ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ભારતમાં નોતરશે મોંઘવારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-15 22:44:31

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.  

Iran-Israel conflict: Tehran 'preparing to attack Israel' possibly before  US election

 ઈરાને ઇઝરાયેલ પર ખુબ મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો . આ હુમલાઓ પછી હવે ફરી એકવાર ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કર્યો છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થતિઓ ખુબ એસ્કલેટ થઇ રહી છે. ઇઝરાયેલએ ઈરાની રાજધાની તેહરાનમાં મેન ઓઇલ ડિપોર્ટ અને સેન્ટ્રલ ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ બનાવી છે. જેનાથી તેહરાનમાં કેટલીક જગ્યાઓએ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ઈઝરાઈલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ , એર ડિફેન્સ સિસ્ટમ્સ , મિલિટરી ઇન્સ્ટોલેશન્સને ટાર્ગેટ બનાવ્યા છે. અત્યારસુધીમાં ઇઝરાયેલની સ્ટ્રાઈકમાં ઈરાનમાં 78 લોકોના મોત થયા છે. ઇઝરાયેલએ ઈરાની રક્ષામંત્રાલયનું જે હેડક્વાર્ટર છે તેને પણ ટાર્ગેટ બનાવ્યું છે. ઈરાને આ અગાઉ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલના શહેર , તેલ અવીવ અને જેરુસલેમ પર ખુબ મોટાપાયે મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો .  ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૮ જેટલો છે . જયારે ઘાયલ લોકોની સંખ્યા ૧૦૦થી વધારે પહોંચી ચુકી છે. આ પછી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ચીમકી ઉચ્ચારી હતી કે , આયાતોલ્લાહ સરકારના દરેક ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવશે . આપને જણાવી દયિકે , ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામીની છે . 

Major Geopolitical Alert: Iran Seriously Considering Closure of Strait of  Hormuz - Tunisie

આ બાબતે , હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોસીયલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે . જેમાં તેમણે  લખ્યું છે કે , ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે , તેમાં અમેરિકાને કોઈ જ લેવાદેવા નથી . પરંતુ જો , ઈરાન દ્વારા કોઈ પણ રીતે અમને એટલેકે , યુએસને ટાર્ગેટ કરવામાં આવ્યા તો , અમેરિકાની સેના એ રીતે જવાબ આપશે કે તમે કલ્પના પણ નઈ કરી હોય . તેમ છતાં ,  આ લોહિયાળ જંગને રોકવા માટે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે અમેરિકા ડીલ કરાવી શકે છે . " હવે વાત કરીએ કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ જંગ છે કેવી રીતે વૈશ્વિક બજારોની સાથે ભારત માટે પણ નુકશાનકારક છે? ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે એસ્કેલેશન વધવાથી , આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો નોંધાયો છે. આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન બંધ કરી શકે છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ મહત્વનો ચોકપોઇન્ટ છે . જ્યાંથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ટ્રાંસિટનું ૨૦ થી ૨૫ ટકા ઓઇલ પસાર થાય છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ UAE અને કતાર માટે મહત્વપૂર્ણ છે . કેમ કેમ કે , UAE અને કતાર ત્યાંથી પોતાનો  LNG ( લીકવીફાઇડ નેચરલ ગેસ ) પસાર કરે છે. જેમાં કતાર , ભારતનું પ્રમુખ LNG સપ્લાયર છે .ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ ઓઇલએ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે . આ નિર્ભરતા વધી રહી છે. પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવની વચ્ચે , ભારતમાં મોંઘવારી વધી શકે છે. ભારતે ૨૦૧૯માં મજબુર થઈને ઇરાનથી ઓઇલથી આયાત બંધ કરવી પડી હતી કેમ કે , અમેરિકાએ ઈરાન પર  સેન્ક્શન લગાવ્યા છે . 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.