રિલીઝ થઈ ગયું છે અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર, શું તમે જોયું ટ્રેલર?


  • Published By :
  • Published Date : 2023-01-22 16:32:54

અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી આવનાર સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. ત્યારે આજે સેલ્ફી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે ઈમરાન હાશમી પણ છે. સેલ્ફી ફિલ્મનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે ઉપરાંત ઈમોશનલ પણ છે. આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેમના ફેન્સ વચ્ચેના પ્રેમની છે. દરેકને પોતાના મનગમતા સુપરસ્ટાર સાથે સેલ્ફી લેવાની ઈચ્છા હોય છે. આ ફિલ્મમાં આવી જ વાત બતાવામાં આવી છે. 

अक्षय कुमार

અક્ષયકુમારની બતાવવામાં આવી છે ધમાકેદાર એન્ટ્રી 

ટ્રેલરના શરૂઆત અક્ષય કુમારની એન્ટ્રી થાય તે પહેલા અવાજ આવે છે  વિજય સર કોઈ નોર્મલ સ્ટાર નથી, પણ અમારા દિલમાં વસનારા સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિજયનો રોલ નિભાવી રહ્યા છે. આગની જ્વાળાઓ વચ્ચે અક્ષયકુમારની એન્ટ્રી થાય છે. આ ફિલ્મને લઈને અક્ષયકુમારને આશાઓ છે. 2022માં આવેલી ફિલ્મો અક્ષયકુમાર માટે નિરાશાજનક રહી છે. 


ફેબ્રુઆરીમાં ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શન, પૃથ્વીરાજ પ્રોજક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવશે? આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી એક સાથે કામ કરી રહ્યા છે. આ વર્ષે અક્ષયકુમારની અનેક ફિલ્મોમાં જોવા મળવાના છે. 




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.