રાજ્યમાં કેવો રહેશે હવામાનનો મિજાજ, કાતિલ ઠંડી અને માવઠા અંગે હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-12-13 18:36:42

રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ફુલગુલાબી ઠંડીની અનુભૂતી થઈ રહી છે. શિયાળાની શરૂઆતમાં જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યા બાદ કાતિલ ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં વહેલી સવારથી જ હાંડથિજાવતી ઠંડી અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે હવે ધીમે-ધીમે કાતિલ ઠંડી અનુભવાશે. 


ઠંડીનો પારો ગગડશે


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમ્યાન ઠંડીનો પારો થોડા ઘણા અંશે ઘટી શકે છે.શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ હાલ આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટયું છે અને વહેલી સવારે અને રાત્રે દરમ્યાન ઠંડી વધી છે પરંતુ આવનારા સમયમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે. ડિસેમ્બરના અંત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે હાલ ઠંડીનું પ્રમાણ સામાન્ય છે અને આવનારા દિવસોમાં ઠંડીનો પારો વધુ નહિ ગગડે. જોકે રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓને બાદ કરતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠંડી પણ હાલ યથાવત રહેશે.


11 રાજ્યોમાં માવઠાની આગાહી


દેશના હવામાન વિભાગે ઓછામાં ઓછા 11 જેટલા રાજ્યોમાં માવઠાને લઈને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં 16-17 ડિસેમ્બર 2 દિવસો સુધી ભારે વરસાદ થશે. એટલું જ નહીં પ.બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં 13 ડિસેમ્બરનાં રોજ ભારે વરસાદ વરસશે. અરુણાચલ પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. સાથે જ 15-17 ડિસેમ્બરની વચ્ચે તમિલનાડુ, કેરળ, માહેમાં મધ્યમ વરસાદ આવી શકે છે. જો કે સાઉથ તમિલનાડુમાં 16-17 ડિસેમ્બર અને કેરળમાં 17 ડિસેમ્બરનાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.