સંસદમાં આવતી કાલથી શરૂ થશે શિયાળું સત્ર


  • Published By :
  • Published Date : 2022-12-06 12:55:15

આવતી કાલથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થવાનો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં અનેક રાજકીય પક્ષોના સાંસદ સામેલ થવાના છે. આ બેઠકમાં સંસદમાં કાર્યવાહી સારી રીતે સંપન્ન થાય ઉપરાંત મહત્વની વાતો પર ચર્ચા થાય તે માટે બોલાવામાં આવી છે.

All Party Meeting | सर्वदलीय बैठक में मोदी की गैरमौजूदगी पर बरसी कांग्रेस

વડાપ્રધાન મોદી પણ લઈ શકે છે ભાગ  

7 ડિસેમ્બરથી શરૂ થતા શિયાળું સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. શિયાળા સત્રમાં 17 બેઠક થવાની છે. થોડા દિવસો પહેલા જ સત્રમાં પેશ થનાર 16 વિધેયકોની જાહેરાત કરી દીધી છે. આ બેઠક માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે. પરંપરા મુજબ સર્વદળીય બેઠક બોલાવામાં આવે છે પરંતુ આ વખતે કાર્ય મંત્રણા બેઠક બોલાવામાં આવી છે.

Congress Parliamentary Strategy Group to meet tomorrow to formulate  strategy for Parliament Winter Session – ThePrint – ANIFeed

કોંગ્રેસે શનિવારે પાર્ટીની બોલાવી હતી બેઠક 

આ બેઠક સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તે અંગે કરવામાં આવી રહી છે. સંભવિત વિધેયકો ઉપર મંત્રણા કરવામાં આવશે. મંત્રણા માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોને આમંત્રણ આપવામાં આવી ગયું છે. સંસદમાં શિયાળું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસદમાં સરકારને કયા મુદ્દા પર ઘેરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.     

   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.