કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-23 09:21:17

વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. વધતા કોરોના સંક્રમણને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જે બાદ આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે.


રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે યોજશે બેઠક

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. અનેક પરિવારે કોરોનાને કારણે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વધતા કોરોના કેસને જોઈ ભારત સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ બેઠકો કરવામાં આવી રહી છે. આજે મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. સંસદમાં પણ કોરોનાને લઈ મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના અંગેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 


પીએમ મોદીએ પણ કરી હતી ઉચ્ચ સ્તરીય બેઠક

કોરોનાની અસર સંસદમાં પણ જોવા મળી હતી. સાંસદોને પણ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી છે. ઉપરાંત સ્પીકર,પીએમ મોદી સહિતના અનેક સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત પીએમ મોદીએ પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે