દારૂ પીને આવેલા AMTS બસના ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ! જુઓ નશાની હાલતમાં શું કહ્યું બસ ડ્રાઈવરે..


  • Published By :
  • Published Date : 2023-04-29 14:18:11

ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આપણામાંથી અનેક લોકો માનતા હશે કે આ વાતો માત્ર કાગળ પર છે. વાત પણ સાચી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે વારંવાર આવતા હોય છે જે દારૂ બંધીના દાવાને ખોટા સાબિત કરતા હોય છે. ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ પીને ડ્રાઈવર ફરજ પર આવ્યો હતો. દારૂ પીને નોકરી પર આવતા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતાર્યો હતો. એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો!

અનેક લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. બસમાં મુસાફરી કરતા લોકોના જીવ બસ ચલાવતા ડ્રાઈવરના હાથમાં હોય છે. પરંતુ અનેક એવા ડ્રાઈવરો હોય છે જેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કોઈ વીડિયોમાં ડ્રાઈવર એકદમ રફ ડ્રાઈવિંગ કરતા નજરે પડતા હોય છે તો કોઈ વીડિયોમાં બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એએમટીએસ બસ ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મણિનગર એએમટીએસ બસ સ્ટેશનનો છે. 


આ અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો!

ફરજ પર દારૂ પીને આવેલા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતારી લીધો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિએ ડ્રાઈવરને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દારૂ પીધું હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે થોડા સમય પહેલા પણ એક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો હતો. દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા પેસેન્જરોએ ડ્રાઈવરને બસ રોકવા પર મજબૂર કરી દીધા હતા. 


જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 

બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ જોખમમાં નશાની હાલતમાં આવેલા ડ્રાઈવરો રાખતા હોય છે. બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ જ્યારે આવા ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મળતી માહિતી અનુસાર ડ્રાઈવર વિરૂદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર એક તરફ દારૂ બંધીની વાતો કરતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ મળતો હોય છે.               




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.