સંસદમાં આવતી કાલથી શરૂ થશે શિયાળું સત્ર


  • Published By :
  • Published Date : 2022-12-06 12:55:15

આવતી કાલથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થવાનો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં અનેક રાજકીય પક્ષોના સાંસદ સામેલ થવાના છે. આ બેઠકમાં સંસદમાં કાર્યવાહી સારી રીતે સંપન્ન થાય ઉપરાંત મહત્વની વાતો પર ચર્ચા થાય તે માટે બોલાવામાં આવી છે.

All Party Meeting | सर्वदलीय बैठक में मोदी की गैरमौजूदगी पर बरसी कांग्रेस

વડાપ્રધાન મોદી પણ લઈ શકે છે ભાગ  

7 ડિસેમ્બરથી શરૂ થતા શિયાળું સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. શિયાળા સત્રમાં 17 બેઠક થવાની છે. થોડા દિવસો પહેલા જ સત્રમાં પેશ થનાર 16 વિધેયકોની જાહેરાત કરી દીધી છે. આ બેઠક માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે. પરંપરા મુજબ સર્વદળીય બેઠક બોલાવામાં આવે છે પરંતુ આ વખતે કાર્ય મંત્રણા બેઠક બોલાવામાં આવી છે.

Congress Parliamentary Strategy Group to meet tomorrow to formulate  strategy for Parliament Winter Session – ThePrint – ANIFeed

કોંગ્રેસે શનિવારે પાર્ટીની બોલાવી હતી બેઠક 

આ બેઠક સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તે અંગે કરવામાં આવી રહી છે. સંભવિત વિધેયકો ઉપર મંત્રણા કરવામાં આવશે. મંત્રણા માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોને આમંત્રણ આપવામાં આવી ગયું છે. સંસદમાં શિયાળું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસદમાં સરકારને કયા મુદ્દા પર ઘેરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.     

   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.