મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચૂકાદો, જયસુખ પટેલને અપાઈ આ સજા


  • Published By :
  • Published Date : 2023-02-08 16:58:56

મોરબીમાં દિવાળી સમયે હોનારત સર્જાઈ હતી. ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા. ઘટનાના અનેક મહિનાઓ બાદ ઓરેવા કંપનીના માલિક સામે આવ્યા. આ કેસની સુનાવણી મોરબીની ચીફ જ્ડુડિશિયલ કોર્ટમાં ચાલી રહી હતી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજૂ કરાયા હતા. આ મામલે પોલીસ વધુ રિમાન્ડ ન માગતા જેલ હવાલે કરાયા હતા.         


135 જેટલા લોકોના થયા મોત   

દિવાળીના સમયે એક તરફ લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 


જેલ હવાલે થશે જયસુખ પટેલ 

આ મામલે અંદાજીત 10 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે રિમાન્ડની માગ ન કરતા જયસુખ પટેલની મેડિકલ તપાસ કર્યા બાદ જેલ હવાલે કરાશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.