ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ભારતમાં નોતરશે મોંઘવારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-15 22:44:31

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.  

Iran-Israel conflict: Tehran 'preparing to attack Israel' possibly before  US election

 ઈરાને ઇઝરાયેલ પર ખુબ મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો . આ હુમલાઓ પછી હવે ફરી એકવાર ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કર્યો છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થતિઓ ખુબ એસ્કલેટ થઇ રહી છે. ઇઝરાયેલએ ઈરાની રાજધાની તેહરાનમાં મેન ઓઇલ ડિપોર્ટ અને સેન્ટ્રલ ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ બનાવી છે. જેનાથી તેહરાનમાં કેટલીક જગ્યાઓએ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ઈઝરાઈલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ , એર ડિફેન્સ સિસ્ટમ્સ , મિલિટરી ઇન્સ્ટોલેશન્સને ટાર્ગેટ બનાવ્યા છે. અત્યારસુધીમાં ઇઝરાયેલની સ્ટ્રાઈકમાં ઈરાનમાં 78 લોકોના મોત થયા છે. ઇઝરાયેલએ ઈરાની રક્ષામંત્રાલયનું જે હેડક્વાર્ટર છે તેને પણ ટાર્ગેટ બનાવ્યું છે. ઈરાને આ અગાઉ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલના શહેર , તેલ અવીવ અને જેરુસલેમ પર ખુબ મોટાપાયે મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો .  ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૮ જેટલો છે . જયારે ઘાયલ લોકોની સંખ્યા ૧૦૦થી વધારે પહોંચી ચુકી છે. આ પછી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ચીમકી ઉચ્ચારી હતી કે , આયાતોલ્લાહ સરકારના દરેક ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવશે . આપને જણાવી દયિકે , ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામીની છે . 

Major Geopolitical Alert: Iran Seriously Considering Closure of Strait of  Hormuz - Tunisie

આ બાબતે , હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોસીયલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે . જેમાં તેમણે  લખ્યું છે કે , ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે , તેમાં અમેરિકાને કોઈ જ લેવાદેવા નથી . પરંતુ જો , ઈરાન દ્વારા કોઈ પણ રીતે અમને એટલેકે , યુએસને ટાર્ગેટ કરવામાં આવ્યા તો , અમેરિકાની સેના એ રીતે જવાબ આપશે કે તમે કલ્પના પણ નઈ કરી હોય . તેમ છતાં ,  આ લોહિયાળ જંગને રોકવા માટે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે અમેરિકા ડીલ કરાવી શકે છે . " હવે વાત કરીએ કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ જંગ છે કેવી રીતે વૈશ્વિક બજારોની સાથે ભારત માટે પણ નુકશાનકારક છે? ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે એસ્કેલેશન વધવાથી , આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો નોંધાયો છે. આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન બંધ કરી શકે છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ મહત્વનો ચોકપોઇન્ટ છે . જ્યાંથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ટ્રાંસિટનું ૨૦ થી ૨૫ ટકા ઓઇલ પસાર થાય છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ UAE અને કતાર માટે મહત્વપૂર્ણ છે . કેમ કેમ કે , UAE અને કતાર ત્યાંથી પોતાનો  LNG ( લીકવીફાઇડ નેચરલ ગેસ ) પસાર કરે છે. જેમાં કતાર , ભારતનું પ્રમુખ LNG સપ્લાયર છે .ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ ઓઇલએ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે . આ નિર્ભરતા વધી રહી છે. પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવની વચ્ચે , ભારતમાં મોંઘવારી વધી શકે છે. ભારતે ૨૦૧૯માં મજબુર થઈને ઇરાનથી ઓઇલથી આયાત બંધ કરવી પડી હતી કેમ કે , અમેરિકાએ ઈરાન પર  સેન્ક્શન લગાવ્યા છે . 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .