ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ભારતમાં નોતરશે મોંઘવારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-15 22:44:31

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.  

Iran-Israel conflict: Tehran 'preparing to attack Israel' possibly before  US election

 ઈરાને ઇઝરાયેલ પર ખુબ મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો . આ હુમલાઓ પછી હવે ફરી એકવાર ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કર્યો છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થતિઓ ખુબ એસ્કલેટ થઇ રહી છે. ઇઝરાયેલએ ઈરાની રાજધાની તેહરાનમાં મેન ઓઇલ ડિપોર્ટ અને સેન્ટ્રલ ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ બનાવી છે. જેનાથી તેહરાનમાં કેટલીક જગ્યાઓએ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ઈઝરાઈલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ , એર ડિફેન્સ સિસ્ટમ્સ , મિલિટરી ઇન્સ્ટોલેશન્સને ટાર્ગેટ બનાવ્યા છે. અત્યારસુધીમાં ઇઝરાયેલની સ્ટ્રાઈકમાં ઈરાનમાં 78 લોકોના મોત થયા છે. ઇઝરાયેલએ ઈરાની રક્ષામંત્રાલયનું જે હેડક્વાર્ટર છે તેને પણ ટાર્ગેટ બનાવ્યું છે. ઈરાને આ અગાઉ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલના શહેર , તેલ અવીવ અને જેરુસલેમ પર ખુબ મોટાપાયે મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો .  ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૮ જેટલો છે . જયારે ઘાયલ લોકોની સંખ્યા ૧૦૦થી વધારે પહોંચી ચુકી છે. આ પછી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ચીમકી ઉચ્ચારી હતી કે , આયાતોલ્લાહ સરકારના દરેક ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવશે . આપને જણાવી દયિકે , ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામીની છે . 

Major Geopolitical Alert: Iran Seriously Considering Closure of Strait of  Hormuz - Tunisie

આ બાબતે , હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોસીયલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે . જેમાં તેમણે  લખ્યું છે કે , ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે , તેમાં અમેરિકાને કોઈ જ લેવાદેવા નથી . પરંતુ જો , ઈરાન દ્વારા કોઈ પણ રીતે અમને એટલેકે , યુએસને ટાર્ગેટ કરવામાં આવ્યા તો , અમેરિકાની સેના એ રીતે જવાબ આપશે કે તમે કલ્પના પણ નઈ કરી હોય . તેમ છતાં ,  આ લોહિયાળ જંગને રોકવા માટે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે અમેરિકા ડીલ કરાવી શકે છે . " હવે વાત કરીએ કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ જંગ છે કેવી રીતે વૈશ્વિક બજારોની સાથે ભારત માટે પણ નુકશાનકારક છે? ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે એસ્કેલેશન વધવાથી , આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો નોંધાયો છે. આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન બંધ કરી શકે છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ મહત્વનો ચોકપોઇન્ટ છે . જ્યાંથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ટ્રાંસિટનું ૨૦ થી ૨૫ ટકા ઓઇલ પસાર થાય છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ UAE અને કતાર માટે મહત્વપૂર્ણ છે . કેમ કેમ કે , UAE અને કતાર ત્યાંથી પોતાનો  LNG ( લીકવીફાઇડ નેચરલ ગેસ ) પસાર કરે છે. જેમાં કતાર , ભારતનું પ્રમુખ LNG સપ્લાયર છે .ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ ઓઇલએ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે . આ નિર્ભરતા વધી રહી છે. પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવની વચ્ચે , ભારતમાં મોંઘવારી વધી શકે છે. ભારતે ૨૦૧૯માં મજબુર થઈને ઇરાનથી ઓઇલથી આયાત બંધ કરવી પડી હતી કેમ કે , અમેરિકાએ ઈરાન પર  સેન્ક્શન લગાવ્યા છે . 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી