લ્યો બોલો, છૂટાછેડા લીધા બાદ ચેન્નાઈની મહિલાએ કરાવ્યું 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ', તસવીરો થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:16:20

ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. કોઈ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે કે તો મેટરનિટી ફોટોશૂટ કરાવે છે. ત્યારે એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટો વાયરલ થઈ રહેલો છે તેમાં મહિલા પોતાના પતિની તસવીર ફાડી રહી છે.

Image

તલાક પછી મહિલાએ કરાવ્યું ફોટોશૂટ! 

સોશિયલ મીડિયા પર એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાએ છૂટાછેડા લીધા બાદ સેલિબ્રેશન કર્યું હતું. જે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ શાલિની છે. અનેક ફોટા છે જે સામે આવ્યા છે. એક ફોટામાં પોતાના પતિનો ફોટો ફાડતી દેખાય છે તો બીજા ફોટામાં લગ્નના ફોટાનો પગ નીચે દબાવી રહી છે. શાલિનીનું કહેવું છે કે આ ફોટો શૂટ એવી ભારતીય મહિલાઓ માટે સંદેશ છે જેમના તલાક થઈ ગયા છે અથવા તો પ્રક્રિયામાં છે. આ ફોટોશૂટ ચૈન્નઈમાં કરવામાં આવ્યો છે. 

Image

આ પહેલા આવી તસ્વીરો થઈ હતી વાયરલ! 

સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટને લોકો પસંદ કરી રહ્યા છે. શાલિનીની હિંમતની લોકો તારીફ કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે આ ફોટોશૂટ તલાકશુદાઓને ખોલનીને જીવા માટે ઈન્સપાયર કરશે. તો કોઈએ કીધું કે ભારતીય મહિલાને ચૂપી તોડીને પોતાની માટે ખુશ થવાનો અધિકાર છે. થોડા સમય પહેલા આવા જ ફોટા લોરેન બ્રૂક નામની મહિલાના સામે આવ્યા હતા.   

Image



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.