દારૂ પીને આવેલા AMTS બસના ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ! જુઓ નશાની હાલતમાં શું કહ્યું બસ ડ્રાઈવરે..


  • Published By :
  • Published Date : 2023-04-29 14:18:11

ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આપણામાંથી અનેક લોકો માનતા હશે કે આ વાતો માત્ર કાગળ પર છે. વાત પણ સાચી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે વારંવાર આવતા હોય છે જે દારૂ બંધીના દાવાને ખોટા સાબિત કરતા હોય છે. ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ પીને ડ્રાઈવર ફરજ પર આવ્યો હતો. દારૂ પીને નોકરી પર આવતા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતાર્યો હતો. એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો!

અનેક લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. બસમાં મુસાફરી કરતા લોકોના જીવ બસ ચલાવતા ડ્રાઈવરના હાથમાં હોય છે. પરંતુ અનેક એવા ડ્રાઈવરો હોય છે જેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કોઈ વીડિયોમાં ડ્રાઈવર એકદમ રફ ડ્રાઈવિંગ કરતા નજરે પડતા હોય છે તો કોઈ વીડિયોમાં બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એએમટીએસ બસ ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મણિનગર એએમટીએસ બસ સ્ટેશનનો છે. 


આ અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો!

ફરજ પર દારૂ પીને આવેલા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતારી લીધો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિએ ડ્રાઈવરને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દારૂ પીધું હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે થોડા સમય પહેલા પણ એક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો હતો. દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા પેસેન્જરોએ ડ્રાઈવરને બસ રોકવા પર મજબૂર કરી દીધા હતા. 


જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 

બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ જોખમમાં નશાની હાલતમાં આવેલા ડ્રાઈવરો રાખતા હોય છે. બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ જ્યારે આવા ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મળતી માહિતી અનુસાર ડ્રાઈવર વિરૂદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર એક તરફ દારૂ બંધીની વાતો કરતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ મળતો હોય છે.               




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.