મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચૂકાદો, જયસુખ પટેલને અપાઈ આ સજા


  • Published By :
  • Published Date : 2023-02-08 16:58:56

મોરબીમાં દિવાળી સમયે હોનારત સર્જાઈ હતી. ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા. ઘટનાના અનેક મહિનાઓ બાદ ઓરેવા કંપનીના માલિક સામે આવ્યા. આ કેસની સુનાવણી મોરબીની ચીફ જ્ડુડિશિયલ કોર્ટમાં ચાલી રહી હતી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજૂ કરાયા હતા. આ મામલે પોલીસ વધુ રિમાન્ડ ન માગતા જેલ હવાલે કરાયા હતા.         


135 જેટલા લોકોના થયા મોત   

દિવાળીના સમયે એક તરફ લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 


જેલ હવાલે થશે જયસુખ પટેલ 

આ મામલે અંદાજીત 10 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે રિમાન્ડની માગ ન કરતા જયસુખ પટેલની મેડિકલ તપાસ કર્યા બાદ જેલ હવાલે કરાશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.