય છે તો એની જવાબદારી કોણ લેશે? સરકાર જવાબ આપે કે આ લોકોના જીવની કિંમત શું?  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.