દારૂ પીને આવેલા AMTS બસના ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ! જુઓ નશાની હાલતમાં શું કહ્યું બસ ડ્રાઈવરે..


  • Published By :
  • Published Date : 2023-04-29 14:18:11

ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આપણામાંથી અનેક લોકો માનતા હશે કે આ વાતો માત્ર કાગળ પર છે. વાત પણ સાચી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે વારંવાર આવતા હોય છે જે દારૂ બંધીના દાવાને ખોટા સાબિત કરતા હોય છે. ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ પીને ડ્રાઈવર ફરજ પર આવ્યો હતો. દારૂ પીને નોકરી પર આવતા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતાર્યો હતો. એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો!

અનેક લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. બસમાં મુસાફરી કરતા લોકોના જીવ બસ ચલાવતા ડ્રાઈવરના હાથમાં હોય છે. પરંતુ અનેક એવા ડ્રાઈવરો હોય છે જેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કોઈ વીડિયોમાં ડ્રાઈવર એકદમ રફ ડ્રાઈવિંગ કરતા નજરે પડતા હોય છે તો કોઈ વીડિયોમાં બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એએમટીએસ બસ ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મણિનગર એએમટીએસ બસ સ્ટેશનનો છે. 


આ અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો!

ફરજ પર દારૂ પીને આવેલા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતારી લીધો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિએ ડ્રાઈવરને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દારૂ પીધું હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે થોડા સમય પહેલા પણ એક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો હતો. દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા પેસેન્જરોએ ડ્રાઈવરને બસ રોકવા પર મજબૂર કરી દીધા હતા. 


જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 

બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ જોખમમાં નશાની હાલતમાં આવેલા ડ્રાઈવરો રાખતા હોય છે. બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ જ્યારે આવા ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મળતી માહિતી અનુસાર ડ્રાઈવર વિરૂદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર એક તરફ દારૂ બંધીની વાતો કરતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ મળતો હોય છે.               




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.