મતવિસ્તારમાં થતા કામોનું મોનિટરિંગ થશે સચિવાલયમાં! ધારાસભ્યો,સાંસદોની ફરિયાદોનું નિરાકરણ લાવવા કરાશે આ ખાસ વ્યવસ્થા! જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 14:11:05

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા તેમજ ઉમેદવારો દ્વારા મતદાતાઓને અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે. જો અમારી સરકાર ચૂંટાઈને આવશે તો આ કામ કરવામાં આવશે, વિકાસના કામો તેજગતિથી વધશે સહિતના અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાતાની શું હાલત હોય છે તે વાતને આપણે સૌ જાણીએ છીએ. વિપક્ષ દ્વારા અનેક વખત એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય છે કે તેમના વિસ્તારમાં કામો નથી થતાં. ન માત્ર વિપક્ષ પરંતુ સત્તા પક્ષના પણ અનેક ધારાસભ્યોએ આ વાત કહી છે. ત્યારે આવી ફરિયાદો તેમજ વાતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય-સાંસદો માટે ખાસ સેલ તૈયાર કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એક સ્પેશિયલ ટીમ બનશે જે મત વિસ્તારમાં થતાં કામોનું મોનિટરિંગ કરી શકે છે.      

   

સચિવાલયમાં સ્પેશિયલ સેલ બનાવવા ચાલતી વિચારણા

અનેક વખત એવી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે કે તેમના વિસ્તારમાં કામ નથી થતું. ધારાસભ્યો તેમજ સાંસદોને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેનું નિરાકરણ થતું નથી. ફરિયાદોનું નિવારણ નથી આવતું. સાંસદો તેમજ ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદો ન માત્ર વિપક્ષના નેતાઓ પરંતુ સત્તાપક્ષના નેતાઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. આપણને એવું હોય કે માત્ર લોકોને પડતી તકલીફનું નિરાકરણ નથી થતું પરંતુ ધારાસભ્યો તેમજ સાંસદોના કામો, તેમની સમસ્યાનું નિરાકરણ નથી હોતું. ત્યારે ધારાસભ્યોને પડતી  સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક વિચાર કરવામાં આવી રહ્યો છે કે સચિવાલયમાં એક સ્પેશિયલ સેલ બનાવવામાં આવશે. સચિવાલયના ચોથા માળે અલાયદો સેલ શરૂ કરવામાં આવશે. મંત્રીઓ ધારાસભ્યોના કામોને પ્રાધાન્ય આપે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકાર સુધી તેમની સમસ્યા પહોંચે તેમજ નિરાકરણ થાય તે માટે એક વિચારણા કરવામાં આવી રહ્યો છે. 


ધારાસભ્યો-સાંસદોની ફરિયાદનું કરાશે નિવારણ

જે સેલ બનાવવાની વિચારણા થઈ રહી છે તેમાં અધિકારીને બેસાડવામાં આવશે. સેલમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ ધારાસભ્યો તેમજ સાંસદોને પડતી મુશ્કેલીઓને સાંભળશે અને સમસ્યાનું નિરાકરણ કરાશે. ઉપરાંત મત વિસ્તારના અનેક પ્રોજેક્ટો પર સીધું મોનિટરિંગ કરવામાં આવશે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે