લ્યો બોલો, છૂટાછેડા લીધા બાદ ચેન્નાઈની મહિલાએ કરાવ્યું 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ', તસવીરો થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:16:20

ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. કોઈ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે કે તો મેટરનિટી ફોટોશૂટ કરાવે છે. ત્યારે એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટો વાયરલ થઈ રહેલો છે તેમાં મહિલા પોતાના પતિની તસવીર ફાડી રહી છે.

Image

તલાક પછી મહિલાએ કરાવ્યું ફોટોશૂટ! 

સોશિયલ મીડિયા પર એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાએ છૂટાછેડા લીધા બાદ સેલિબ્રેશન કર્યું હતું. જે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ શાલિની છે. અનેક ફોટા છે જે સામે આવ્યા છે. એક ફોટામાં પોતાના પતિનો ફોટો ફાડતી દેખાય છે તો બીજા ફોટામાં લગ્નના ફોટાનો પગ નીચે દબાવી રહી છે. શાલિનીનું કહેવું છે કે આ ફોટો શૂટ એવી ભારતીય મહિલાઓ માટે સંદેશ છે જેમના તલાક થઈ ગયા છે અથવા તો પ્રક્રિયામાં છે. આ ફોટોશૂટ ચૈન્નઈમાં કરવામાં આવ્યો છે. 

Image

આ પહેલા આવી તસ્વીરો થઈ હતી વાયરલ! 

સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટને લોકો પસંદ કરી રહ્યા છે. શાલિનીની હિંમતની લોકો તારીફ કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે આ ફોટોશૂટ તલાકશુદાઓને ખોલનીને જીવા માટે ઈન્સપાયર કરશે. તો કોઈએ કીધું કે ભારતીય મહિલાને ચૂપી તોડીને પોતાની માટે ખુશ થવાનો અધિકાર છે. થોડા સમય પહેલા આવા જ ફોટા લોરેન બ્રૂક નામની મહિલાના સામે આવ્યા હતા.   

Image



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.