પાણીની સમસ્યાને લઈ રાજકોટની મહિલાઓએ કર્યો મનપા કચેરી બહાર હોબાળો, મહિલાઓએ લગાવ્યા પાણી આપો પાણી આપોના નારા


  • Published By :
  • Published Date : 2023-02-17 15:12:53

ઉનાળાના સમય દરમિયાન પાણીનો વપરાશ વધી જતો હોય છે. ત્યારે આ વર્ષે પાણીની તંગી નહીં સર્જાય તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા ખોટા પડી રહ્યા હોય તેવું લાગે છે. પાણીની અછતને કારણે રાજકોટમાં વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રજૂઆત માટે મહિલાઓને મેયર કે મ્યુ. કમિશ્નરની સાથે મુલાકાત ન કરાવવામાં આવતા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. પરંતુ વિરોધ વધતા અમુક મહિલાઓને મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા.  

મહિલાઓએ પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા.


મહિલાઓએ મનપા કચેરી ખાતે કર્યો હોબાળો

થોડા દિવસો બાદ ઉનાળાની શરૂઆત થવાની છે. ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં ભારે વધારો થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની સમસ્યા સામે આવી છે. જેને લઈ વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન મળતા હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. 

અંતે મહિલાઓએ મેયરને રજૂઆત કરી હતી.

આજે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી.


ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

થોડા સમય પહેલા રજૂ કરાયેલા બજેટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીવેરામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ વાતને લઈને જ વોર્ડ નંબર 11ની મહિલાઓ દ્વારા આ મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. 


વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા કરાયો હતો વિરોધ 

કલેક્ટરને અથવા તો મ્યુ. કમિશનરને મળવાની વાત કરી હતી પરંતુ તેમની મુલાકાત કરાવવામાં આવી ન હતી. જે બાદ મહિલાઓએ હોબાળો કર્યો હતો. મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. ભારે વિરોધ બાદ 5 મહિલાઓને મેયર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી હતી. જો આ સમસ્યાનો તાત્કાલિક આ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.