આવી ગયું ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર, અમેરિકા 'સેટ' થવા ગયેલા ગુજરાતીને યાદ આવ્યું અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:00:38

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર આવી ગયું છે. જે દર્શકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે.
'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે.
જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે.

Upcoming Gujarati Movies 2022 | Gujarati Movies Releasing This Week in  Mumbai - BookMyShow


'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.

Raunaq Kamdar on 'Chabutro': Its beauty lies in its simplicity - Exclusive!  | Gujarati Movie News - Times of India

'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે કે જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે. 'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.


'ચબૂતરો'નું ટ્રેલર જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://youtu.be/HetMGMdCTzE


મોટા પડદા પર ફરી ધમાલ મચાવશે આરોહી અને મલ્હારની જોડી

www.youtube.com/embed/0pusD7OTMMA

વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'લવની ભવાઈ'માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ 'ઓમ મંગલમ્ સિંગલમ્'નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલ કર્યું છે જ્યારે સંગીત સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ આરોહી પટેલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે યલ્લો ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે તેણે તેના વાળને હલકા કર્લ્સ કર્યા છે. તો મલ્હારને વાદળી ટીશર્ટ અને ડેનિમમાં જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે '18 નવેમ્બર, 2022ના રોજ અમે સાથે આવી રહ્યા છીએ'


છેલ્લા 6 મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ

Gujarati Movie Best Sale, SAVE 48% - kawaleesnews.com

કોરોના મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે. એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું, "અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્યું છે. ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.