સંસદમાં આવતી કાલથી શરૂ થશે શિયાળું સત્ર


  • Published By :
  • Published Date : 2022-12-06 12:55:15

આવતી કાલથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થવાનો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં અનેક રાજકીય પક્ષોના સાંસદ સામેલ થવાના છે. આ બેઠકમાં સંસદમાં કાર્યવાહી સારી રીતે સંપન્ન થાય ઉપરાંત મહત્વની વાતો પર ચર્ચા થાય તે માટે બોલાવામાં આવી છે.

All Party Meeting | सर्वदलीय बैठक में मोदी की गैरमौजूदगी पर बरसी कांग्रेस

વડાપ્રધાન મોદી પણ લઈ શકે છે ભાગ  

7 ડિસેમ્બરથી શરૂ થતા શિયાળું સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. શિયાળા સત્રમાં 17 બેઠક થવાની છે. થોડા દિવસો પહેલા જ સત્રમાં પેશ થનાર 16 વિધેયકોની જાહેરાત કરી દીધી છે. આ બેઠક માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે. પરંપરા મુજબ સર્વદળીય બેઠક બોલાવામાં આવે છે પરંતુ આ વખતે કાર્ય મંત્રણા બેઠક બોલાવામાં આવી છે.

Congress Parliamentary Strategy Group to meet tomorrow to formulate  strategy for Parliament Winter Session – ThePrint – ANIFeed

કોંગ્રેસે શનિવારે પાર્ટીની બોલાવી હતી બેઠક 

આ બેઠક સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તે અંગે કરવામાં આવી રહી છે. સંભવિત વિધેયકો ઉપર મંત્રણા કરવામાં આવશે. મંત્રણા માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોને આમંત્રણ આપવામાં આવી ગયું છે. સંસદમાં શિયાળું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસદમાં સરકારને કયા મુદ્દા પર ઘેરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.     

   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.