કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-23 09:21:17

વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. વધતા કોરોના સંક્રમણને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જે બાદ આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે.


રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે યોજશે બેઠક

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. અનેક પરિવારે કોરોનાને કારણે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વધતા કોરોના કેસને જોઈ ભારત સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ બેઠકો કરવામાં આવી રહી છે. આજે મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. સંસદમાં પણ કોરોનાને લઈ મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના અંગેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 


પીએમ મોદીએ પણ કરી હતી ઉચ્ચ સ્તરીય બેઠક

કોરોનાની અસર સંસદમાં પણ જોવા મળી હતી. સાંસદોને પણ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી છે. ઉપરાંત સ્પીકર,પીએમ મોદી સહિતના અનેક સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત પીએમ મોદીએ પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.