રિલીઝ થઈ ગયું છે અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર, શું તમે જોયું ટ્રેલર?


  • Published By :
  • Published Date : 2023-01-22 16:32:54

અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી આવનાર સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. ત્યારે આજે સેલ્ફી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે ઈમરાન હાશમી પણ છે. સેલ્ફી ફિલ્મનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે ઉપરાંત ઈમોશનલ પણ છે. આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેમના ફેન્સ વચ્ચેના પ્રેમની છે. દરેકને પોતાના મનગમતા સુપરસ્ટાર સાથે સેલ્ફી લેવાની ઈચ્છા હોય છે. આ ફિલ્મમાં આવી જ વાત બતાવામાં આવી છે. 

अक्षय कुमार

અક્ષયકુમારની બતાવવામાં આવી છે ધમાકેદાર એન્ટ્રી 

ટ્રેલરના શરૂઆત અક્ષય કુમારની એન્ટ્રી થાય તે પહેલા અવાજ આવે છે  વિજય સર કોઈ નોર્મલ સ્ટાર નથી, પણ અમારા દિલમાં વસનારા સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિજયનો રોલ નિભાવી રહ્યા છે. આગની જ્વાળાઓ વચ્ચે અક્ષયકુમારની એન્ટ્રી થાય છે. આ ફિલ્મને લઈને અક્ષયકુમારને આશાઓ છે. 2022માં આવેલી ફિલ્મો અક્ષયકુમાર માટે નિરાશાજનક રહી છે. 


ફેબ્રુઆરીમાં ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શન, પૃથ્વીરાજ પ્રોજક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવશે? આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી એક સાથે કામ કરી રહ્યા છે. આ વર્ષે અક્ષયકુમારની અનેક ફિલ્મોમાં જોવા મળવાના છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.