દારૂ પીને આવેલા AMTS બસના ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ! જુઓ નશાની હાલતમાં શું કહ્યું બસ ડ્રાઈવરે..


  • Published By :
  • Published Date : 2023-04-29 14:18:11

ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આપણામાંથી અનેક લોકો માનતા હશે કે આ વાતો માત્ર કાગળ પર છે. વાત પણ સાચી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે વારંવાર આવતા હોય છે જે દારૂ બંધીના દાવાને ખોટા સાબિત કરતા હોય છે. ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ પીને ડ્રાઈવર ફરજ પર આવ્યો હતો. દારૂ પીને નોકરી પર આવતા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતાર્યો હતો. એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો!

અનેક લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. બસમાં મુસાફરી કરતા લોકોના જીવ બસ ચલાવતા ડ્રાઈવરના હાથમાં હોય છે. પરંતુ અનેક એવા ડ્રાઈવરો હોય છે જેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કોઈ વીડિયોમાં ડ્રાઈવર એકદમ રફ ડ્રાઈવિંગ કરતા નજરે પડતા હોય છે તો કોઈ વીડિયોમાં બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એએમટીએસ બસ ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મણિનગર એએમટીએસ બસ સ્ટેશનનો છે. 


આ અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો!

ફરજ પર દારૂ પીને આવેલા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતારી લીધો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિએ ડ્રાઈવરને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દારૂ પીધું હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે થોડા સમય પહેલા પણ એક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો હતો. દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા પેસેન્જરોએ ડ્રાઈવરને બસ રોકવા પર મજબૂર કરી દીધા હતા. 


જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 

બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ જોખમમાં નશાની હાલતમાં આવેલા ડ્રાઈવરો રાખતા હોય છે. બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ જ્યારે આવા ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મળતી માહિતી અનુસાર ડ્રાઈવર વિરૂદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર એક તરફ દારૂ બંધીની વાતો કરતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ મળતો હોય છે.               




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.