પાણીની સમસ્યાને લઈ રાજકોટની મહિલાઓએ કર્યો મનપા કચેરી બહાર હોબાળો, મહિલાઓએ લગાવ્યા પાણી આપો પાણી આપોના નારા


  • Published By :
  • Published Date : 2023-02-17 15:12:53

ઉનાળાના સમય દરમિયાન પાણીનો વપરાશ વધી જતો હોય છે. ત્યારે આ વર્ષે પાણીની તંગી નહીં સર્જાય તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા ખોટા પડી રહ્યા હોય તેવું લાગે છે. પાણીની અછતને કારણે રાજકોટમાં વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રજૂઆત માટે મહિલાઓને મેયર કે મ્યુ. કમિશ્નરની સાથે મુલાકાત ન કરાવવામાં આવતા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. પરંતુ વિરોધ વધતા અમુક મહિલાઓને મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા.  

મહિલાઓએ પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા.


મહિલાઓએ મનપા કચેરી ખાતે કર્યો હોબાળો

થોડા દિવસો બાદ ઉનાળાની શરૂઆત થવાની છે. ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં ભારે વધારો થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની સમસ્યા સામે આવી છે. જેને લઈ વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન મળતા હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. 

અંતે મહિલાઓએ મેયરને રજૂઆત કરી હતી.

આજે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી.


ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

થોડા સમય પહેલા રજૂ કરાયેલા બજેટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીવેરામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ વાતને લઈને જ વોર્ડ નંબર 11ની મહિલાઓ દ્વારા આ મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. 


વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા કરાયો હતો વિરોધ 

કલેક્ટરને અથવા તો મ્યુ. કમિશનરને મળવાની વાત કરી હતી પરંતુ તેમની મુલાકાત કરાવવામાં આવી ન હતી. જે બાદ મહિલાઓએ હોબાળો કર્યો હતો. મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. ભારે વિરોધ બાદ 5 મહિલાઓને મેયર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી હતી. જો આ સમસ્યાનો તાત્કાલિક આ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.