રિલીઝ થઈ ગયું છે અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર, શું તમે જોયું ટ્રેલર?


  • Published By :
  • Published Date : 2023-01-22 16:32:54

અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી આવનાર સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. ત્યારે આજે સેલ્ફી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે ઈમરાન હાશમી પણ છે. સેલ્ફી ફિલ્મનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે ઉપરાંત ઈમોશનલ પણ છે. આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેમના ફેન્સ વચ્ચેના પ્રેમની છે. દરેકને પોતાના મનગમતા સુપરસ્ટાર સાથે સેલ્ફી લેવાની ઈચ્છા હોય છે. આ ફિલ્મમાં આવી જ વાત બતાવામાં આવી છે. 

अक्षय कुमार

અક્ષયકુમારની બતાવવામાં આવી છે ધમાકેદાર એન્ટ્રી 

ટ્રેલરના શરૂઆત અક્ષય કુમારની એન્ટ્રી થાય તે પહેલા અવાજ આવે છે  વિજય સર કોઈ નોર્મલ સ્ટાર નથી, પણ અમારા દિલમાં વસનારા સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિજયનો રોલ નિભાવી રહ્યા છે. આગની જ્વાળાઓ વચ્ચે અક્ષયકુમારની એન્ટ્રી થાય છે. આ ફિલ્મને લઈને અક્ષયકુમારને આશાઓ છે. 2022માં આવેલી ફિલ્મો અક્ષયકુમાર માટે નિરાશાજનક રહી છે. 


ફેબ્રુઆરીમાં ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શન, પૃથ્વીરાજ પ્રોજક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવશે? આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી એક સાથે કામ કરી રહ્યા છે. આ વર્ષે અક્ષયકુમારની અનેક ફિલ્મોમાં જોવા મળવાના છે. 




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.