લ્યો બોલો, છૂટાછેડા લીધા બાદ ચેન્નાઈની મહિલાએ કરાવ્યું 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ', તસવીરો થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:16:20

ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. કોઈ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે કે તો મેટરનિટી ફોટોશૂટ કરાવે છે. ત્યારે એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટો વાયરલ થઈ રહેલો છે તેમાં મહિલા પોતાના પતિની તસવીર ફાડી રહી છે.

Image

તલાક પછી મહિલાએ કરાવ્યું ફોટોશૂટ! 

સોશિયલ મીડિયા પર એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાએ છૂટાછેડા લીધા બાદ સેલિબ્રેશન કર્યું હતું. જે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ શાલિની છે. અનેક ફોટા છે જે સામે આવ્યા છે. એક ફોટામાં પોતાના પતિનો ફોટો ફાડતી દેખાય છે તો બીજા ફોટામાં લગ્નના ફોટાનો પગ નીચે દબાવી રહી છે. શાલિનીનું કહેવું છે કે આ ફોટો શૂટ એવી ભારતીય મહિલાઓ માટે સંદેશ છે જેમના તલાક થઈ ગયા છે અથવા તો પ્રક્રિયામાં છે. આ ફોટોશૂટ ચૈન્નઈમાં કરવામાં આવ્યો છે. 

Image

આ પહેલા આવી તસ્વીરો થઈ હતી વાયરલ! 

સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટને લોકો પસંદ કરી રહ્યા છે. શાલિનીની હિંમતની લોકો તારીફ કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે આ ફોટોશૂટ તલાકશુદાઓને ખોલનીને જીવા માટે ઈન્સપાયર કરશે. તો કોઈએ કીધું કે ભારતીય મહિલાને ચૂપી તોડીને પોતાની માટે ખુશ થવાનો અધિકાર છે. થોડા સમય પહેલા આવા જ ફોટા લોરેન બ્રૂક નામની મહિલાના સામે આવ્યા હતા.   

Image



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.