બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપીના વિવાદનો આવ્યો અંત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:08:10

બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપીના વિવાદનો આવ્યો અંત 


શું હતો વિવાદ ?

લોક ડાયરામાં લોકોનું ભરપુર મનોરંજન કરતા લોક કલાકારોની સમાજમાં ખુબ પ્રતિષ્ઠા હોય છે. આ કલાકારો તેમની દેશી અને ગ્રામીણ શૈલીમાં સમાજ ઉપયોગી અને મર્મસ્પર્શી વાતો કરી સમાજને નવો રાહ ચિંધતા હોય છે. જો કે  આ જ કલાકારો પરસ્પર ઝગડી પડે ત્યારે લોકોને નવાઈ લાગે તે સ્વાભાવિક છે. લોક કલાકારો સ્ટેજ પર શાબ્દિક ટપાટપી કરે તેવી ઘટનાઓ ખુબ ઓછી બને છે. ગુજરાતી લોકસાહિત્યના બે મોટા નામ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ટપાટપીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે છે તેવો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો 

શાબ્દિક ટપાટપીનો વિડિયો જોવા નીચે કિલક કરો


શાબ્દિક ટપાટપીના વિવાદનો આવ્યો અંત 

લોક ડાયરા દરમિયાન સ્ટેજ પરથી કરાયેલ ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતો. સમાજને સંદેશો આપનારા કલાકારો વચ્ચે થયેલા શાબ્દિક ટપાટપીનો વિષય લોકમુખે ચર્ચાઈ રહ્યો હતો. ત્યારે ઈસરદાન ગઢવી અને દેવાયત ખવડે વચ્ચે થલેયા શાબ્દિક યુદ્ધનો અંત મઢના સોનલ ધામ ખાતે આવ્યો છે. તેઓએ કહ્યું હમેશાં માટે અમે બન્ને ભાઈઓ ભેગા છીએ. મન દુ:ખ દુર થઈ ગયા છે. તો જોઈએ સોનલ ધામ ખાતે બન્ને વચ્ચે થયેલા સમાધાનનો વિડીયો.


 બંને કલાકારો વચ્ચે થયું સમાધાન જુઓ વિડિયો  





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .