રાજ્યમાં કેવો રહેશે હવામાનનો મિજાજ, કાતિલ ઠંડી અને માવઠા અંગે હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-12-13 18:36:42

રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ફુલગુલાબી ઠંડીની અનુભૂતી થઈ રહી છે. શિયાળાની શરૂઆતમાં જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યા બાદ કાતિલ ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં વહેલી સવારથી જ હાંડથિજાવતી ઠંડી અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે હવે ધીમે-ધીમે કાતિલ ઠંડી અનુભવાશે. 


ઠંડીનો પારો ગગડશે


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમ્યાન ઠંડીનો પારો થોડા ઘણા અંશે ઘટી શકે છે.શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ હાલ આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટયું છે અને વહેલી સવારે અને રાત્રે દરમ્યાન ઠંડી વધી છે પરંતુ આવનારા સમયમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે. ડિસેમ્બરના અંત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે હાલ ઠંડીનું પ્રમાણ સામાન્ય છે અને આવનારા દિવસોમાં ઠંડીનો પારો વધુ નહિ ગગડે. જોકે રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓને બાદ કરતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠંડી પણ હાલ યથાવત રહેશે.


11 રાજ્યોમાં માવઠાની આગાહી


દેશના હવામાન વિભાગે ઓછામાં ઓછા 11 જેટલા રાજ્યોમાં માવઠાને લઈને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં 16-17 ડિસેમ્બર 2 દિવસો સુધી ભારે વરસાદ થશે. એટલું જ નહીં પ.બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં 13 ડિસેમ્બરનાં રોજ ભારે વરસાદ વરસશે. અરુણાચલ પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. સાથે જ 15-17 ડિસેમ્બરની વચ્ચે તમિલનાડુ, કેરળ, માહેમાં મધ્યમ વરસાદ આવી શકે છે. જો કે સાઉથ તમિલનાડુમાં 16-17 ડિસેમ્બર અને કેરળમાં 17 ડિસેમ્બરનાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.