આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી! જાણો ક્યાં મેઘરાજા બોલાવશે ધડબડાટી?


  • Published By :
  • Published Date : 2023-07-07 11:05:15

ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થઈ છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં અથવા તો રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે માનવામાં  આવી રહ્યા છે. આગાહી પ્રમાણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની તો શરૂઆત થઈ છે પરંતુ અનેક ઈંચ વરસાદ માત્ર થોડા કલાકોમાં ખાબકી ગયો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે. અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.

  

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે 

દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો પરંતુ તે ચોમાસાનો વરસાદ ન હતો. ત્યારે હવે ચોમાસાનો વરસાદ ગુજરાતીઓને ધમરોળી રહ્યો છે. સમગ્ર ગુજારતમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક અનેક જિલ્લાઓ માટે ભારે છે. વરસાદને લઈ અનેક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ભાવનગર, મહેસાણા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, અમરેલી, મોરબી, સોમનાથમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાક ભારે છે ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


ગુજરાતમાં આટલા ટકા વરસી ચૂક્યો છે વરસાદ!

સમગ્ર ગુજરાતમાં સારો એવા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝન દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો સરેરાશ 36.02 ટકા વરસાદ થયો છે. અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં સરેરાશ 94.9 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 52.39 ટકા વરસાદ ખાબકી ગયો છે. 34.41 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસસાદી માહોલ જામ્યો છે, સિઝનનો સરેરાશ 27.78 ટકા વરસાદ પડ્યો છે. પશ્ચિમ મધ્ય ગુજરાતમાં સરેરાશ 24.59 ટકા વરસાદ થયો છે. સારો વરસાદ થવાને કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ડેમના જળસ્તરોમાં વધારો થયો છે. 


છેલ્લા 24 કલાકમાં આટલા જિલ્લાઓમાં થઈ મેઘમહેર 

મહત્વનું છે વરસાદ ભલે મોડો આવ્યો પરંતુ અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. પરંતુ સાર્વત્રિક રીતે વરસાદ તો  પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 157 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. 20 તાલુકાઓ એવા છે જ્યાં 2થી 4.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 28 જેટલા તાલુકાઓ એવા છે જ્યાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. ઉલ્લેખનિય છે કે વરસાદે બે દિવસનો વિરામ લીધો હતો પરંતુ વરસાદની રી-એન્ટ્રી થઈ ગઈ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.