મતવિસ્તારમાં થતા કામોનું મોનિટરિંગ થશે સચિવાલયમાં! ધારાસભ્યો,સાંસદોની ફરિયાદોનું નિરાકરણ લાવવા કરાશે આ ખાસ વ્યવસ્થા! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 14:11:05

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા તેમજ ઉમેદવારો દ્વારા મતદાતાઓને અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે. જો અમારી સરકાર ચૂંટાઈને આવશે તો આ કામ કરવામાં આવશે, વિકાસના કામો તેજગતિથી વધશે સહિતના અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાતાની શું હાલત હોય છે તે વાતને આપણે સૌ જાણીએ છીએ. વિપક્ષ દ્વારા અનેક વખત એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય છે કે તેમના વિસ્તારમાં કામો નથી થતાં. ન માત્ર વિપક્ષ પરંતુ સત્તા પક્ષના પણ અનેક ધારાસભ્યોએ આ વાત કહી છે. ત્યારે આવી ફરિયાદો તેમજ વાતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય-સાંસદો માટે ખાસ સેલ તૈયાર કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એક સ્પેશિયલ ટીમ બનશે જે મત વિસ્તારમાં થતાં કામોનું મોનિટરિંગ કરી શકે છે.      

   

સચિવાલયમાં સ્પેશિયલ સેલ બનાવવા ચાલતી વિચારણા

અનેક વખત એવી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે કે તેમના વિસ્તારમાં કામ નથી થતું. ધારાસભ્યો તેમજ સાંસદોને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેનું નિરાકરણ થતું નથી. ફરિયાદોનું નિવારણ નથી આવતું. સાંસદો તેમજ ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદો ન માત્ર વિપક્ષના નેતાઓ પરંતુ સત્તાપક્ષના નેતાઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. આપણને એવું હોય કે માત્ર લોકોને પડતી તકલીફનું નિરાકરણ નથી થતું પરંતુ ધારાસભ્યો તેમજ સાંસદોના કામો, તેમની સમસ્યાનું નિરાકરણ નથી હોતું. ત્યારે ધારાસભ્યોને પડતી  સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક વિચાર કરવામાં આવી રહ્યો છે કે સચિવાલયમાં એક સ્પેશિયલ સેલ બનાવવામાં આવશે. સચિવાલયના ચોથા માળે અલાયદો સેલ શરૂ કરવામાં આવશે. મંત્રીઓ ધારાસભ્યોના કામોને પ્રાધાન્ય આપે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકાર સુધી તેમની સમસ્યા પહોંચે તેમજ નિરાકરણ થાય તે માટે એક વિચારણા કરવામાં આવી રહ્યો છે. 


ધારાસભ્યો-સાંસદોની ફરિયાદનું કરાશે નિવારણ

જે સેલ બનાવવાની વિચારણા થઈ રહી છે તેમાં અધિકારીને બેસાડવામાં આવશે. સેલમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ ધારાસભ્યો તેમજ સાંસદોને પડતી મુશ્કેલીઓને સાંભળશે અને સમસ્યાનું નિરાકરણ કરાશે. ઉપરાંત મત વિસ્તારના અનેક પ્રોજેક્ટો પર સીધું મોનિટરિંગ કરવામાં આવશે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.