લ્યો બોલો, છૂટાછેડા લીધા બાદ ચેન્નાઈની મહિલાએ કરાવ્યું 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ', તસવીરો થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:16:20

ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. કોઈ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે કે તો મેટરનિટી ફોટોશૂટ કરાવે છે. ત્યારે એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટો વાયરલ થઈ રહેલો છે તેમાં મહિલા પોતાના પતિની તસવીર ફાડી રહી છે.

Image

તલાક પછી મહિલાએ કરાવ્યું ફોટોશૂટ! 

સોશિયલ મીડિયા પર એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાએ છૂટાછેડા લીધા બાદ સેલિબ્રેશન કર્યું હતું. જે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ શાલિની છે. અનેક ફોટા છે જે સામે આવ્યા છે. એક ફોટામાં પોતાના પતિનો ફોટો ફાડતી દેખાય છે તો બીજા ફોટામાં લગ્નના ફોટાનો પગ નીચે દબાવી રહી છે. શાલિનીનું કહેવું છે કે આ ફોટો શૂટ એવી ભારતીય મહિલાઓ માટે સંદેશ છે જેમના તલાક થઈ ગયા છે અથવા તો પ્રક્રિયામાં છે. આ ફોટોશૂટ ચૈન્નઈમાં કરવામાં આવ્યો છે. 

Image

આ પહેલા આવી તસ્વીરો થઈ હતી વાયરલ! 

સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટને લોકો પસંદ કરી રહ્યા છે. શાલિનીની હિંમતની લોકો તારીફ કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે આ ફોટોશૂટ તલાકશુદાઓને ખોલનીને જીવા માટે ઈન્સપાયર કરશે. તો કોઈએ કીધું કે ભારતીય મહિલાને ચૂપી તોડીને પોતાની માટે ખુશ થવાનો અધિકાર છે. થોડા સમય પહેલા આવા જ ફોટા લોરેન બ્રૂક નામની મહિલાના સામે આવ્યા હતા.   

Image



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.