આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી! જાણો ક્યાં મેઘરાજા બોલાવશે ધડબડાટી?


  • Published By :
  • Published Date : 2023-07-07 11:05:15

ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થઈ છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં અથવા તો રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે માનવામાં  આવી રહ્યા છે. આગાહી પ્રમાણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની તો શરૂઆત થઈ છે પરંતુ અનેક ઈંચ વરસાદ માત્ર થોડા કલાકોમાં ખાબકી ગયો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે. અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.

  

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે 

દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો પરંતુ તે ચોમાસાનો વરસાદ ન હતો. ત્યારે હવે ચોમાસાનો વરસાદ ગુજરાતીઓને ધમરોળી રહ્યો છે. સમગ્ર ગુજારતમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક અનેક જિલ્લાઓ માટે ભારે છે. વરસાદને લઈ અનેક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ભાવનગર, મહેસાણા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, અમરેલી, મોરબી, સોમનાથમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાક ભારે છે ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


ગુજરાતમાં આટલા ટકા વરસી ચૂક્યો છે વરસાદ!

સમગ્ર ગુજરાતમાં સારો એવા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝન દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો સરેરાશ 36.02 ટકા વરસાદ થયો છે. અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં સરેરાશ 94.9 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 52.39 ટકા વરસાદ ખાબકી ગયો છે. 34.41 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસસાદી માહોલ જામ્યો છે, સિઝનનો સરેરાશ 27.78 ટકા વરસાદ પડ્યો છે. પશ્ચિમ મધ્ય ગુજરાતમાં સરેરાશ 24.59 ટકા વરસાદ થયો છે. સારો વરસાદ થવાને કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ડેમના જળસ્તરોમાં વધારો થયો છે. 


છેલ્લા 24 કલાકમાં આટલા જિલ્લાઓમાં થઈ મેઘમહેર 

મહત્વનું છે વરસાદ ભલે મોડો આવ્યો પરંતુ અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. પરંતુ સાર્વત્રિક રીતે વરસાદ તો  પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 157 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. 20 તાલુકાઓ એવા છે જ્યાં 2થી 4.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 28 જેટલા તાલુકાઓ એવા છે જ્યાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. ઉલ્લેખનિય છે કે વરસાદે બે દિવસનો વિરામ લીધો હતો પરંતુ વરસાદની રી-એન્ટ્રી થઈ ગઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.