સંસદમાં આવતી કાલથી શરૂ થશે શિયાળું સત્ર


  • Published By :
  • Published Date : 2022-12-06 12:55:15

આવતી કાલથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થવાનો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં અનેક રાજકીય પક્ષોના સાંસદ સામેલ થવાના છે. આ બેઠકમાં સંસદમાં કાર્યવાહી સારી રીતે સંપન્ન થાય ઉપરાંત મહત્વની વાતો પર ચર્ચા થાય તે માટે બોલાવામાં આવી છે.

All Party Meeting | सर्वदलीय बैठक में मोदी की गैरमौजूदगी पर बरसी कांग्रेस

વડાપ્રધાન મોદી પણ લઈ શકે છે ભાગ  

7 ડિસેમ્બરથી શરૂ થતા શિયાળું સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. શિયાળા સત્રમાં 17 બેઠક થવાની છે. થોડા દિવસો પહેલા જ સત્રમાં પેશ થનાર 16 વિધેયકોની જાહેરાત કરી દીધી છે. આ બેઠક માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે. પરંપરા મુજબ સર્વદળીય બેઠક બોલાવામાં આવે છે પરંતુ આ વખતે કાર્ય મંત્રણા બેઠક બોલાવામાં આવી છે.

Congress Parliamentary Strategy Group to meet tomorrow to formulate  strategy for Parliament Winter Session – ThePrint – ANIFeed

કોંગ્રેસે શનિવારે પાર્ટીની બોલાવી હતી બેઠક 

આ બેઠક સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તે અંગે કરવામાં આવી રહી છે. સંભવિત વિધેયકો ઉપર મંત્રણા કરવામાં આવશે. મંત્રણા માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોને આમંત્રણ આપવામાં આવી ગયું છે. સંસદમાં શિયાળું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસદમાં સરકારને કયા મુદ્દા પર ઘેરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.     

   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે