પાણીની સમસ્યાને લઈ રાજકોટની મહિલાઓએ કર્યો મનપા કચેરી બહાર હોબાળો, મહિલાઓએ લગાવ્યા પાણી આપો પાણી આપોના નારા


  • Published By :
  • Published Date : 2023-02-17 15:12:53

ઉનાળાના સમય દરમિયાન પાણીનો વપરાશ વધી જતો હોય છે. ત્યારે આ વર્ષે પાણીની તંગી નહીં સર્જાય તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા ખોટા પડી રહ્યા હોય તેવું લાગે છે. પાણીની અછતને કારણે રાજકોટમાં વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રજૂઆત માટે મહિલાઓને મેયર કે મ્યુ. કમિશ્નરની સાથે મુલાકાત ન કરાવવામાં આવતા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. પરંતુ વિરોધ વધતા અમુક મહિલાઓને મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા.  

મહિલાઓએ પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા.


મહિલાઓએ મનપા કચેરી ખાતે કર્યો હોબાળો

થોડા દિવસો બાદ ઉનાળાની શરૂઆત થવાની છે. ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં ભારે વધારો થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની સમસ્યા સામે આવી છે. જેને લઈ વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન મળતા હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. 

અંતે મહિલાઓએ મેયરને રજૂઆત કરી હતી.

આજે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી.


ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

થોડા સમય પહેલા રજૂ કરાયેલા બજેટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીવેરામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ વાતને લઈને જ વોર્ડ નંબર 11ની મહિલાઓ દ્વારા આ મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. 


વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા કરાયો હતો વિરોધ 

કલેક્ટરને અથવા તો મ્યુ. કમિશનરને મળવાની વાત કરી હતી પરંતુ તેમની મુલાકાત કરાવવામાં આવી ન હતી. જે બાદ મહિલાઓએ હોબાળો કર્યો હતો. મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. ભારે વિરોધ બાદ 5 મહિલાઓને મેયર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી હતી. જો આ સમસ્યાનો તાત્કાલિક આ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.